SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 382 ઠાસ-૧૦-૯૯૩ ૯િ૯૩દશમિકા ભિક્ષુ પ્રતિમાની એક સો દિવસથી અને પપ૦ ભિક્ષાદત્તિથી સૂત્રાનુસાર યાવતું આરાધના થાય છે. દિ૯૪]સંસારી જીવ દશ પ્રકારના છે. જેમકે–પ્રથમસમયઉત્પન્ન એકેન્દ્રિય, અપ્રથમ સમયોત્પન્ન એકેન્દ્રિય. યાવતુ અપ્રથમ સમયોત્પન્ન પંચેન્દ્રિય. સર્વ જીવ દશ પ્રકારના છે. જેમકે–પૃથ્વીકાય યાવતું વનસ્પતિકાય, બેઈન્દ્રિય યાવતું પંચેન્દ્રિય અને અનિન્દ્રિય (સિદ્ધ). સર્વ જીવ દશ પ્રકારના છે. જેમકે- પ્રથમ સમયોત્પન્ન નૈરયિક, અપ્રથમ સમયોત્પન્ન નૈરયિક, યાવતુ અપ્રથમ સમયોત્પન્ન દેવ, પ્રથમ સમયોત્પન્ન સિદ્ધ, અપ્રથમ સમયોત્પન્ન સિદ્ધ. [૯૫-૯૯૬સો વર્ષની આયુષ્યવાળા પુરૂષની દસ દશા કહેલી છે. જેમકેબાલદશા-જેમાં સુખદુઃખનું વિશેષ જાણપણું ન હોય. ક્રિીડા દશા-જેમા ક્રિીડા કરવાનું વિશેષ મન હોય. મંદ દશા-જેમાં ભોગમાં જ રતિ હોય પરંતુ વિશેષ બલ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે નહીં. બલ દશા-જે અવસ્થામાં બળવાન હોય-બળપૂર્વક કાર્ય કરી શકે. પ્રજ્ઞા દશા-જેમાં ઈચ્છિત અર્થ કરવાની બુદ્ધિ હોય. હાયની દશા-જેમાં પુરૂષ કામથી વિરકત. થાય અને ઈન્દ્રિઓના બળની હાનિ થાય. પ્રપંચા દશા-જેમાં ચીકણા શ્લેષ્માદિ નીકળે અને ખાંસી પ્રમુખ ઉપદ્રવ હોય. પ્રાગુભારાદશા-જેમાં વૃદ્ધાવસ્થાના ભારથી ગાત્ર સંકુચિત થઈ જાય. મુમુખી દશા જેમાં જરાવડે અતિશય પીડાવાથી જીવવાની પણ ઈચ્છા ન હોય. શયની દશા જે દશામાં સૂતો રહે છે અને દુઃખીત હોય છે. ૯િ૯૭ીતણ વનસ્પતિકાય દસ પ્રકારના છે. જેમકે-મૂલ, કંદ, અંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ. [૯૯૮]વિદ્યાધરોની શ્રેણીઓ ચારે તરફથી દસ-દસ યોજન પહોળી છે. અભિયોગિક દેવોની શ્રેણીઓ ચારે તરફથી દસ-દસ યોજન પહોળી છે. [૯૯૯]રૈવેયક દેવોના વિમાન દસ યોજન ઊંચા છે. [૧૦૦dદશ કારણોથી તેજોલેશ્યા સહિત વર્તતા અનાર્યને સાધુ ભસ્મિભૂત કરે. જેમકે–તેજલેશ્યા લબ્ધિયુક્ત શ્રમણ-બ્રાહ્મણની જો કોઈ અશાતના કરે તો તે અશાતના કરવાવાળા પર કુપિત થઈને તેજલેશ્યા છોડે છે. તેથી પીડિત થઈને તે ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે શ્રમણ-બ્રાહ્મણની અશાતના થતી જોઈને કોઈ દેવતા કુપિત થાય છે. અને તેજલેગ્યા છોડીને અશાતના કરવાવાળાને ભસ્મ કરે છે. આ પ્રમાણે શ્રમણ-બ્રાહ્મણની અશાતના કરવાવાળાને દેવતા અને શ્રમણ-બ્રાહ્મણ એક સાથે તેજોશલેશ્યા છોડીને ભસ્મ કરે છે. આ પ્રમાણે જ્યારે તેજલેશ્યા છોડે છે તો આશાતના કરવાવાળાના શરીરમાં ફોડા પડી જાય છે તે ફોડાના ફૂટી જવા પર તે ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે દેવતા અને શ્રમણ-બ્રાહ્મણ એક સાથે તેજલેશ્યા છોડે છે તો આશા તના કરવાવાળા એ પ્રમાણે (પૂર્વવતુ) ભસ્મ થઈ જાય છે. એ પ્રમાણે શ્રમણ-બ્રાહ્મણ જ્યારે તેલેશ્યા છોડે છે તો આશાતના કરવાવાળાને શરીર પર ફોડા પડી ફૂટી જાય છે. પછી નાના નાના ફોડા ઉત્પન્ન થઈને તે પણ ફૂટી જાય છે ત્યારે તે ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે દેવતા જ્યારે તેજોવેશ્યા છોડે છે તો આશાતના કરવાવાળા પૂર્વવત્ ભસ્મ થાય છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy