SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-૭૧૨ હ૭૯ અસદુવસ્તુને સદ્ભવસ્તુ સાથે ઉપમા આપવી. તેમાં સદ્ભવસ્તુ સદવસ્તુ સાથે ઊપમિત કરવી. તે આ પ્રમાણે છે - તે સતુ એવા અરિહંત ભગવંતોને સતું એવા પ્રધાનનગરના કપાટ આદિસાથે ઉપમિત કરવા [ ૩૧૨૩૧૭] જેમકે - અરિહંત ભગવંતોના વક્ષસ્થળ નગરના કપાટ જેવા અને ભુજાઓ પરિધામા જેવી હોય છે, વક્ષસ્થળ શ્રીવત્સથી અંકિત હોય છે. સવસ્તુને અસવસ્તુ સાથે ઉપમિત કરવું તે બીજો પ્રકાર આ પ્રમાણે છે - નારક, તિર્યચ, મનુષ્ય અને દેવોનું આયુષ્ય સદ્રુપ છે અને પલ્યોપમ, સાગરોપમ અસરૂપ છે. કારણ કે તે પલ્ય વગેરેની કલ્પના માત્રથી કલ્પિત થયેલા છે. અસદુવસ્તુને અસદુવસ્તુવડે ઉપમિત કરવી તે આ પ્રમાણે – વસંતસમયે જીર્ણ થયેલા, ડાંખળીથી તૂટી ગયેલા અને વૃક્ષ પરથી નીચે પડેલા, શુષ્ક સારભાગવાળા, અને દુઃખી થયેલા પાંદડાઓ નવા પાંદડાને ગાથા કહી - અત્યારે જે હાલતમાં તમો છો તે હાલતમાં જ પહેલા અમે હતા, અને અમે આ સમયે જે સ્થિતિમાં છીએ તમે પણ એક દિવસ આવશો. આ પ્રમાણે ખરતાં જીરું પાંદડાઓ નવોદ્ગત કિસલયોને કહ્યું. અત્રે જે પ્રકારે પાંદડાનો વાર્તાલાપ વર્ણવ્યો છે તે પ્રમાણે પાંદડાઓનો વાર્તાલાપ સંભવી ન શકે તે કોઈ દિવસ થયો નથી. અને કોઈ દિવસ થશે નહીં. અહીં ભવ્યજનોને સમજાવવા ઉપમા આપવામાં આવી છે. માં પાંડુપત્રાવસ્થા તત્કાલિક હોવાથી સરૂપ છે અને કિસલયાવસ્થા અસરૂપ છે. અસદુવસ્તુને અસદ્ધસ્તુથી ઉપમિત કરવી તે આ પ્રમાણે - શશવિષાણ ખરવિષાણ જેવા જ હોય છે. આ પ્રમાણે ઔપમ્પસંખ્યાનું નિરૂપણ જાણવું. પરિમાણ સંખ્યાપર્યાયરૂપ સંખ્યાનું સ્વરૂપ કેવું છે? પરિમાણ સંખ્યાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે કાલિક શ્રુતપરિમાણસંખ્યા અને દૃષ્ટિવાદ શ્રુતપરિમાણસંખ્યા . કાલિકશ્રતપરિમાણ સંખ્યા શું છે ? અનેક પ્રકારની છે. જેમકે - પર્યાયોની સંખ્યા, અક્ષરસંખ્યા - “ અકારાદિ અક્ષરોની સંખ્યા, સંઘાત સંખ્યા - દ્વયાદિઅક્ષરોના સંયોગરૂપ સંઘાતની સંખ્યા, પદસંખ્યા - સુબત્ત, તિડન્તરૂપ પદોની સંખ્યા, પાદસંખ્યા - ગાથાના ચતુર્થ અંશ રૂપ પદોની સંખ્યા, ગાથાસંખ્યા-શ્લોકસંખ્યા, વેઢસંખ્યા-નિર્યું ક્તિઓની સંખ્યા, અનુયોગ દ્વારોની સંખ્યા, ઉદેશકસંખ્યા, અધ્યયન સંખ્યા, શ્રુતસ્કન્ધસંખ્યા, અંગસંખ્યા વગેરે કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે. આ સર્વે સંખ્યાત છે. દષ્ટિવાદમૃતપરિમાણ સંખ્યા શું છે ? દૃષ્ટિવાદશ્રુતપરિનાણસંખ્યાના અનેક પ્રકાર છે, - પર્યવસંખ્યા યાવતુ અનુયોગદ્વાર સંખ્યા, પ્રાભૃતસંખ્યા, પ્રાકૃતિકાસંખ્યા, પ્રાભૃતભૂતિકાસંખ્યા અને વસ્તુસંખ્યા. આ પ્રમાણે દ્રષ્ટિવાદમૃતપરિમાણસંખ્યા અને પરિમાણસખ્યાનું સ્વરૂપ જાણવું . જ્ઞાનસંખ્યા શું છે? જ્ઞાનરૂપસંખ્યા જ્ઞાનસંખ્યા છે. - શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિક, નિમિત્તને જાણનાર નૈમિત્તિક, કાળને જાણનાર કાળજ્ઞાની, વૈદકને જાણનાર વૈધ, આ જ્ઞાન સંખ્યાનું સ્વરૂપ છે. ભંતે ! ગણના સંખ્યા શું છે? “આ આટલા છે આ રૂપમાં જે ગણત્રી છે તે ગણના સંખ્યા કહી છે. એક-ગણના ન કહેવાય,બે આદિરૂપ ગણનાસંખ્યા જાણવી. સંખ્યાત, અને અનંત આ ત્રણ પ્રકારની ગણના સંખ્યા જાણવી. સંખ્યાત શું છે? સંખ્યાત ત્રણ પ્રકારના છે. – જઘન્ય સંખ્યાત, ઉત્કૃષ્ટ, સંખ્યાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy