SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 250 ઠા - 31/140 રોને અસુર કુમાર સમાન ત્રણ અશુભ લેયાઓ સમજવી. વૈમાનિક દેવોને ત્રણ વેશ્યા છે, તેજલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. [141 ત્રણ કારણોથી તારા પોતાનાં સ્થાનથી ચલિત થાય છે, જેમ કે- વિક્રિય કરતા, વિષયસેવન કરતા, એક સ્થાનથી બીજા સ્થાન પર સંક્રમણ કરતા ત્રણ કારણોથી દેવ વિધુત્કાર કરે છે. જેમ કે-વૈક્રિય કરતા, વિષય-સેવન કરતા, તથારૂપ શ્રમણ માહણને પોતાની દ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય અથવા પુરષકાર પરાક્રમ બતાવતા. ત્રણ કારણોથી મેઘ-ગર્જના કરે છે. જેમ કે- વૈક્રિય કરતો થકો ઈત્યાદિ જે કારણો વિદ્યુત્કાર માટે કહ્યાં તે અહીં સમજવા. [12] ત્રણ કારણોથી લોકમાં અંધકાર થાય છે. અહંત ભગવાનને નિવણ પ્રાપ્ત થવા પર. અહતપ્રરૂપિત ધર્મ નો વિચ્છેદ થવા પર. પૂર્વગતશ્રત (ચૌદ પૂર્વી વિનષ્ટ થવા પર. ત્રણ કારણો એ લોકમાં ઉધોત થાય છે, જેમ કે- જ્યારે તીર્થકર ભગવાન જન્મ ધારણ કરે છે ત્યારે. તીર્થકર ભગવાન જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે. તીર્થકર ભગવાનનો જ્યારે કેવલ જ્ઞાન મહોત્સવ થાય છે ત્યારે. ત્રણ કારણોથી દેવભવનોમાં અંધકાર થઈ જાય છે-અહત ભગવાન નિર્વાણ પામે છે ત્યારે, જ્યારે અહંત પ્રરૂપિત અમી વિચ્છેદ પામે ત્યારે, જ્યારે પૂર્વગત મૃત વ્યચ્છિન્ન થાય છે ત્યારે, ત્રણ કારણોને લીધે દેવભવનોમાં ઉદ્યોત વ્યાપી જાય છે. જ્યારે અહંત ભગવંતનો જન્મ મહોત્સવ થવા પર. “અહિત” ભગવંતનો દીક્ષા મહોત્સવ થવા પર, અહંત ભગવાનનો કેવળજ્ઞાન- મહોસવ થવા પર. ત્રણ પ્રસંગ પર દેવ આ પૃથ્વી પર આવે છે, જેમકે-અહંતના જન્મમહોત્સવ થવા પર, અહિતના દીક્ષા મહોત્સવ પર, અહિતના કેવલ- જ્ઞાન-મહોત્સવ પર, આ ત્રણ કારણોને લીધે દેવોનું એક જગ્યાએ એકત્ર થવાનું થાય છે, એ જ ત્રણ કારણોને લીધે દેવતાઓમાં હર્ષનાદ થાય છે. ત્રણ પ્રસંગ પર દેવ મનુષ્યલોકમાં શીઘ આવે છે, જેમકે અહત પ્રભુના જન્મ-મહોત્સવ પર, અહંતપ્રભુના દીક્ષા મહોત્સવ પર, અતિ પ્રભુના કેવલજ્ઞાન-મહોત્સવ પર, એ પ્રમાણે સામાનિક દેવો, ત્રાયશિક દેવો, લોકપાલ દેવો. અગ્રમહિષી દેવીઓ પારિષધ દેવો, સેનાધિપતિ દેવો. આત્મરક્ષક દેવો પણ મનુષ્ય લોકમાં શીઘ આવે છે. ત્રણ પ્રસંગે ઉપસ્થિત થવા પર દેવો પોતાના સિંહાસનથી ઊઠે છે, જેમ કે અહંન્તોના જન્મ - મહોત્સવ પર, અહંન્તોના દક્ષામહોત્સવ પર, અહંન્તોના કેવલજ્ઞાન-મહોત્સવ પર. એ પ્રમાણે પૂર્વોક્ત ત્રણ પ્રસંગો ઉપરદેવોનું આસન ચલાયમાન થાય છે. દેવો સિંહનાદ કરે છે અને વસ્ત્ર-વૃષ્ટિ કરે છે ત્રણ પ્રસંગો પર દેવતાઓના ચિત્ય વૃક્ષ ચલાયમાન થાય છે, જેમ કે-અહંન્તોના જન્મ-મહોત્સવ પર ઇત્યાદિ પૂર્વત કહેવું. ત્રણ પ્રસંગો પર લોકાંતિક દેવ મનુષ્યલોકમાં શીધ્ર આવે છે, જેમ કે-અહંન્તોના જન્મ-મહોત્સવ પર, તેના દિક્ષા-મહોત્સવ પર, તેના કેવલજ્ઞાન-મહોત્સવ પર. [143 હે આયખાનશ્રમણો ? ત્રણનો પ્રત્યુપકાર એટલે ત્રણના ઉપકારનો બદલો વાળવો કઠિન છે, જેમ કે માતાપિતાનો, ભતનો અને ધર્માચાર્યનો કોઈ પુરુષ (પ્રતિદિન) પ્રાતઃકાલ માતા-પિતાને શતપાક સહસ્ત્રપાક તેલથી મર્દન કરીને સુગન્ધિત ગંધચૂર્ણ વડે તેમના શરીરનું ઉબટન કરે. ત્રણ પ્રકારના પાણી (ગન્ધોદક, ઉષ્ણોદક, શિતોદક)થી સ્નાન કરાવે. સર્વ અલંકારોથી વિભૂષિત કરીને મનોજ્ઞ હંડીમાં પકાવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy