SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 10. ભગવઈ - 1 /8 વર્ણવાળા, ઉગ્રતપસ્વી, દીપ્તતપસ્વી, તખતપસ્વી, મહાતપસ્વી, ઉદાર,ઘોર. ઘોરણવાળા, ઘોરતપવાળા. ઘોરબહ્મચર્યમાં રહેવાના સ્વભાવવાળા, શરીરના સંસ્કારોને જનાર શરીરમાં રહેતી હોવાથી સંક્ષિપ્ત અને દૂરગામી હોવાથી વિપુલ એવી તેજલેશ્યાવાળા, ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનને પ્રાપ્ત અને સક્ષરસંનિપાતી છે. [૯]ત્યારપછી જાતશ્રદ્ધ, જાતશય, જાતકુતૂહલ, ઉત્પન્ન- શ્રદ્ધ, ઉત્પનસંશય, ઉત્પન્નકુતૂહલ, સંજાતશ્રદ્ધ, સંજાતસંશય, સંજાતકુતૂહલ, સમુત્પન્નશ્રદ્ધ સમુત્પન્નસંશય અને સમુત્પનકુતૂહલ તે ભગવાનું ગૌતમ ઉત્પાનવડે ઉભા થાય છે, ઉભા થઈને જે તરફ શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે, શ્રમણ ભગવંત. મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરી વાંદે છે, નમે છે, બહુ નિકટ નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે ભગવંતની સામે વિનયવડે લલાટે હાથ જોડી ભગવંતના વચનને શ્રવણ કરવાની ઇચ્છાવાળા ભગવંતને નમતા અને પર્યપાસતા આ પ્રમાણે બોલ્યા :- હે ભગવન ! જે ચાલતું હોય તે “ચાલ્યુ' ? તેમજ જે ઉદીરાતું હોય તે “ઉદીરાયું' વેદાતું હોય તે ‘વેદાયું’ પડતું હોય તે પડ્યું છેદાતું હોય તે છેદાયું ભેદાતું હોય તે ભેદાયું બળતું હોય તે બળ્યું મરતું હોય તે મર્યું અને નિર્જરાતું હોય તે નિર્જરાયું” (એ પ્રમાણે કહેવાય? હા ગૌતમ! ચાલતું હોય તે ચાલ્યું યાવત્ નિર્જરાતું નિર્જરાયું’, એ પ્રમાણે કહેવાય. [10] હે ભગવન! આ નવ પદો શું એક અર્થવાળો, નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળાં છે કે નાના અથવાળા, નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળા છે? હે ગૌતમ ! ચાલતું ચાલ્યું, ઉદીરાતું ઉદીરાયું, વેદાતું વેદાયું, પ્રક્ષીણ થતું પ્રક્ષીણ થયું. આ ચાર પદો ઉત્પન્ન પક્ષની અપેક્ષાએ એક અર્થવાળાં નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળો છે. તથા છેદાનું છેદાયું-ભેરાતું, ભેદાયું-દહાતું દહાયું, મરતું-મર્યું, નિર્જરાતું નિર્જરાયું, આ પાંચ પદો વિગતપક્ષની અપેક્ષાએ નાના અર્થવાળાં, નાના ઘોષવાળા અને નાના વ્યંજનવાળાં છે. [11] હે ભગવન્! નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ ! જઘન્યથી દશ હજાર વર્ષની સ્થિતિ કહી છે, ઉત્કૃષ્ટતાથી તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળે શ્વાસ લે છે? અને કેટલે કાળે શ્વાસ મૂકે છે? હે - ગૌતમ ! (પન્વણામાં) ઉચ્છુવાસ પદમાં કહ્યું છે તેમ જાણવું. હે ભગવન્! નૈરયિકો આહારાર્થી છે ? હે ગૌતમ ! જેમ પન્નવણાના આહારપદના પહેલા ઉદ્દેશકમાં કહ્યું છે, તેમ જાણી લેવું. [12] નૈરયિકોની સ્થિતિ ઉચ્છવાસ, આહાર વિષયક કહેવું. શું તેઓ આહાર કરે ? સર્વ આત્મ પ્રદેશે આહાર કરે ? કેટલામો ભાગ આહાર કરે? અને આહારક દ્રવ્યોને કેવા વારંવાર પરિણમાવે? [13] હે ભગવન્! નરયિકોએ પૂર્વે આહારેલા પુદ્ગલો પરિણામને પામ્યાં ? આહરેલા તથા આહરાતા પુદ્ગલો પરિણામને પામ્યાં ? જે પુગલો અનાહારિત-નહીં આહરેલા છે તે તથા આહરાશે તે પરિણામને પામ્યાં? કે જે પુદ્ગલો નહીં આવેલા છે તે તથા નહીં આહારાશે તે પરિણામને પામ્યાં ? હે ગૌતમ ! નૈરયિકોએ પૂર્વે આહરેલા પુદ્ગલો પરિણામને પામ્યાં, આહરેલા પુદ્ગલો પરિણામને પામ્યાં અને આહારતાં પુદ્ગલો પરિણામને પામે છે. નહીં આહરેલા પુદ્ગલો પરિણામને પામ્યાં નથી અને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy