SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ઓહનિજુત્તિ-(૨૮) સાધુને મોકલે તેમાં શિષ્ય ઉપર અનુકંપા થાય છે, પરલોક સારો થાય છે, અને આ લોકોમાં પ્રશંસા થાય છે. (પ્રશ્ન) તો પછી શિષ્યની કઈ અનુકંપા થઈ? ઉલટો સાધુ ભૂખ અને તરસથી પીડાઈ કદાચ કાળ કરી જાય તો? ના જો ભૂખ અને તરસ સહન કરી શકે એમ ન હોય, ઉનાળો હોય, તપસ્વી હોય, તો પ્રથમાલિકાદિ વગેરે કરીને જાય. લુપુંસકું વાપરીને અથવા યતના પૂર્વક વાપરીને જાય. જઘન્ય ત્રણ કવલ અથવા ત્રણ ભિક્ષા, ઉત્કરથી પાંચ કવલ અથવા પાંચ ભિક્ષા. સહિષ્ણુ હોય તો પ્રથમાલિકા કર્યા સિવાય જાય ગોચરી લાવવાની વિધિ જણાવતાં કહે છે. એક પાત્રમાં આહાર, બીજા પાત્રામાં પાણી, એકમાં આચાર્યદિને પ્રાયોગ્ય આહાર, બીજામાં જીવ સંસાદિ હોય તેવો આહાર કે પાણી ગ્રહણ કરે. [૪૨૯-૪૩પ પડીલેહણાદ્વાર બે પ્રકારે એક કેવળીની બીજી છહ્મસ્થની. બન્ને બાહ્યથી અને અત્યંતરથી બાહ્ય એટલે દ્રવ્ય અને અત્યંતર એટલે ભાવ. કેવળીની પડિલેહણા પ્રાણીથી સંસક્ત દ્રવ્ય વિષયની હોય છે. અર્થાત કપડા વગેરે ઉપર જીવજંતુ હોય તો પડિલેહણા કરે ? છદ્મસ્થની પડિલેહણા પ્રાણીથી સંસક્ત કે અસંસક્ત દ્રવ્ય વિષયની હોય છે. અતિ કપડાં આદિ પર જીવજંતુ હોય કે ન હોય, તો પણ પડિલેહણા કરવાની હોય છે. પડિલેહણા દ્રવ્યથી કેવલી માટેની વસ્ત્ર વગેરે જીવજંતુથી સંસક્ત હોય તો પડિલેહણા કરે છે. તથા જ્યારે તે વસ્ત્ર આદિ વાપરવાનું હોય ત્યારે જો સંસક્ત હોય તો પડિલેહણા કરે છે પરંતુ જીવથી સંસક્ત ન હોય તો પડિલેહણા હોતી નથી. ભાવથી કેવલીની પડિલહેણાંમાં - વેદનીય કર્મ ઘણું ભોગવવાનું હોય અને આયુષ્યકમ ઓછું હોય તો કેવળી ભગવંતો કેવળી સમુદૂર્ઘાત કરે છે. દ્રવ્યથી છઘસ્થ- સંસક્ત કે અસંસક્ત વસ્ત્ર આદિની પડિલેહણા કરવી તે. ભાવથી છાની- રાત્રે જાગે ત્યારે વિચારે કે 'શું કર્યું. મારે શું કરવાનું બાકી છે. કરવા યોગ્ય તપ વગેરે શું કરતો નથી? ઈત્યાદિ. [૪૩૬-૪૯] સ્થાન, ઉપકરણ, વ્યંડિલ, અવખંભ અને માર્ગનું પડિલેહણ કરવું. સ્થાન - ત્રણ પ્રકારે. કાયોત્સર્ગ, બેસવુ, સુવું. કાયોત્સર્ગ ઠલ્લા માર્ગે જઈને ગુરુ પાસે આવી ઈરિયાવહી કરતાં કાઉસ્સગ કરે. યોગ્ય સ્થાને ચક્ષુથી જોઈ પ્રમાર્જના કરી પછી કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્ગ ગુરુની સામે કે બે બાજુએ કે પાછળ ન કરવો. તથા જવા-આવવાનો માર્ગ રોકીને ન કરવો. બેસવું. બેસતી વખતે જંઘા અને સાથળનો વચલો ભાગ પ્રમાજી પછી ઉત્કટુક આસને રહી, જમીન પ્રમાર્જીને બેસવું. સૂવું. સુતા હોય ત્યારે પડખું ફેરવતાં પ્રમાર્જીને પડખું ફેરવવું સુતી વખતે પણ પૂંજીને સુવું. ઉપકરણ - બે પ્રકારે. ૧.વસ્ત્ર, ૨.પાત્રસંબંધી. સવારે અને સાંજે હંમેશા બે સમય પડિલેહણા કરવી. પહેલાં મુહપત્તિ પડિલેહી પછી બીજા વસ્ત્ર આદિની પડિલેહણા કરવી. વસ્ત્રની પડિલેહણા વિધિ :- પહેલાં મતિ કલ્પનાની આખા વસ્ત્રના ત્રણ ભાગ કરીને જોવા, પછી પાછળની બાજુ ત્રણ ભાગ કરીને જોવા. ત્રણ વાર છ છ પુરિમા કરવા. ઉત્કટુક આસને બેસી વિધિપૂર્વક પડિલેહણા કરે, પડિલેહણા કરતાં આટલી કાળજી રાખવી. પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને નચાવવું નહિ. સાંબેલાની માફક વસ્ત્રને ઊંચું ન કરવું. વસ્ત્રના નવ અખોડા પખોડા અને છ વાર પ્રસ્ફોટન કરવું, પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને ઉંચે છત કે છાપરાને તથા ભીંત કે જમીનને લગાડવું. પડિલેહણ કરતાં ઉતાવળ ન કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy