SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ભગવઈ - 7-360 વાસરહિત, પ્રાયઃ માંસાહારી, મત્સાહારી, મધનો આહાર કરનારા, મૃત શરીરનો આહાર કરનારા તે મનુષ્યો મરણ સમયે કાળ કરીને ક્યાં જશે? હે ગૌતમ! પ્રાયઃ નારક અને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થશે. હે ભગવન્! તે સિંહો, વાઘો, વૃકો, દીપડાઓ, રિંછો, તરક્ષો, શરભો તે પ્રમાણે નિઃશીલ એવા વાવતુ ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! પ્રાયઃ નારક અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થશે. હે ભગવન્! તે કાગડાઓ, કંકો, વિલકો, જલવાયસો, મયૂરો, નિશીલ એવા તે પ્રમાણે યાવતુ (ક્યાં ઉત્પન્ન થશે? પ્રાયઃ નારક અને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થશે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિચરે છે. શતક: ૭-ઉદેસાઇનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ } ( ઉદ્દેશક૭-) [31] હે ભગવન્! ઉપયોગ પૂર્વક ગમન કરતા, પાવતુ ઉપયોગ પૂર્વક સૂતા ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછનક ( રહરણ) ને ગ્રહણ કરતા અને મૂકતા સંવૃત-સાધુને શું ઐયપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે? હે ગૌતમ ! સંવરયુક્ત યાવતુ તે અનગારને ઐયપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી ક્રિયા ન લાગે. હે ભગવન્! એ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જેના ક્રોધ, માન, માયા અને લોભ નષ્ટ થયા હોય તેને એયપથિકી ક્રિયા લાગે, તેમજ યાવતુ સૂત્રવિર ચાલનારને સાંપરાયિકી, કિયાલાગે; તે સંવરયુક્ત અનગાર સૂત્ર પ્રમાણે વર્તે છે, તે હેતુથી હે ગૌતમ ! તેને વાવતુ સાંપરાયિકી ક્રિયા ન લાગે. [32] હે ભગવન્! કામો રૂપી છે કે અરૂપી છે? હે ગૌતમ! કામો રૂપી છે, પણ અરૂપી નથી. હે ભગવન્! કામો સચિત્ત છે કે અચિત્ત છે? હે ગૌતમ ! કામો બંને છે સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે. હે ભગવન્! કામો જીવ છે કે અજીવ છે? હે ગૌતમ! કામો હે ભગવન્! કામો જીવોને હોય છે કે અજીવોને હોય છે? હે ગૌતમ ! કામો જીવોને હોય છે, અજીવોને હોતા નથી. હે ભગવન્! કામો કેટલા પ્રકારે કહ્યા છે? હે ગૌતમ! કામ બે પ્રકારે છે શબ્દ અને રૂ૫. ભગવનુ ભોગો રૂપી છે. કે અરૂપી?ભોગો રૂપી છે પણ અરૂપી નથી. હે ભગવન્! ભોગો સચિત્ત છે કે આચિત્ત છે? હે ગૌતમ બંને છે.હે ભગવનું ! ભોગો જીવસ્વરૂપ છે કે અજીવસ્વરૂપ છે? હે ગૌતમ ! હે ભગવન્! ભોગો. જીવોને હોય કે અજીવોને હોય? હે ગૌતમ ! ભોગો જીવોને હોય છે, અજીવોને હોતા નથી. હે ભગવન્! ભોગો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! ભોગો. ત્રણ પ્રકારના કહ્યા છે; ગંધ, રસ અને સ્પર્શ. હે ભગવન્! કામ-ભોગ કેટલા પ્રકારે કહ્યા છે? હે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. હે ભગવન્! શું જીવો કામી કે ભોગી છે? હે ગૌતમ! જીવો કામી પણ છે, અને ભોગી પણ છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ! શ્રોત્રેદ્રિય અને ચક્ષને આશ્રયી જીવો કામી કહેવાય છે, તેમ ધ્રાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ જીવો ભોગ કહેવાય છે, હે ભગવન્! શું નારકો કામી છે કે ભોગી છે? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, એ પ્રમાણે નિતકુમારોને જાણવું. હે ભગવન! પૃથિવીકાયિકનો પ્રશ્ન, હે ગૌતમ! પૃથિવીકાયિકો કામી નથી, પણ ભોગી છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ ! સ્પર્શેન્દ્રિયને આશ્રયી; એ પ્રમાણે યાવતું વનસ્પતિકાયિકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy