SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ અનુઓગદારાઇ - (૨૫૨) મધ્યમાં થોડી પહોળી હોય), મુખ (જેમાં અનાજ ભરી લોકો વેચવા જાય), ઇદુર (સૂતર કે સૂતળીની બનાવેલ ગુણ), અલિંદ (ધાન્ય મૂકવાનો આધાર વિશેષ), અપચારિ (મોટી કોઠી જેવું પાત્ર વિશેષ-ખંડા). આ પાત્ર વિશેષોમાં ભરવામાં આવેલ અનાજના પ્રમાણનું પરિજ્ઞાન ધાન્યમાન પ્રમાણથી થાય છે. પ્રવાહી પદાર્થ જ જેનો વિષય છે એવું માનપ્રમાણ સેતિકાદિરૂપ પાન્ય પ્રમાણથી ચતુર્ભૂગ વૃદ્ધિરૂપ આપ્યંતરશિખાથી યુક્ત હોય છે. ૨૫૬ ૫લનું એક માની નામક રસપ્રમાણ હોય છે. માનીના ૬૪ માં ભાગ પ્રમાણ એટલે ૪ પલ પ્રમાણ ‘ચતુષ્ટિકા’, માનીનો ૩૨ મો ભાગ એટલે ૮ પલપ્રમાણ ‘દ્વાત્રિંશિકા’, માનીનો ૧૬ મો ભાગ એટલે ૧૬ પલ પ્રમાણ ષોડશિકા', માનીનો આઠમો ભાગ એટલે ૩૨ પલ પ્રમાણ ‘અષ્ટભાગિકા’, માનીના ચતુર્થાંગપ્રમાણ એટલે ૬૪ પલપ્રમાણ ‘ચતુર્ભૂગિક’, માનીના અધભાગપ્રમાણ એટલે ૧૨૮ પલપ્રમાણ ‘અર્ધણાનિક' નામક રસપ્રમાણ હોય છે. આજ માનપ્રમાણને સ્પષ્ટ કરતાં બે ચતુષ્ટિકાની ૧ દ્વાત્રિંશિકા, બે દ્વાત્રિંશિકાની ષોડશિકા, બે ષોડશિકાની એક અષ્ટભાંગિકા, બે અષ્ટભાગિકાની એક ચતુિિગકા, બે ચતુર્ભાગિકાની એક અર્ધમાની અને બે અર્ધમાનીની એક માની થાય છે. આ રસમાનપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? વારક-નાનો દેગડો, ઘટક સામાન્ય કળશ, કરક-ઘટ વિશેષ કલશિકાનાનો કળશ, ગર્ગરી-ગાગર, કૃતિ-મશક, કરોડિકા-એવું વાસણ જેનું મુખ પહોળું હોય છે અને કુંડી વગેરે પાત્રોમાં રાખેલ રસના પ્રમાણનું પરિશાન થાય છે. આ રીતે માનપ્રમાણનું સ્વરૂપ જાણવું. ઉન્માનપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ત્રાજવામાં મૂકીને જે વસ્તુ તોળવામાં વે છે તેને ઉન્માનપ્રમાણ કહે છે. તે આ પ્રમાણે-અર્ધકર્ષ (પલનો આઠમો ભાગ-આ સૌ કરતાં લઘુપ્રમાણ છે), કર્ષ અÁપલ, પલ, અર્ધતુલા, તુલા, અદ્ઘભાર, ભાર, આ પ્રમાણોની નિષ્પત્તિ આ રીતે થાય છે, બે અદ્ઘકર્ષી બરાબર એક કર્ષ, બે કર્યોનો એક અદ્રુપલ, બે અદ્વેપલોનો એક પલ. ૫૦૦ પલની એક તુલા, ૧૦ તુલાનો એક અદ્ઘભાર, ૨૦ તુલાનો એક ભાર થાય છે. આ ઉન્માનપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ ઉન્માન પ્રમાણથી તેજપત્ર વગેરે પત્રક, અગર, તગર, ગંધ-દ્રવ્યવિશેષ, ચોયક, કુંકુમ, ખાંડ, ગોળ, મિસરી વગેરે દ્રવ્યના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે ઉન્માનપ્રમાણનું સ્વરૂપ છે [૨૫૩-૨૫૬] અનુમાનપ્રમાણ શું છે ? જે માપવામાં આવે અથવા જેનાવડે મપાય તે અવમાન છે. તે આ પ્રમાણે-હાથથી, દંડથી, ધનુષથી, યુગથી, નાલિકાથી, અક્ષથી, અથવા સાંબેલાથી, માપવામાં આવે છે. ચારહાથ પ્રમાણ ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મુશલ હોય છે. ૧૦ નાલિકા એટલે ૪૦ હાથની એક રજ્જુ હોય છે. ધનુષ આદિ બધા સમાન માપવાળાછે છતાં ધનુષ આદિ વડે પૃથક્-પૃથક્ વસ્તુઓ માપવામાં આવે છે. તે સર્વનો વિષય કહે છે-વાસ્તુ-ગૃહભૂમિને હાથવડે માપવામાં આવેછે, ખેતરને દંડવડે, માર્ગને ધનુષ્યથી, કૃપાદિકને નાલિકાથી માપવામાં આવેછે. આ સર્વ હસ્તાદિક અવમાનસંશક જાણવા.આ અવમાનપ્રમાણથી કયું પ્રયોજન સિદ્ધ થાય છે ? ખાતકૃપાદિક, ચિત-ઇંટ વગેરેથી નિર્મિત પ્રાસાદ પીઠાદ, કરવતવર્ડ વહેરાયેલ કાષ્ઠાદિક, પટ-વસ્ત્ર, ભિત્તિ-ભીંત, પરિક્ષેપ કટ-કટાઈ, આ બધામાં સંશ્રિત દ્રવ્યોનું અવમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy