SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પિંડનિષુત્તિ-(૨૪૦) નીચે ઉતારે તો તે વસ્તુ સાધુને કહ્યું નહિ. કોના માટે બનાવેલું આધાકર્મી કહેવાય? પ્રવચન અને લિંગ-વેષથી જે સાધુનો સાધર્મિક હોય, તેમને માટે બનાવેલી વસ્તુ સાધુને માટે આધાકર્મી દોષવાળી છે, એટલે તે વસ્તુ સાધુને કહ્યું નહિ. પરંતુ પ્રત્યેકબુદ્ધ, નિલવ, તીર્થંકર આદિ માટે બનાવેલ વસ્તુ સાધુને કહ્યું. સાધર્મીકના પ્રકાર જણાવે છે. ૧ નામ, ૨ સ્થાપના, ૩દ્રવ્ય, ૪ ક્ષેત્ર, ૫ કાળ, ૬ પ્રવચન, ૭ લિંગ, ૮ દર્શન, ૯ જ્ઞાન, ૧૦ ચારિત્ર, ૧૧ અભિગ્રહ, અને ૧૨ ભાવના. આ બાર પ્રકારે સાધર્મિક હોય. આ બાર પ્રકારના સાધમિકમાં કચ્છ અને અકથ્યપણું જણાવે છે. નામ સાધર્મિકકોઈ માણસ પોતાના પિતા જીવતા હોય ત્યારે કે મૃત્યુ પામ્યા બાદ તેમના અનુરાગથી તે નામવાળાને આહાર આપવાની ઈચ્છા કરે, એટલે તે સંકલ્પ કરે કે “જે કોઈ દેવદત્ત નામના ગૃહસ્થ કે ત્યાગી હોય તે બધાને મારે ભોજન તૈયાર કરીને આપવું.” જ્યાં આવો સંકલ્પ હોય તો દેવદત્ત નામના સાધુને તે ભોજન કર્ભે નહિ, પરંતુ તે નામ સિવાયના બીજા નામવાળા સાધુઓને કહ્યું. સ્થાપના સાઘર્મિ-કોઈના સંબંધીઓ દીક્ષા લીધી હોય અને તેમના રાગથી તે સંબંધી સાધુની મૂર્તિ કે ચિત્ર બનાવીને તેની આગળ મૂકવા ભોજન તૈયાર કરાવે અને પછી સંકલ્પ કરે કે “આવા વેષવાળાને મારે આ ભોજન આપવું.” તો સાધુને કહ્યું નહિ, દ્રવ્યસાઘર્મિક- સાધુ કાળધર્મ પામ્યા હોય અને તેમના નિમિત્તે આહાર બનાવીને સાધુને આપવાનો સંકલ્પ કર્યો હોય તો સાધુને તે આહાર લેવો કલ્પે નહિ. ક્ષેત્રસાધર્મિક-સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, બંગાળ, આદિ પ્રદેશને ક્ષેત્ર કહેવાય. તેમજ ગામ, નગર, પોળ, મહોલ્લો આદિ પણ ક્ષેત્ર કહેવાય. સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સાધુને મારે આહાર આપવો.” આવો સંકલ્પ કર્યો હોય તો સૌરાષ્ટ્ર દેશમાં જન્મેલા સાધુઓને ન કહ્યું, બીજા સાધુઓને કલ્પે. કાળસાઘર્મિક મહિનો, દિવસ પ્રહર આદિ કાલ કહેવાય. ‘અમુક તિથિ, અમુક વાર કે અમુક પ્રહરમાં જન્મેલાને મારે ભોજન આપવું.” આવો સંકલ્પ કર્યો હોય તો, તે મહિનો, તિથિ, વાર, પ્રહરમાં જન્મેલા સાધુને તે આહાર કહ્યું નહિ. તે સિવાયના ન કલ્પે. પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવના. આ સાત પ્રકારના સાધર્મિકમાં દ્વિસંયોગી ૨૧ ભાંગા થાય છે. તે આ પ્રમાણે ૧ પ્રવચન અને લિગ. ૨ પ્રવચન અને દર્શન. ૩ પ્રવચન અને જ્ઞાન. ૪ પ્રવચન અને ચારિત્ર. ૫ પ્રવચન અને અભિગ્રહ. ૬ પ્રવચન અને ભાવના. ૭ લિંગ અને દર્શન. ૮ લિંગ અને જ્ઞાન. ૯ લિંગ અને ચારિત્ર. ૧૦ લિંગ અને અભિગ્રહ. ૧૧ લિંગ અને ભાવના. ૧૨ દર્શન અને જ્ઞાન. ૧૩ દર્શન અને ચારિત્ર. ૧૪ દર્શન અને અભિગ્રહ. ૧૫ દર્શન અને ભાવના ૧૬ જ્ઞાન અને ચારિત્ર. ૧૭ જ્ઞાન અને અભિગ્રહ. ૧૮ જ્ઞાન અને ભાવના. ૧૯ ચારિત્ર અને અભિગ્રહ. ૨૦. ચારિત્ર અને ભાવના. ૨૧ અભિગ્રહ અને ભાવના. ઉપરમુજબના એકવીસે ભેદોમાં ચાર ચાર ભાંગા નીચે મુજબ થાય છે. પ્રવચનથી સાધર્મિક, લિંગ (વેષ)થી નહિ. લિંગથી સાધર્મિક પ્રવચનથી નહિ. પ્રવચનથી સાધર્મિક અને લિંગથી સાધર્મિક પ્રવચન નહિ અને લિંગથી નહિ. આ પ્રમાણે બાકીના વીસ-ભેદોમાં ૪-૪ ભાંગા સમજી લેવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy