SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 340 બ-૭-પ૯૩ દિશાઓમાં લોક છે, એમ કહે છે તે મિથ્યા કહે છે આ પ્રથમ વિભંગ જ્ઞાન થયું. બીજું તિભંગ જ્ઞાન-બ્રેઈ શ્રમણ માહણને પાંચ દિશાનું લોકાભિગમ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી તે પૂર્વ પશ્ચિમ ઈક્ષિણ અને ઉત્તર દિશામાં તથા ઉપર યાવતુ સૌધર્મ દેવલોક સુધી લોક દેખે છે, તો તે પાંચ દિશાઓમાં જ છે તથા એ પણ અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે કહેવા લાગે છે કે જે લોકો “એક જ દિશામાં લોક છે” એમ કહે છે તે મિથ્યા કહે છે આ બીજુંવિભાગ જ્ઞાન થયું. ત્રીજું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ અથવા માહણને ક્રિયાવરણ જીવનામનું વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જીવો ને હિંસા કરતા, જુઠ બોલતા, ચોરી કરતા, મૈથુન કરતા, પરિગ્રહમાં આસક્ત રહેતા, અને રાત્રિ ભોજન કરતા,જુએ છે. પરંતુ આ બધા કૃત્યોથી જીવોને પાપ કર્મોનો જે બંધ થાય છે તે નથી જોઈ શકતો તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું છે. અને તે એમ માનવા લાગે છે કે જીવને ક્રિયા રૂપ જ આવરણ છે. સાથે એ પણ માનવા લાગે છે કે જે શ્રમણ બ્રાહ્મણ જીવ ક્રિયારૂપ આવરણવાળો નથી” એમ કહે છે તે મિથ્યા કહે છે. આ ત્રીજુ વિભંગ જ્ઞાન. ચોથું વિભંગ જ્ઞાન–કોઈ શ્રમણ માહનને મુદદ્મવિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને તથા તેના વિવિધ પ્રકારનો સ્પર્શ કરીને વિવિધ પ્રકારના શરીરોની વિદુર્વણા કરતા દેવતાઓને જુએ છે, તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ લોકોતર જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું છે. તેથી હું જોઈ શકું છું કે જીવ મુદઝ અર્થાત્ બાહ્ય અને આત્યંતર પુદ્ગલો ને ગ્રહણ કરીને શરીર રચના કરવાવાળો છે. જે લોકો જીવને અમદગ્ન કહે છે તે મિથ્યા કહે છે, એમ તે કહે છે આ ચોથું વિભંગ જ્ઞાન. પાંચમું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને અમુદ વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે આભ્યન્તર અને બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના જ દેવતાઓને વિદુર્વણા કરતા થકા જુએ છે. તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું જોઈ શકું છું. “જીવ સમુદદ્ગ છે અને તે એમ કહેવા લાગે છે કે જે લોકો જીવને મુદગ્ર સમજે છે તે મિથ્યાવાદી છે. આ પાંચમું વિભંગ જ્ઞાન થયું. - છઠ્ઠ વિભંગ જ્ઞાન–કોઈ શ્રમણ માહણને જ્યારે રૂપી જીવ નામનું વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે તે જ્ઞાનથી દેવતાઓને જ બાહ્યાભ્યતર પુદગલ ગ્રહણ કરીને અથવા ગ્રહણ કર્યા વિના વિકુવણ કરતા જુએ છે. તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે અને તે માનવા લાગે છે કે જીવ તો રૂપી છે, જે લોકો જીવ ને અરૂપી કહે છે તે મિથ્યાવાદી છે. આ છઠું વિભંગ જ્ઞાન થયું. સાતમું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને જ્યારે “સર્વે જીવા” નામનું વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે વાયુથી હાલતા ચાલતા કાંપતા અને અન્ય પુદગલોની સાથે ટકરાતા પુદ્ગલોને જુએ છે ત્યારે તેને એમ લાગે છે કે મને જ અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી તે એમ માનવા લાગે છે કે “લોકમાં જે કંઈ છે તે બધું જીવ જ છે, જે લોકો લોકમાં જીવ અને અજીવ બંને માને છે, તે મિથ્યાવાદી છે. આ સાતમું વિર્ભાગજ્ઞાન થયું. એવા વિભંગ જ્ઞાનીને પૃથ્વીકાયિક આદિચાર જીવોનું સમ્યગજ્ઞાન થતું નથી. તેથી તે તે વિષયમાં મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy