SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 244 હાં- 29 હોવાના કારણે અભેદ નયની અપેક્ષાથી જીવ યા અજીવ કહેલા છે. 10] બે રાશિઓ કહેલ છે- જીવ રાશિ અને અજીવ રાશિ. બંધ બે પ્રકારનાં કહેલ છે. - રાગ અને દ્વેષ. જીવ બે પ્રકારથી પાપ કર્મ બાંધે છે. રાગથી અને દ્વેષથી. જીવ બે પ્રકારથી પાપ કમોની ઉધરણા કરે છે. ભુપગમિક વેદનાથી (સ્વેચ્છાથી સ્વીકૃત વેદનાથી) અને ઔપક્રમિકી વેદનાથી (કમદયના કારણ થી હોવાવાળી વેદનાથી) એ જ પ્રમાણે બે પ્રકારોથી જીવ કમનું દાન કરે છે અને બે પ્રકારથી નિર્જરા પણ કરે છે એટલે આભુપગમિક વેદનાથી અને ઔપક્રમિક વેદનાથી. 101 બે પ્રકારથી આત્મા શરીરનો સ્પર્શ કરી બહાર નીકળે છે. જ્યારે ઇલિકા ગતિથી આત્મા બહાર નીકળે છે, ત્યારે એક દેશથી શરીરનો સ્પર્શ કરીને નીકળે છે અને જ્યારે કકગતિથી નીકળે છે, ત્યારે સર્વદિશથી સ્પર્શ કરીને નીકળે છે. એપ્રમાણે બે પ્રકારથી રણ કરી સ્ફોટન કરી અને સંકોચન કરીને, આત્મા શરીરથી બહાર નીકળે છે. [102] બે પ્રકારથી આત્માને કેવલી પ્રરૂપ્ત ધર્મ સાંભળવા મળે છે. કર્મોના ક્ષયથી અને ઉપશમથી. આ પ્રમાણે યાવતુ- બે કારણોથી જીવને મનઃ પયયજ્ઞાન ઉત્પન્ન થાય છે (ઉદય પ્રાપ્ત કર્મોનો ક્ષય અને અનુદિત કર્મનો ઉપશમ.). [13-106 ઓપમિક કાળ બે પ્રકારનો કહેલ છે- પલ્યોપમ અને સાગરોપમ. પલ્યોપમનું સ્વરૂપ શું છે? એક યોજન વિસ્તારવાળા પલ્ય એક દિવસના અથવા ઉત્કૃષ્ટ સાત દિવસના ઉગેલાવાળોના અગ્રભાગ નિરંતર અને નિવિડ રૂપથી ઠસોઠસ ભરવામાં આવે અને સો-સો વર્ષમાં એક એક વાળ કાઢવાથી જેટલા વર્ષમાં તે પલ્ય ખાલી થઈ જાય તેટલા કાળને એક પલ્યોપમ સમજવું જોઈએ. એવા 10 ક્રોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ કાળ હોય છે. [10] ક્રોધ બે પ્રકારનો કહેલ છે. આત્મપ્રતિષ્ઠિત અને પ્રતિષ્ઠિત. પોતે પોતાની ઉપર હોવાવાળો અથવા પોતાના વડે ઉત્પન્ન કરેલ ક્રોધ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. બીજાપર થવાવાળો યા બીજાવડે ઉત્પન્ન કરેલ ક્રોધ પ્રતિષ્ઠિત કહેવાય છે. એ પ્રમાણે નારકથાવતુ વૈમાનિકો સંબંધી ઉક્ત માન, માયા, યાવત મિથ્યાદર્શન શલ્ય સુધીના બધા પાપસ્થાનકોના બે-બે ભેદો જાણવા તથા નારકોથી લઈ વૈમાનિક દેવો સુધીના ચોવીસ દેડકોના જીવોના ક્રોધાદિ પણ સમજવા જોઈએ. 108-109 સંસારસમાપન્નક (સંસારી) જીવ બે પ્રકારના કહેલ છે- ત્રસ અને સ્થાવર, સર્વ જીવ બે પ્રકારનાં કહેલ છે- સેન્દ્રિય અને અનિદ્રિય. આ પ્રમાણે સારીરી અશરીરી પર્યન્ત નિમ્ન ગાથાથી સમજવું જોઈએ. જેમ કે-જીવ બે પ્રકારના છે - સિદ્ધ અસિદ્ધ, સેન્દ્રિય અનિદ્રિય, સકાય અકાય, સયોગી અયોગી, સવેદી અવેદી, સકષાય અકષાય, સલેશ્ય અલેશ્ય, જ્ઞાની અજ્ઞાની, સાકારોપયુક્ત અનાકારોપયુક્ત, આહારક અનાહારક, ભાષક અભાષક, ચરમ અચરમ અને સશરીરી અશરીરી. [11] શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે બે પ્રકારના મરણોને ઉપાદેય કહ્યા નથી તે મરણોને નિરૂપિત કર્યો નથી. વ્યક્તિ વચનો. દ્વારા પ્રરૂપિત કર્યા નથી, તેમની પ્રશંસા કરી નથી, તેમની અનુમોદના પણ કરી નથી. તે બે મરણો નીચે પ્રમાણે સમજવાઃ વલનમરણ (સંયમમાં ખેદ પામતા મરવું તે) અને વશાત મરણ (ઇન્દ્રિય વિષયોને વશ થઈ પતંગની જેમ મરવું તે) તથા એ પ્રમાણે નિદાન મરણ (ઋદ્ધિ ભોગ આદિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy