SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૪૫ ૨૯૭ પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ તથા પ્રતિમાઓને ધારણ કરવાનું. ઉપસર્ગ, સંલેખના, અનશન, પાદપોપગમન, દેવલોકગમન, પુનઃ સુકુળમાં જન્મ, પુનઃબોધિનો લાભ અને અંતક્રિયા ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. ઉપાસગદસાઓની પરિમિત વાચ-નાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત. સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે અંગોમાં સાતમું અંગ છે. તેમાં એકશ્રુતસ્કન્ધ, ૧૦ અધ્યયન, ૧૦ ઉદ્દેશ નકાળ, ૧૦ સમુદ્રેશનકાળ છે. પદપરિમાણથી સંખ્યાત સહસ્ત્રપદ છે. સંખ્યાત અક્ષર, અનંતગમ અને અનંત સ્થાવર, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવોનું સામાન્ય ને વિશેષરૂપથી કથન, પ્રરૂપણ, પ્રદર્શન. નિદર્શન, ઉપદર્શન કર્યું છે. તેનું સમ્યકરીતે અધ્યયન કરનારા તદ્રુપ આત્મા,જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. ઉપાસક દશકમાં ચરણ-કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ ઉપાસક શ્રુતનો વિષય છે. [૧૪૬] – અંતગડદસાએસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? અંતગડદસાઓમાં અંતતો એટલે જન્મમરણ રૂપ સંસારનો અંત કરનાર મહાપુરુષોના નગરો, ઉદ્યાનો, ચેત્યો, વનખંડો, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમાચાર્ય, ધર્મકથા,આ લોક અને પરલોકની વિશિષ્ટદ્ધિ, ભોગનો પરિત્યાગ, દીક્ષા, સંયમ-પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાનપત, સંલેખના, ભક્ત-પ્રત્યાખ્યાન, પાદપોપગમન, અંતક્રિયા આદિ વિષયોનું વર્ણન છે. અંતગડદસાઓમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત છંદો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. દ્વાદશાંગીમાં તેઆઠમું અન છે, એક શ્રુતસ્કન્ધ, આઠવર્ગ, આઠ ઉદ્દેશનકાલ, આઠ સમુદ્રેશનકાલ છે. સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંતપયયિ છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રજ્ઞપ્ત ભાવો કહ્યાં છે તથા તેઓનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે. આ રીતે ઉક્ત અષમાં ચરણકરણની પ્રરૂપણા કરી છે. આ અંતકદ્દશાનું સ્વરૂપ છે. [૧૪૭અનુત્તરોવવાય દશા સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે? અનુત્તરાવવાઈપ દશા સૂત્રમાં અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થનારા પુણ્યાત્માઓના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમાચાર્ય, ધર્મકથા, આ લોક પરલોક સંબંધી ઋદ્ધિવિશેષ, ભોગોનો પરિત્યાગ, દીક્ષા, સંયમ,પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, પ્રતિમાગ્રહણ, ઉપસર્ગ, અંતિમ સંલેખના, ભક્ત-પ્રતયાખ્યાન પાદપોપગમન તથા મૃત્યુ પશ્ચાતુ અનુત્તર વિમાનોમાં દેવ રૂપમાં ઉત્પત્તિ, પુનઃચવીને સુકુળની પ્રાપ્તિ, બોધિલાભ અને અંતક્રિયાદિનું કથન છે. અનુત્તરોવવાઈય સૂત્રમાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો. સંખ્યાત નિયુક્તિઓ સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અનુત્તરોવવાઈયદસા સૂત્ર અશોમાં નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કન્ધ છે. ત્રણ વર્ગ, ત્રણ ઉદ્દેશનકાલ, ત્રણ સમુદ્રેશનકાલ છે. પદ પરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદો છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પયય છે. પરિમિત ત્રસ તથા અનંત સ્થાવરોનું વર્ણન છે. શાશ્વત, કૃત નિબદ્ધ, નિકાચિત એવા જિન ભગવાનદ્વારા પ્રરૂપિત ભાવો કહ્યાં છે અને પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન નિદર્શન તથા ઉપદર્શનથી સુસ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy