SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ -109 413 કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની હોય છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની અજઘન્ય- અનુત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. તે દેવો તેત્રીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને તેત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ તેત્રીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૩૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૩૪ ) | [11] તીર્થકરોના અતિશય ચોત્રીસ છે - મસ્તકનાવાળ, દાઢી, રોમ, નખ મર્યાદાથી વધારે વધતા નથી શરીર સ્વસ્થ અને નિર્મલ રહે છે. રક્ત અને માંસ ગાયના દૂધ જેવું શ્વેત હોય છે પદ્મગંધની સમાન સુગંધીત શ્વાસોચ્છવાસ હોય છે. છઘસ્થની દ્રષ્ટિએ તેમના આહાર નિહાર દેખાતા નથી. તીર્થકરદેવની આગળ આકાશમાં ધર્મચક્ર હોવું. તેમના ઉપર ત્રણ છત્રનું હોવું. આકાશગત બે સુંદર અને સફેદ ચામરોનું હોવું. આકાશની સમાન સ્વચ્છ ટિક મણિનું બનાવેલું પાદપીઠિકા સહિતનું સિંહાસન હોવું. તીર્થંકર દેવની આગળ આકાશમાં હજાર નાની પતાકાઓથી શોભિત ઈન્દ્રધ્વજનું ચાલવું. અરિહંત ભગવાન જ્યાં જ્યાં થોભે છે ત્યાં ત્યાં તે જ ક્ષણે સઘન પત્ર, પુષ્પ અને પલ્લવોથી સુશોભિત છત્ર, ધ્વજ, ઘંટ એવં પતાકા સહિત અશોક વૃક્ષનું ઉત્પન્ન થવું. મસ્તકની પાછળ દશે દિશાને પ્રકાશિત કરનાર તેજોમંડળનું હોવું તીર્થંકર જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં ભૂભાગનું સમતલ હોવું. તેઓ જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં કંટકોનું અધોમુખ થતું. તેઓ જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં ઋતુઓનું અનુકૂલ હોવું. જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં સંવર્તક વાયુદ્વારા એક યોજન સુધી ક્ષેત્રનું શુદ્ધ થઈ જવું મેઘ દ્વારા રજનું ઉપશમન હોવું જાનુ પ્રમાણ દેવકૃત પુષ્પોની વૃષ્ટિ થવી અને પુષ્પોના ડંઠલોનું અધોમુખ થવું. અમનોજ્ઞ શબ્દ, રૂ૫, ગંધ, રસ અને સ્પર્શનું ન રહેવું. મનોજ્ઞ શબ્દ રૂપ, ગંધ, રસ સ્પર્શનું પ્રગટ થવું યોજન પર્યંચ સંભળાતો હૃદય સ્પર્શી સ્વર હોવો. અર્ધમાગધી ભાષામાં ઉપદેશ દેવો. તે અર્ધમાગધી ભાષામાં ઉપસ્થિત આર્યઅનાર્ય. દ્વીપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી અને સરીસૃપોની ભાષામાં પરિણત થવું અને તેઓને હિતકારી, સુખકારી એવું કલ્યાણકારી પ્રતીત થવું. પૂર્વભવના વેરાનુબંધથી બંધાયેલ દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરૂષ. ગરૂડ, ગંધર્વ અને મહોરગો અરિહંત ભગવાનના ચરણ આગળ પ્રસન્ન ચિત્ત થઈને ધમોપદેશનું શ્રવણ કરે છે. અન્યતીર્થિકોનું નતમસ્તક થઈને વંદન કરવું. અરિહંતની સમીપે આવીને અન્યતી- ર્થિકોનું નિરૂત્તર થઈ જવું. જ્યાં જ્યાં અરિહંત ભગવાન પધારે ત્યાં ત્યાં પચીસ યોજન પર્યત ઉંદર આદિનો ઉપદ્રવ ન થવો. પ્લેગ આદિ મહામારીનો ઉપદ્રવ ન થવો. સ્વસેના- નો વિપ્લવ ન હોવો.અન્ય રાજ્યની સેનાનો ઉપદ્રવ ન થવો.અધિક વય ન હોવી. વષનો અભાવ ન હોય દુકાળ ન થાય. પૂવત્પન્ન ઉત્પાત તથા વ્યાધિઓનો ઉપશાન્ત થઈ જવું. જંબૂદ્વીપમાં ચોવીસ ચક્રવર્તી વિજય છે. મહાવિદહેમાં-૩૨, ભરતમાં-૧, ઐર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy