________________ - - - 40 સમવાય-૧૮ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર સાગરોપમની છે, કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સહસ્ત્રાર કાના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ. અઢાર સાગરોપમની છે. આનત કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ અઢાર સાગરોપમની છે. કાલ, સુકલ, મહાકાલ. અંજન રિઝ, શાલ, સમાન, દ્રુમ, મહાદુમ, વિશાલ, સુશાલ, પદ્મ, પદ્મગુલ્મ, કુમુદ, કુમુદ-ગુલ્મ, નલિન, નલિનગુલ્મ, પૌંડરિક, પોંડરીકગુલ્મ, સહસ્ત્રારાવતંસક આ વીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની સ્થિતિ અઢાર સાગરોપમની છે. તે દેવોને અઢારહજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવ એવા છે કે જેઓ અઢાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુખોનો અંત કરશે. [ સમવાય-૧૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૧૯) જ્ઞાતાધર્મસ્થાના ઓગણીસ અધ્યયનો છે-ઉક્ષિપ્ત, જ્ઞાતિ, સંઘાટક, અંડ, કૂર્મ, સેલક, તુંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રિક, દાવદવ, ઉદકજ્ઞાત, મેંઢક, તેતલી, નિંદીફલ, અવરકંકા, આકીર્ણ સુસુમાં, પુંડરીકજ્ઞાત. ૪૯]જબૂદ્વીપમાં સૂર્ય 1900 યોજન સુધી ઉંચે નીચે તપે છે. શુક્ર નામનો મહાગ્રહ પશ્ચિમ દિશામાં ઉદય પામીને 19 નક્ષત્રો સાથે યોગ કરીને પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે. જંબુદ્વીપના ગણિતમાં કલાનું પરિમાણ એક યોજનના ઓગણીસ ભાગનું છે. 19 તીર્થકરો અગારવાસમાં રહીને અથતુ રાજ્યપદ ભોગવીને દક્ષિત થયા હતા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરવિ- કોની સ્થિતિ 19 પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ 19 સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. આણત કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. પ્રાણી કલ્પના દેવોની જધન્ય સ્થિતિ, ઓગણીસ સાગરોપમની છે. આણત, પ્રાણત, નત, વિનત, ધન, સુષિર, ઈદ્ર ઈન્દ્રકાન્ત, ઈન્દ્રોત્તરાવતંસક આ નવ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. આણત-વાવ-ઈન્દોરાવતંસક વિમાન-માં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવો ઓગણીસ પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. આણત, યાવતુ-ઈન્દ્રોત્તરાવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવોને ઓગણીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ઓગણીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત સમસ્ત દુ:ખોનો અંત કરશે. | સમવાય-૧૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપી (સમવાય-૨૦) [૫૦]અસમાધિના વીસ સ્થાનો કહ્યા છે અત્યંત ઝડપથી ચાલવું, પ્રમાર્જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org