SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 380 ઠા. 10-977 ૯િ૭૭નૈરયિક દસ પ્રકારના છે. અનંતરોપપન્ક, પરંપરોપન્નક, અનંતરાવગાઢ, પરંપરાહારક, અનંતરાયપ્તિ, પરંપરાપયપ્તિચરમ, અચરમ. આ પ્રમાણે વૈમાનિક સુધી બધા દસ પ્રકારના છે. ચોથી પંકજભા ગૃથ્વીમાં દસ લાખ નારકાવાસ છે, રપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની જધન્ય સ્થિતિ દસહજાર વર્ષની છે. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અસુરકુમારોની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી દશ હજાર વર્ષની સ્થિતિ કહેવી. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની છે. બ્રહ્મલોક કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. [૯૭૮|દસ કારણોથી જીવ આગામી ભવમાં ભદ્રકારક કર્મ કરે છે, જેમકે અનિદાનતા-ધમચિરણના ફલની અભિલાષા ન કરવી, દષ્ટિ સંપન્નતા-સમ્યગ્દષ્ટિ થવું, યોગવાહિતા-તપનું અનુષ્ઠાન કરવું. ક્ષમા-ક્ષમાં ધારણ કરવાથી, જિતેન્દ્રિયતાઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો, અમાયિતા-કપટરહિતતા. અપાર્થસ્થતા- શિથિલાચારી ન થવું. સુબ્રમણ્ય-સુસાધુતા, પ્રવચનવાત્સલ્ય- દ્વાદશાંગ અથવા સંઘનું હિત કરવું. પ્રવચનોભાવના-પ્રવચનની પ્રભાવના કરવી. ૯૭૯ીઆશંસા પ્રયોગ (નિયાણું) દશ પ્રકારે કહેલું છે. જેમકે- આલોક -આશંસા પ્રયોગ- જેમ હું મારા તપના પ્રભાવથી ચક્રવર્તી આદિ થાઉં. પરલોક-આશંસા પ્રયોગ- જેમ હું મારા તપના પ્રભાવથી ઈન્દ્ર અથવા મહર્વિક દેવ બનું. ઉભયલોક-આશંસા પ્રયોગ-જેમ હું મારા તપના પ્રભાવથી આ ભવમાં ચક્રવર્તી બનું અને પરભવમાં ઈન્દ્ર બનું. જીવિત-આશંસા પ્રયોગ- હું લાંબા કાળ સુધી જીવું. મરણ -આશંસા પ્રયોગ-મારું મૃત્યુ જલ્દી થાય. કામ-આશંસા પ્રયોગ-મનોજ્ઞ શબ્દ આદિ મને પ્રાપ્ત થાઓ. ભોગ-આશંસા પ્રયોગ-મનોજ્ઞ ગંધ આદિ મને પ્રાપ્ત થાઓ. લાભઆશંસા પ્રયોગ-કીતિ આદિ પ્રાપ્ત થાઓ. પૂજા આશંસા પ્રયોગ-પુષ્પાદિથી મારી પૂજા થાઓ. સત્કાર- આશંસા પ્રયોગ- શ્રેષ્ઠ વસ્ત્રાદિથી મારો સત્કાર થાઓ. [૯૮૦]ધર્મ દશ પ્રકારના છે. યથા ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, પાખંડધર્મ, કુલધર્મ, ગણધર્મ, સંઘધર્મ, મૃતધર્મ, ચારિત્રધર્મ, અસ્તિકાયધર્મ. 9i81 સ્થવિર દશ પ્રકારના છે, જેમકે ગ્રામસ્થવિર, નગરસ્થવિર, રાષ્ટવિર, પ્રશાસ્તૃસ્થવિર, સંઘસ્થવિર, જાતિસ્થવિર, શ્રુતસ્થવિર, પયયસ્થવિર, ૯૮૨]પુત્ર દશ પ્રકારના છે. જેમકે- આત્મજ-પિતાથી ઉત્પન્ન ક્ષેત્રજ-માતાથી ઉત્પન પરંતુ પિતાના વીર્યથી ઉત્પન્ન ન થઈને અન્ય પુરુષના વીર્યથી ઉત્પન્ન દત્તકગોદમાં લીધેલ પુત્ર, વિનયિત શિષ્ય-જેને ભણાવેલ હોય તે, ઓરસ-જેના પર પુત્ર જેવો ભાવ હોય મૌખર-કોઈને પ્રસન્ન રાખવાને માટે પોતાને તેનો પુત્ર કહેનાર. શૌડીરશૌર્યથી સૂરને વશ કરી પુત્રપણે સ્વીકારાય છે. સંવર્ધિત-પાલન પોષણ કરી કોઈ અનાથ બાળકને મોટો કરાય છે. ઔપયાચિતક-દેવતાની આરાધનાથી ઉત્પન્ન પુત્ર. ધમન્તવાસી- ધમરાધના માટે સમીપ રહેવા વાળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy