SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ 348 ઠા- - 82 શકેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. જેમકે - પેદલસેના યાવત ગંધર્વસેના. હરિણગમેલી-પૈદલસેનાનો સેનાપતિ. માઢર-રથ એમનો સેનાપતિ છે. સેતને-નરસેનાનો અધિપતિ, તંબુર- ગંધર્વસેનાનો અધિપતિ છે. ઈશાનેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. જેમકે દિલ સેનાયાવતુ ગંધર્વ સેના. લઘુપરાક્રમ-પૈદલસેનાનો સેનાપતિ યાવતું. મહાસેન-નટસેનાનો સેનાપતિ. રત- ગંધર્વસેનાનો સેનાપતિ. શેષ પંચમાં સ્થાન મુજબ જાણવું આ પ્રમાણે અશ્રુત દેવલોક સુધી સમજી લેવું. [૬૮૩-૬૮૪]ચમરેન્દ્રના ડ્રમ પૈદલસેનાપતિના સાત કચ્છ (સૈન્ય સમુહ) છે. જેમકે પ્રથમ કચ્છ યાવત્ સપ્તમ કચ્છ. પ્રથમ કચ્છમાં 64000 દેવો છે. બીજા કચ્છમાં પ્રથમ કચ્છથી બેવડો દેવો છે. ત્રીજા કચ્છમાં બીજા કચ્છથી બેવડા દેવો છે. એ પ્રમાણે સાતમાં કચ્છ સુધી બેવડા દેવો છે. આ પ્રમાણે બલીન્દ્ર સેનાપતિના પણ સાત કચ્છ છે. વિશેષ એટલું કે - મહદ્ધમ સેનાપતિના પ્રથમ કચ્છમાં સાઠ હજાર દેવો છે. શેષ છ કચ્છમાં પૂર્વવતુ બેવડા બેવડા કહેવા. આ પ્રમાણે ઘરણેન્દ્રના પણ સાત કચ્છ છે. વિશેષ રૂદ્રસેન સેનાપતિના પ્રથમ કચ્છમાં 28000 દેવો છે, શેષ છ કચ્છમાં પૂર્વવતુ. બેવડા બેવડા દેવો કહેવા. વિશેષ-પૈદલ સેનાના સેનાપતિઓના પૂર્વવત્ કહેવા. કેન્દ્રના પૈદલ સેનાના સેનાપતિ હરિણગમેથી દેવને સાત કચ્છ છે. અમરેન્દ્રની સમાન અય્યતેન્દ્ર સુધી કચ્છ અને દેવતાઓનું વર્ણન સમજવું પૈદલ સેનાપતિઓના નામ પૂર્વવતુ કહેવા. દેવતાઓની સંખ્યા આ બે ગાથાઓથી જાણવી. કેન્દ્રના પૈદલ સેનાપતિ હરિણગમેષી દેવના સાત કચ્છ છે. ઈશાનેન્દ્રના 80,000 દેવો છે. સનકુમારના 72, 800 દેવો છે. મહેન્દ્રના 70, 000 દેવો છે. બ્રહ્મદ્રના 60, 000 દેવો છે. લાંતકેન્દ્રના પ૦, 000 દેવો છે. મહાશુ કેન્દ્રના 40, 000 દેવો છે. સહસ્ત્રારેન્દ્રના 30, 000 દેવો છે. આનતેન્દ્ર અને આરણેન્દ્રના 20,000 દેવો છે. પ્રાણતેન્દ્ર અને અચ્યતેન્દ્રના 20, 000 દેવો છે. પ્રત્યેક કચ્છમાં પૂર્વ કચ્છથી બેવડ બેવડા દેવો કહેવા. [૬૮પ વચનવિકલ્પ સાત પ્રકારના છે. જેમકે - આલાપ-અલ્પ ભાષણ, અનાલાપ - કુત્સિત ભાષણ, ઉલ્લાપ-પ્રઅગર્ભિત વચન, અનુલ્લાનિંદિત વચન, સંલાપપરસ્પર ભાષણ કરવું. પ્રલાપ * નિરર્થક વચન, વિપ્રલાપ-વિરૂદ્ધવચન. વિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્ર વિનય, મનવિનય, વચનવિનય કાયવિનય લોકોપચારવિનય. પ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ છે. જેમકે- આલાપક-શુભ ચિંતન રૂપ વિનય. અસાવદ્ય - ચોરી આદિ નિંદિત કર્મ રહિત વિચાર. અક્રિય - કાયિકાદિ ક્રિયા રહિત વિચાર, નિરૂપકલેશ - શોકાદિ પીડા રહિત વિચાર, અનાશ્રવકર - પ્રાણાતિ પાતાદિ રહિત વિચાર, અક્ષતકર પ્રાણીઓ ને પીડિત ન કરવા રૂપ ચિત્તન, અભૂતાભિશંકર - અભયદાન રૂપ ચિન્તન, અપ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે --પાપક -અશુભ ચિંતન રૂપ, સાવધ ચોરી આદિ નિંદિત કર્મ, સક્રિય કાયિકાદિ ક્રિયા યુકત સોપકલેશ-શોકાદિ પીડા યુકત, આશ્રવકર પ્રાણાતિપાતાદિ આશ્રવ, ક્ષયકર - પ્રાણીને પીડિત કરવા રૂપ, ભૂતાભિશંકર- ભયકારી ચિન્તન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy