SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઓહનિજુત્તિ-(પ૩૨) થાય. કદાચ કોઈ સ્ત્રી નપુંસક આદિ બલાત્કારે ગ્રહણ કરે. તિર્યંચના આપાતમાં દોષો મારકણાં હોય તો શીંગડું આદિ મારે કરડી, જાય. હિંસક હોય તો ભક્ષણ કરી જાય. ગધેડી આદિ હોય તો મૈથુનની શંકા થઈ આવે. સંલોકમાં દોષો. તીયચના સંલોકમાં કોઈ દોષ થતાં નથી. મનુષ્યના સંલોકમાં ઉડાહ આદિ દોષો થાય. સ્ત્રી આદિનાં સંલોકમાં મૂચછા કે અનુરાગ થાય. માટે સ્ત્રી આદિનો સંલોક હોય ત્યાં સ્થડિલ ન જવું. આપાત. અને સંલોકના દોષો થાય એમ ન હોય ત્યાં સ્થડિલ જવું સાધ્વીજીઓનો આપાત હોય પણ સંલોક ન હોય, ત્યાં સ્થાડિલ જવું જોઈએ. સ્થગિલ જવા માટે સંજ્ઞા -કાલસંજ્ઞા -ત્રીજી પોરિસીમાં ડિલ જવું તે. અકાલસંજ્ઞાત્રીજી પોરિસી સિવાયના વખતે ચંડિલ જવું તે, અથવા ગોચરી કર્યા પછી ચંડિલ જવું તે કાલસંજ્ઞા અથવા અર્થ પોરિસી પછી અંડિલ જવું તે કાલસંa. ચોમાસા સિવાય ના કાળમાં ડગલ (ઈટ આદિનો ટુકડો) લઈ તેનાથી સાફ કરી ત્રણ વાર પાણી થી આચમન-સાફ કરવું. સાપ, વિંછી આદિના દર ન હોય, કીડા, જીવજંતુ કે વનસ્પતિ ન હોય, તથા પ્રાસુક સમ-સરખી ભૂમિમાં છાંયો હોય ત્યાં સ્થડિલે જવું. પ્રાસુક ભૂમિ ઉત્કૃષ્ટથી બાર યોજનની, જઘન્યથી એક હાથ લાંબી પહોળી, આગાઢ કારણે જઘન્યથી ચાર આંગળ લાંબી પહોળી અને દશ દોષોથી રહિત જગ્યામાં ઉપયોગ કરવો. આત્મ ઉપઘાત - બગીચા આદિમાં જતાં. પ્રવચન ઉપઘાત - ખરાબ સ્થાન વિણ આદિ હોય ત્યાં જતાં. સંયમ ઉપઘાત - અગ્નિ, વનસ્પતિ આદિ હોય જ્યાં જવાથઈ ષજીવનિકાયની વિરાધના થાય. વિષમજગ્યાએ જતાં પડી જવાય, તેથી આત્મ વિરાધના, માત્રા આદિનો રેલો ઉતરે તેમાં ત્રસ આદિ જીવોની વિરાધના થાય તેથી સંયમ વિરાધના. પોલાણવાળી જગ્યાએ જતાં, તેમાં વીંછી આદિ હોય તો કરડી જાય તેથી આત્મ વિરાધના પોલાણમાં પાણી આદિ જતાં ત્રસ આદિ જીવોની વિરાધના થાય, તેથી સંયમ વિરાધના. મકાનોની નજીકમાં જાય, તો સંયમ વિરાધના અને આત્મવિરાધના. બીલવાળી જગ્યામાં જાય તો સંયમવિરાધના અને આત્મવિરાધના. બીજ, ત્રસાદિ જીવો હોય ત્યાં જાય તો સંયમ વિરાધના અને આત્મવિરાધના. સચિત્તભૂમિમાં જાય તો સંયમવિરાધના અને આત્મવિરાધના. એક હાથથી ઓછી અચિત્ત ભૂમિમાં જાય તો સંયમ વિરાધના, આત્મવિરાધના. આ દશના એકાદિ સાંયોગિક ભાંગા ૧૦૨૪ થાયછે. પિ૩૩-પ૬૭અવખંભ - લીઘેલી ભીંત થાંભલાદિને ટેકો ન દેવો. ત્યાં નિરંતર ત્રણ જીવો રહેલા હોય છે. પુંજીને પણ ટેકો ન દેવો. ટેકો દેવાની જરૂર પડે તો લાદિઆદિ લગાવેલી ભીંત વગેરે હોય ત્યાં પુંજીને ટેકો દેવો, સામાન્ય જીવોનો મદન આદિ થાય તો સંયમ વિરાધના થાય અને વિંછી વગેરે હોય તો આત્મ વિરાધના થાય. [પ૩૮-૫૪૭માર્ગ - રસ્તામાં ચાલતાં ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું. કેમકે ચાર હાથની અંદર દૃષ્ટિ રાખી હોય તો જીવાદિ જતાં એકદમ પગ મૂકાતો રોકી શકાય નહિ, ચાર હાથથી દૂર નજર રાખી હોય, તો નજીક રહેલા જીવોની રક્ષા થઈ શકે નહિ, જોયા વગર ચાલે તો રસ્તામાં ખાડો આદિ આવે, તો પડી જવાય, તેથી પગમાં કાંટા આદિ વાગે કે પગ ઉતરી જાય, તથા જીવોની વિરાધના આદિ થાય, પાત્ર ભાંગે લોકોપવાદ થાય આદિ સંયમ તથા આત્મ વિરાધના થાય. માટે ચાર હાથ પ્રમાણ ભૂમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy