SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 394 સમવાય-૧૨ કેટલાક ભવસિદ્ધિ જીવો એવા છે કે જે અગિયાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૨ ) [૨૦]ભિક્ષપ્રતિમા બાર છે-પ્રથમ ભિક્ષપ્રતિમા એકમાસની, બીજી ભિક્ષ પ્રતિમા બે માસની, ત્રીજી ભિક્ષુપ્રતિમા ત્રણ માસની, ચોથી ભિક્ષપ્રતિમા ચાર માસની, પંચમી ભિક્ષુ પ્રતિમા પાંચ માસની, છઠ્ઠી ભિક્ષુપ્રતિમા છ માસની, સાતમી ભિક્ષુપ્રતિમા સાત માસની, આઠમી ભિક્ષુ પ્રતિમા આઠમા મહિનાના પ્રથમ અઠવાડિયા (સાત દિન રાત) ની, નવમી ભિક્ષુ પ્રતિમા આઠમા માસના બીજા અઠવા- ડિવાની (સાત દિવસ રાત્રની), દસમી ભિક્ષુ પ્રતિમા આઠમા માસના ત્રીજા અઠવાડિ- યાની, અગિયારમી ભિક્ષુ પ્રતિમાં એક અહો રાત્રિની, બારમી ભિક્ષુ પ્રતિમા એક રાત્રિની છે. [૨૧-૨૨]સાધુના બાર વ્યવહાર (સંભોગ) છે. સમાન સમાન સમાચારી વાળા સાધુઓનો એક મંડળીમાં જે આહારાદિ વ્યવહાર થાય છે તેને સંભોગ કહે છે. તે બાર પ્રકારના છે-ઉપાધિ-વસ્ત્ર પાત્ર આદિ, મૃત સંભોગ ભક્ત-પાન સંભોગ, અંજલપ્રગ્રહ સંભોગ, દાનસંભોગ, નિમંત્રણસંભોગ, અભ્યત્યાન સંભોગ, કૃતિકર્મ સંભોગ, વૈયાવૃત્વ સંભોગ, સમવસરણ-સંમિલનસંભોગ, સંનિષદ્યાસંભોગ, કથાપ્રબંધસંભોગ [૨૩-૨૪]દ્વાદશાવર્ત વંદના અથત વંદન બાર આવર્તવાળુ હોય છે-બે વાર અર્ધનમન, ચાર વાર મસ્તક નમન, ત્રિગુપ્ત, દ્વિપ્રવેશ, એક નિષ્ક્રમણ. રિપોઆયામ (લંબાઈ) અને વિખંભ (પહોળાઈ) ની અપેક્ષાએ વિજ્યા નામની રાજધાની બાર લાખ યોજનની કહી છે. રામ બલદેવ બારસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને દેવગતિને પ્રાપ્ત થયા. મંદર પર્વતની ચૂલિકા મૂળમાં વિખંભની અપેક્ષાએ બાર યોજનની છે. આખા વર્ષમાં સૌથી ટૂંકી રાત્રિ બાર મુહૂર્તની હોય છે. આખા વર્ષમાં સૌથી ટૂંકો દિવસ બાર મહીનો હોય છે. સર્વાર્થસિદ્ધમાં વિમાનની ઉપરની તૃપિકાના એગ્રભાગથી બાર યોજન ઉપર ઈષ~ાભાર નામની સિદ્ધશિલા છે. ઈષપ્રોભારા પૃથ્વીના બાર નામ છે–ઈષત્, ઈષપ્રાગભાર, તનુ, તનુતરા, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, બ્રહ્મ, બ્રહ્માવતેસક, લોકપ્રતિપૂરણ, લોકાગ્રચૂિલિકા. આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બાપલ્યોપમની છે. ધૂમપ્રભાપુથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બારસાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોનીં સ્થિતિ બાર પલ્યોપમની છે. સૌધર્મ ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિર્તિ બારપલ્યોપમની છે. લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાર સાગરોપમની છે. માહેન્દ્ર, માહેન્દ્રધ્વજ, કબુ, કબુગ્રીવ, પુખ, સુપુખ, મહાપુખ, પુંડ, સુકુંડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્ર કાન્ત, નરેદ્રાવતંસક, આ તેર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર સાગરોપમની છે. તેઓ બાર પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તેઓને બાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવ એવા છે જેઓ બાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧૨-ની નિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy