SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૩, ઉદેસી-૩ રપ૭. તેઓ નથી પૂછતા, જે પૂર્વકૃત કર્મ દુખરૂપ નથી હોતા, તે પણ તે નથી પૂછતા, પણ જે પૂર્વકર્મ નથી પરંતુ દુઃખરૂપ છે તેના માટે તે પૂછે છે. આશય એ છે કે જેમ અન્ય તીર્થિકો અકતકર્મ પ્રાણીઓને દુઃખ આવે છે, એ પ્રમાણે માને છે. તેમ શું નિગ્રંથો પણ એ પ્રમાણે માને છે? અકતકર્મને દુઃખના કારણભૂત માનવાવાળા વાદીઓનું આ કથન છે કે- કર્મ કર્યા વિના દુઃખરૂપ થાય છે. કર્મનો સ્પર્શ કર્યા વિના દુઃખ થાય છે, કરેલા અને કરાતા કમાં વિના દુખ થાય છે. પ્રાણી, ભૂત, જીવ અને સત્વ કર્મ કર્યા વિના વેદનાનો અનુભવ કરે છે એમ સમજવું. જે લોકો એમ કહે છે તે મિથ્યા કહે છે. હું એમ કહું છું, બોલું છું અને પ્રરૂપણા કરું છું, કે કર્મ કરવાથી દુઃખ થાય છે, કમનો સ્પર્શ કરવાથી દુઃખ થાય છે. કરાતા અને કરેલા કમથી દુઃખી થાય છે, પ્રાણી, ભૂત, જીવ અને સત્વ કર્મ કરીને વેદનાનો અનુભવ કરે છે. (કર્યા વિના નહિ) એમ સમજવું. સ્થાનઃ૩-ઉદેસોરની મુરિદીપરત્નસાગરે કરેલગુજરછાયા પૂર્ણ | (ાનઃ૩-ઉસોઃ૩) [11] માયાવી માયાનું સેવન કરીને તેની ત્રણ કારણોથી આલોચના કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી. આત્મ સાક્ષી એ નિન્દા કરતો નથી. ગુરુની સમક્ષ ગહ કરતો નથી, તે વિચારને દૂર કરતો નથી, તેની શુદ્ધિ કરતી નથી. તેને ફરી નહીં કરવાને માટે તત્પર થતો નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપશ્ચય અંગીકાર કરતો નથી. તે ત્રણ કારણો આ છે- તે એવો વિચાર કરે છે કે ભૂતકાળમાં મેં અમુક કાર્ય કર્યું છે, વર્તમાનમાં પણ હું આ કાર્ય કરું છું અને ભવિષ્ય કાળમાં પણ હું આ કાર્ય કરવાનો છું તો શા માટે તેની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, મહી કરવી જોઈએ. ત્રણ કારણોને લીધે માયાવી જીવ માયા કરીને તેની આલોચના, પ્રતિક્રમણ કરતો નથી-ચાવતુ તપશ્ચર્યા અંગીકાર કરતા નથી. જેમ કે- મારી અપકીતિ થશે, મારો અવર્ણવા થશે.મારો તિરસ્કાર થશે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને પણ આલોચના કરતા નથી-યાવતુ તપ અંગીકાર કરતા નથી. જેમ કે મારી કીર્તિ ક્ષીણ થશે, મારો યશ હીન થશે. મારી પૂજા ઓછી થઈ જશે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની આલોચના કરે છે, પ્રતિક્રમણ કરે છે. થાવતુ તપ અંગીકાર કરે છે, કારણ કે (એ સમજે છે કે) માયાવીની આ લોકમાં નિન્દ થાય છે. પરલોક પણ માયાવી નિન્દનીય થાય છે અને અન્ય આગામી જન્મ પણ ગહિત થાય છે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે. - યાવતુ તપઅંગીકાર કરે છે. જેમ કે અમાયાવીનો આ લોક પ્રશસ્ત હોય છે, પરલોકમાં જન્મ પ્રશસ્ત થાય છે. અન્ય જન્મ પણ પ્રશંસનીય થાય છે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે યાવતુ તપ અંગીકાર કરે છે. જેમ કે- જ્ઞાનને માટે, દર્શનને માટે ચારિત્રને માટે [182] ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. જેમ કે- સૂત્રના ધારક, અર્થના ધારક અને સૂત્રાર્થ-ઉભયના ઘારક. [183 સાધુ અને સાધ્વીઓને ત્રણ પ્રકારના વસ્ત્ર ધારણ કરવા અને પહેરવા કહ્યું છે. જેમકે- ઉનનું શણનું, અને સૂતરનું-બનેલું. સાધુ અને સાધ્વીઓને ત્રણ પ્રકારના પાત્રો ધારણ કરવા અને ઉપયોગમાં લેવા કહ્યું છે. જેમ કેતુમ્બીનું પાત્ર, લાકડાનું પાત્ર, અને માટીનું પાત્ર. 17 Jalsdlcation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy