SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-ર, ઉદેસો-૧ 229 સંસારસમાપનક. ભવગ્રહણથી રહિત થઈ ગયા છે તે અસંસારસમાપનક કહેવાય છે. શાશ્વત અને અશાશ્વત. સિદ્ધ જીવો શાશ્વત છે. સંસારી જીવ અશાશ્વત છે. પ૮૧ અજીવ બે પ્રકારે કહેલા છે તે આ પ્રમાણે આકાશાસ્તિકાય અને નો-આકાશાસ્તિકાય. ધમસ્તિકાય અને અધમસ્તિકાય. [59] બંધ અને મોક્ષ. પુણ્ય અને પાપ. આશ્રવ અને સંવર. વેદના અને નિર્જરા. [ક ક્રિયા બે પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે - જીવક્રિયા અને અજીવક્રિયા. જીવક્રિયા બે પ્રકારે કહેલી છે. જેમકે-સમ્યક્તક્રિયા અને મિથ્યાત્વક્રિયા. અજીવકિયા બે પ્રકારે કહેલી છે. જેમકે-ઈયપિથિકી ક્રિયા અને સાંપરાયિકી ક્રિયા. ઈય એટલે ગમન. આગમનનો જે પથ હોય તેને ઈપિથ કહે છે. તે ઈયપથમાં જે ક્રિયા થાય તે ઈયપિથિકી ક્રિયા કહેવાય છે. સાંપરાય એટલે કષાય. કષાયથી જે ક્રિયા થાય છે તેને સાંપરાયિકી. ક્રિયા કહે છે. બીજી રીતે ક્રિયા બે પ્રકારની કહેલી છે, - કાયિકી અને આધિકરણિકી ક્રિયા. કાયિકી ક્રિયા બે પ્રકારની કહેલી છે - અનુપરત - કાયક્રિયા અને દુષ્પયુક્ત કાયક્રિયા, આધિકરણિકીક્રિયા બે પ્રકારની છે. - સંયોજનાધિકરણિકી અને નિર્વતનાધિકરણિકી. પ્રાપ્લેષિકી અને પારિતાપનિકીના ભેદથી ક્રિયા બે પ્રકારે છે. પ્રાપ્લેષિકી ક્રિયા બે પ્રકારની કહેલી છે. જેમકે - સ્વહસ્ત - પ્રાણાતિપાત ક્રિયા. અને પરહસ્ત - પ્રાણાતિપાત ક્રિયા. અપ્રત્યાખ્યાન ક્રિયા બે પ્રકારની છે. જેમકે - જીવઅપ્રત્યાખ્યાન ક્રિયા. અજીવે અપ્રત્યાખ્યાન ક્રિયા. આરંભિકી અને પરિગ્રહિતીના ભેદથી ક્રિયા બે પ્રકારની છે. આરંભિકી ક્રિયા બે પ્રકારની છે. જેમકે જીવઆરંભિકી અને અજીવ આરભિકી, એ પ્રમાણે પરિગ્રહિક ક્રિયા બે પ્રકારની છે. જેમકે જીવપરિગ્રહિતી અને અજીવપરિગ્રિહિતી. ક્રિયા બે પ્રકારની કહેલી છે. જેમકે-માયાપ્રત્યયિકી અને મિથ્યાદર્શનપ્રત્યયિકી. માયાપ્રત્યાયિકી ક્રિયા બે પ્રકારની છે. - આત્મભાવવંકનતા અને પરભાવવંકનતા. મિથ્યાદર્શન - પ્રત્યયિકી ક્રિયા બે પ્રકારની છે. - ઉણાઈરિત મિથ્યાદર્શન પ્રત્યયિકી અને તદવ્યતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી. ક્રિયા બે પ્રકારની કહેલી છે. દ્રષ્ટિજા અને પૃષ્ટિજા. દ્રષ્ટિક્રિયા બે પ્રકારની છે. જેમકે-જીવદ્રષ્ટિજા અને અજીવષ્ટિા . એ પ્રમાણે પૃષ્ટિજા પણ જાણવી. બે ક્રિયા કહેલી છે. જેમકે સ્વસ્તિકી અને નૈષ્ટિકી. સ્વસ્તિકી ક્રિયા બે પ્રકારની છે. - જીવ સ્વસ્તિકી અને અજીવ સ્વસ્તિકી. નૈષ્ટિકી ક્રિયા પણ આ પ્રકારે સમજવી. ક્રિયા બે પ્રકારની કહેલી છે. જેમકે - આજ્ઞાપનિકા અને વૈદારણિકા. નૈસૃષ્ટિકી ક્રિયાની જેમ તેમાં પણ બે ભેદ જાણવા. બે ક્રિયાઓ કહેલી છે જેમકે - અનાભોગપ્રત્યયા અને અનવકાંક્ષાપત્યયા. અનાભોગપ્રત્યયા ક્રિયા બે પ્રકારે છે. -અનાયુક્ત આદાનતા અને અનાયુક્ત પ્રમાર્જનતા. અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા બે પ્રકારની છે. જેમકે-આત્મ શરીર અનવકાંક્ષાપ્રત્યયા. અને પરશરીરકાંક્ષા પ્રત્યયા. બે ક્રિયાઓ છે. -રોગપ્રત્યયા અને દ્વેષપ્રત્યયા. રાગપ્રત્યયા ક્રિયા બે પ્રકારની છે. જેમકેમાયાપ્રત્યયા અને લોભપ્રત્યયા, દ્વેષપ્રત્યયા ક્રિયા બે પ્રકારની છે. જેમકે ક્રોધપ્રત્યયા અને માનપ્રત્યયા. 61 ગહ-પાપનું પ્રકાશન બે પ્રકારે કહેલું છે. જેમકે- કોઈ જીવ કેવળ મનથી જ પાપની નિન્દા કરે છે. કોઈ કેવળ વચનથી જ પાપની નિન્દા કરે છે. અથવા - ગહના બે ભેદ કહેલા છે, જેમકે-કોઈ પ્રાણી દીર્ઘકાલ પર્યત “આજન્મ ગહ કરે છે કોઈ પ્રાણી થોડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy