SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંથ-ર, અધ્યયન-૧૫, આ મહાવ્રતની પાંચ ભાવનાઓ છે મુનિએ વારંવાર સ્ત્રીઓ સંબંધી કથા કરવી ન જોઈએ. કેવળી ભગવાનું કહે છેવારંવાર સ્ત્રીકથા કરવાથી સાધુની શાતિમાં વ્યાઘાત થાય છે, શાંતિભંગ થાય છે અને ફળ એ આવે છે કે તે સાધુ શાંતિથી તથા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલે જ સાધુએ પુનઃ પુનઃ સ્ત્રીઓ સંબધી વાતલિાપ કરવો ન જોઈએ. આ પહેલી ભાવના. સાધુએ સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો જેવી ન જોઈએ. ટીકીટીકીને પણ જોવું ન જોઈએ. કેવળી ભગવાનનું કથન છે કે સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોને જોનાર તથા તેનો વિચાર કરનાર સાધુ પોતાની શાંતિમાં બાધા કરે છે, શાંતિનો ભંગ કરે છે અને શાંતિથી તથા કેવળી-નિરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. આ કારણે સાધુ સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયોને ન દેખે અને તેનો વિચાર ન કરે. મુનિએ સ્ત્રીઓ સાથે પહેલાં કરેલી રતિ-ક્રીડાનું સ્મરણ કરવું ન જોઈએ. કેવળી ભગવાનનું કથન છે કે સ્ત્રીઓ સાથે પહેલા સેવેલ રતિ ક્રિીડાનું સ્મરણ કરનાર સાધુની શાંતિમાં વિક્ષેપ થાય છે યાવતુ તે ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે નિગ્રંથ મુનિ પૂર્વકત રવિ-કીડાનું સ્મરણ ન કરે. આ ત્રીજી ભાવના છે. - સાધુએ અતિમાત્રામાં ભોજન પાણીનો ઉપભોગ કરવો ન જોઈએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે અધિક આહાર-પાણીનું સેવન કરનાર તથા પોષ્ટિક તેમજ સરસ ભોજન કરનાર મુનિ પોતાની શાન્તિમાં બાધા પહોંચાડે છે. યાવતુ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સાધુને અતિમાત્રામાં આહાર-પાણીનું સેવન કરવું ન જોઈએ અને પુષ્ટિકર આહારનું સેવન કરવું ન જોઈએ. એ ચોથી ભાવના છે. મુનિને સ્ત્રી, પશુ, અને પંડક (નપુસંક)ના સંસર્ગવાળા શવ્યસનનું સેવન કરવું ન જોઈએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે સ્ત્રી, પશુ, પંડકથી યુક્ત શય્યાસનનું સેવન કરનારા મુનિ પોતાની શાંતિનો ભંગ કરે છે. યાવતુ ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે મુનિએ સ્ત્રી, પશુ, પંડકવાળા શયન-આસનનું સેવન કરવું ન જોઈએ એ પાંચમી ભાવના. ભાવનાઓથી ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત સમ્યકરૂપથી કાયા દ્વારા સ્પષ્ટ યાવતું આરાધિત થાય છે. આ મૈથુનવિરમણ રૂપ ચોથું મહાવ્રત છે. [54] ભગવાન ! હું સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરું છું. પરિગ્રહ જો કે અલ્પ હોય કે ઘણો હોય, સુક્ષ્મ હોય કે સ્થલ હોય અચિત્ત હોય. કે સચિત્ત હોય, સ્વયે ગ્રહણ કરે નહિ, બીજાને ગ્રહણ કરાવે નહિ અને પરિગ્રહ પ્રહણ કરનાર અનુમોદન કરે નહિ. હું પરિગ્રહનો ત્રણકરણ ત્રણયોગથી ત્યાગ કરું છું. પાંચમાં મહાવ્રતની પાંચભાવનાઓ છે. જીવ કાનથી મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ સાંભળે છે પરંતુ તે મનોજ્ઞ અને અમ નોજ્ઞ શબ્દોમાં આસક્ત થવું ન જોઈએ. રાગ કરવો ન જોઈએ, વૃદ્ધ થવું ન જોઈએ, મોહિત થવું ન જોઈએ, તલ્લીન રહેવું ન જોઈએ અને વિવેકનો ત્યાગ કરવો ન જોઈએ. સર્વજ્ઞ ભગવાન કહે છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દમાં આસક્તિ કરનાર, રાગ કરનાર યાવતું વિવેક ભૂલનાર મુનિ પોતાની શાંતિને નષ્ટ કરે છે, ભંગ કરે છે અને શાંતિથી તથા કેવળીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. કર્ણપટ્ટમાં પડતાં શબ્દો સંભળાય નહી તે સંભવ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy