SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૩, ઉદેસી-૩ 259 સંબંધી પ્રેમભાવ નષ્ટ થઈ જાય છે. અને દિવ્ય કામભોગો પ્રત્યે આકર્ષણ થાય છે. દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ દિવ્ય કામ ભોગોમાં મૂર્શિતચાવતુ-તન્મય બનેલો એવું વિચારે છે કે “હમણાં ન જાઉં, એક મુહૂર્ત પછી જ્યારે નાટકાદિ પૂરા થઈ જશે ત્યારે જઈશ” એટલા કાલમાં તો અલ્પ આયુષ્યવાળા મનુષ્યો મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. આ ત્રણ કારણોથી નવીન ઉત્પન્ન થયેલ દેવ મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા છતાં પણ શીધ્ર આવી શકતો નથી. ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા છતાં પણ શીધ્ર આવવામાં સમર્થ થાય છે જેમ કે દેવ લોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામ ભોગોમાં મૂર્શિત નહિ હોવાથી વૃદ્ધ ન હોવાથી, આસક્ત નહિ હોવાથી તેને વિચાર થાય છે કે મનુષ્ય-ભવમાં મારા આચાર્ય, ઉપાધ્યાય પ્રવર્તક, સ્વવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક છે જેના પ્રભાવથી મને આ પ્રકારની દેવતાની દિવ્યદ્ધિ, દિવ્યવૃતિ, દિવ્યદેવશક્તિ વૈકિયાદિની શક્તિ મળી, પ્રાપ્ત થઇ, તેથી જાઉં અને તે ભગવાનને વંદન કરે, નમસ્કાર કરું તેમનો સત્કાર કરે, કલ્યાણકારી મંગલકારી દેવ સ્વરૂપ માનીને તેમની સેવા કરૂં. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્શિત નહીં હોવાથી - યાવતું - તન્મય નહીં હોવાથી એવો વિચાર કરે છે કે “આ મનુષ્યભવમાં જ્ઞાની છે, તપસ્વી છે અને અતિદુષ્કર ક્રિયા કરનાર છે. તેથી જાઉં અને તે ભગવંતોને વંદન કરું, નમસ્કાર કરુંચાવતું તેની સેવા કરું. દેવલોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્શિતચાવતું-તન્મય નહીં થતા એવો વિચાર કરે છે કે મનુષ્યભવમાં મારી માતા-યાવતું મારી પુત્રવધુ છે, તેથી જાઉં અને તેની સમીપ પ્રગટ થાઉં જેથી તે મારી આ પ્રકારની મળેલી, પ્રાપ્ત થયેલી દિવ્ય દેવદ્ધિ દિવ્યધુતિ અને દિવ્યશક્તિને જુવે. આ ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યલોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરે તો શીઘ આવી શકે છે. 191 ત્રણ સ્થાનો એવા છે જેઓની દેવતા પણ અભિલાષા કરે છે, જેમકેમનુષ્યભવ, આય ક્ષેત્રમાં જન્મ, ઉત્તમ કુલમાં ઉત્પત્તિ. ત્રણ કારણોથી દેવ પશ્ચાતાપ કરે છે, જેમ કે- અહો ! શારીરિક બળ, આત્મોલ્લાસ રૂપ વીર્ય પુરૂષકાર પરાક્રમ, ઉપદ્રવના અભાવરૂપાક્ષેમ અને સુકાલ હોવા છતાં પણ અને આચાર્ય તથા ઉપાધ્યાયની વિદ્યમાનતા, નીરોગ શરીર આટલી સામગ્રી મળવા છતાં પણ મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું નહીં. અહો ! હું વિષયોનો લોલુપ બની આ લોકમાં ફસાઈ રહ્યો, પરલોકથી વિમુખ બન્યો, તે કારણે દીર્ઘ સમય સુધી શ્રમય પયયનું પાલન કરી શક્યો નહીં. અહો ! દ્ધિ રસ અને રૂપના ગર્વમાં ફસાઈ અનો ભોગોમાં આસક્ત થઈને મેં વિશુદ્ધ ચારિત્રનો સ્પર્શ પણ કર્યો નહીં. આ ત્રણ કારણોથી દેવો પશ્ચાત્તાપ કરે છે. [192 ત્રણ કારણોથી દેવ “હું અહીંથી ત થઇશ” એમ જાણી લે છે. જેમ કેવિમાન અને આભરણોની કાન્તિહીન જોઈને, કલ્પવૃક્ષને પ્લાન થતા જોઈને અને પોતાની તેજલેશ્યા ક્ષીણ થતી જોઈને. આ ત્રણ પ્રકારના ચિહ્નોથી દેવ પોતાનું ચ્યવન જાણે છે. ત્રણ કારણોથી દેવ ઉદ્વિગ્ન થાય છે. જેમ કે- અરે! મને આ પ્રકારની મળેલી પ્રાપ્ત થયેલી અને સન્મુખ આવેલી દિવ્યદેવદ્ધિ, દિવ્યદેવતિ અને દિવ્યશક્તિ છોડવી પડશે. અરે ! અને માતાના આર્તવ (રજ) અને પિતાના વીર્યના સંમિશ્રણનો સર્વ પ્રથમ આહાર કરવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy