________________ 28 આશરો-૧/૪/૧/૧૩૯ (અધ્યયનઃ૪-સમ્યકત્વ) - ઉદેસી-૧ - [139] હે જબ્બ ! હું કહું છું કે જે તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં જે છે, ભવિષ્યમાં જે થશે. તે સર્વ આ પ્રકારે કહે છે, બોલે છે, સમજાવે છે અને પ્રરૂપણા કરે છે તથા કરશે. સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્વોને મારવા ન જોઈએ, તેના પર હુકમ ન કરવો જોઈએ, તેને દાસની જેમ કબજામાં રાખવા ન જોઈએ. તેને સંતાપ દેવો ન જોઇએ. તથા તેને પ્રાણરહિત કરવા ન જોઈએ. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે. સંસારના દુઃખોને જાણનાર હિતકારી તીર્થકરોએ સંયમમાં તત્પર અને અતત્પર, ઉપસ્થિત અને અનુપસ્થિત, મુનિ અને ગૃહસ્થો રાગીઓ અને ત્યાગીઓ, ભોગીઓ અને યોગીઓને સમાન ભાવથી આ ઉપદેશ આપ્યો છે. જેવો ધર્મ ભગવાને કહ્યો છે તેવો જ છે અને આવો ધર્મ આ જિનપ્રવચનમાં જ કહ્યો છે. [14] ધર્મના યથાર્થ સ્વરૂપને જાણી અને તેના પર શ્રદ્ધા કરીને પ્રમાદી ન થઈ શકાય અને ગ્રહણ કર્યા પછી ક્યારેય પણ તેનો ત્યાગ ન કરાય. દુનિયાના દેખાતા રંગ-રાગમાં વૈરાગ્ય ધારણ કરવો. લોકેષણાનું અંધ અનુકરણ પણ ન કરવું. 141 જે સાધકને લોકેષણા નથી તેનાથી અન્ય સાવધ પ્રવૃત્તિ કેમ થઈ શકે? આ જે કહ્યું છે તે સર્વ ભગવાને કેવળજ્ઞાન દ્વારા જોયેલ છે, શ્રોતાઓ દ્વારા સાંભળેલ છે, ભવ્ય જીવો એ માનેલ છે અને સર્વજ્ઞ દ્વારા અનુભવેલ છે. જે વ્યક્તિ સંસારમાં અત્યંત આસક્તિ રાખે છે તથા વિષયોમાં લીન રહે છે તે વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. [૧૪ર માટે રાતદિવસ મોક્ષમાર્ગમાં પ્રયત્નશીલ, તત્ત્વદર્શી, ધીર સાધક, પ્રમાદીઓને ધર્મથી બહિર્મુખ જાણી સ્વયં અપ્રમત્ત થઈ મોક્ષમાર્ગમાં સાવધાનીથી પરાક્રમ કરે, એમ હું કહું છું. અધ્યયનઃ૪- ઉદ્દેશો:૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ૪-ઉદેસી-૨) 143ii જે કર્મબંધના કારણો છે તે જ કર્મનિર્જરાના કારણ પણ થઈ શકે છે. જે કર્મ નિર્જરાના કારણો છે તે કર્મ બંધનના કારણ પણ થઈ શકે છે. જે વ્રતાદિ આસવ રૂપ નથી તે પણ અશુભ અધ્યવસાયોના કારણે નિર્જરાના કારણ નથી હોતા. જે સંવર અથવા નિર્જરાના કારણ નથી તે પણ પરિણામોની વિચિત્રતાથી આમ્રવના કારણે થતાં નથી. આ પદોને જાણી, ભગવાનની આજ્ઞાનુસાર લોકોને જાણનાર અથતું લોકના જીવોને કર્મબંધનોથી બદ્ધ તથા મુક્ત થતા. જોઇને કોણ વિવેકયુક્ત ધર્મમાં પ્રયત્નશીલ ન થાય? [14] જ્ઞાનીજન, સંસારવર્તી, સારી રીતે સમજનાર, હિતાહિતની સમજ રાખનાર મનુષ્યોને આ પ્રકારે ધમપદેશ આપે છે. જેના વડે આર્તધ્યાનથી પીડિત અને પ્રમાદમાં ફસાયેલા પણ ધર્માચરણ કરી શકે છે. આ વાત બિલકુલ સાચી છે. એમ હું કહું છું. મૃત્યુના મુખમાં પડેલા પ્રાણીને મૃત્યુ નહીં આવે એવું તો નથી. છતાં પણ ઇચ્છાને વશમાં થયેલ, અસંયમમાં લીન બનેલ પ્રાણી કાળના મુખમાં પડ્યો થકી કર્મોને સંગ્રહ કરવામાં તલ્લીન બનેલ જન્મપરંપરાને વધારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org