SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ અનુગદારાઈ-(૮૦) નોઆગમભાવપક્રમનું સ્વરૂપ સમજવું. આ ભાવોપક્રમનું નિરૂપણ થયું. ઉપક્રમના સમસ્ત ભેદોનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. [20] અહીંયા સુધી લૌકિક વૃષ્ટિએ ઉપક્રમનું સ્વરૂપ નિરૂપણ કર્યું. હવે શાસ્ત્રીય પદ્ધતિએ નિરૂપણ કરાય છે. અથવા ઉપક્રમના છ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) આનુપૂર્વી (૨) નામ (૩) પ્રમાણ (૪) વક્તવ્યતા (૫) અથધિકાર અને (૬) સમવતાર. [૮૧] આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? આનુપૂર્વી-અનુક્રમ-એકની પાછળ બીજું, એવી પરિપાટી તેના દશપ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- નામાનુપૂર્વી સ્થાપનાપૂર્વી દ્રવ્યાનુપૂર્વી ક્ષેત્રાનુપૂર્વી કાળાનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વી ગણનાનુપૂર્વી સંસ્થાનુપૂર્વી સમાચાયનુિપૂર્વી અને ભાવાનુપૂર્વી [૮૨નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનું સ્વરૂપ નામાવશ્યક અને સ્થાપનાવશ્યક પ્રમાણે સમજવું. દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેઆગમદ્રવ્યાનુપૂર્વી નોઆગમદ્રવ્યાનુપૂર્વી. આગમદ્રવ્યાનુપૂર્વી સ્વરૂપ કેવું છે ? જે સાધુઆદિએ “આનુપૂર્વી' પદના વાચ્યાર્થીને શીખી લીધો છે, તે સ્થિતિ કર્યો છે, તેના સ્વર-વ્યંજન આદિની સંખ્યાનું પરિમાણ જાણી લીધું છે, સર્વ પ્રકારે, ચારે તરફથી પરાવર્તિત કરી લીધું છે યાવતુ જે અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યાનુપૂર્વી છે. કારણકે અનુપયોગને દ્રવ્ય કહ્યું છે. નૈગમનની અપેક્ષાએ એક અનુપયુક્તઆત્મા એક દ્રવ્યાનુપૂર્વી છે. અનેક અનુપયુક્ત આત્મા અનેક દ્રવ્યાનુપૂર્વી છે, ઈત્યાદિ નય સંબંધી મન્તવ્ય આવશ્યકની જેમ સમજવું યાવતું જે જ્ઞાયક હોય છે તે અનુપયુક્ત સંભવી ન શકે અને જે અનુપયુક્ત હોય છે તે જ્ઞાયક ન થઈ શકે. તેથી આગમદ્રવ્યાનુપૂર્વી અવસ્તુ છે. આ આગમદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. નોઆગમદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? નોઆમગદ્રવ્યાનુપર્વના ત્રણ પ્રકાર છે, જ્ઞાયકશરીરદ્રવ્યાનુપૂર્વી ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વ જ્ઞાયક-ભવ્ય-શરીરવ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વી. જ્ઞાયકશરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીદ્રવ્યાનુપૂર્વી તે “આનુપૂર્વી' આ પદના અથિિધકારને જાણનાર સાધુનું વ્યપગત, શ્રુત, વ્યાવિત, ત્યક્ત જે નિર્જીવ શરીર તે, શેષ સર્વ દ્રવ્યાવશ્યક મુજબ જાણવું યાવતુ આ જ્ઞાયક શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. ભવ્ય શરીદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? જે જીવ સમય પૂર્ણ થતાં યોનિમાંથી બહાર આવેલ છે, ભવિષ્યમાં આનુપૂર્વી' પદના અધિકારને જાણવાનો છે તે ભવ્ય શરીરનો આગમદ્રવ્યાનપૂર્વી છે શેષ સર્વ દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું. આ પ્રમાણે ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. જ્ઞાયક શરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયક શરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. ઔપનિધિકી પદાર્થને વ્યવસ્થાપિત કરી દીધા પછી તેની પાસે પૂવનપૂર્વી આદિના ક્રમથી અન્ય પદાર્થ રાખવા, તે જે આનુપૂર્વીનું પ્રયોજન છે તે, દ્રવ્યાનુપૂર્વી અને અનૌપનિધિની આદિના ક્રમ પ્રમાણે જ્યાં પદાર્થની સ્થાપના કરવામાં આવતી નથી, તેમાંથી જે ઔપનિધિતી આનુપૂર્વી છે તે સ્થાપ્ય છે એટલે એનું નિરૂપણ અત્યારે કરાતું નથી અનૌપનિધિ કીદ્રવ્યાનુપૂર્વના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- નૈગમનય અને વ્યવહારનયસમંત તથા સંગ્રહનયસમંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy