SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ નંદીસુři - (૭૫) અંગુલપૃથકત્ત્વ, પગ યા પગપૃથકત્ત્વ, વિતસિત (૧૨ અંગુલ પરિમાણ ક્ષેત્ર) યા વિતસ્તિપૃથકત્ત્વ, રત્નિ (હાથ પરિમાણ ક્ષેત્ર) યા ત્નિપૃથકત્ત્વ, કુક્ષિ (બે હાથ પરિમાણ ક્ષેત્ર) યા કુક્ષિપૃથકત્ત્વ, ધનુષ્ય (ચાર હાથ પરિમાણ ક્ષેત્ર) યા ધનુષ્ય-પૃથકત્ત્વ કોશ યા કોશપૃથકત્ત્વ, યોજન યા યોજનપૃથકત્ત્વ, યોજનશત યા યોજન શતપૃથકત્ત્વ, સહસ્ત્ર યોજન યા સહસ્ત્ર યોજનપૃથકત્ત્વ, લાખ યોજન યા લાખયોજન પૃથકત્ત્વ, ક્રોડ યોજન યા ક્રોડયોજન પૃથકત્ત્વ, ક્રોડાક્રોડી યોજન યા ક્રોડાક્રોડી યોજન કૃતકત્ત્વ, સંખ્યાત યોજન યા સંખ્યાતયોજન પૃથકત્ત્વ, અસંખ્યાત યોજન યા અસંખ્યાતયોજન કૃતકત્ત્વ, અસંખ્યાત યોજન યા અસંખ્યાત યોજનપૃથકત્ત્વ અને વધારેમાં વધારે સંપૂર્ણ લોકને જોઈને જે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તે પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. ૨૮૦ [9]અપ્રતિપાતિ અવધિજ્ઞાન કેલા પ્રકારનું છે ? અપ્રતિપાતિ અવધિજ્ઞાન-જે જ્ઞાનથી જ્ઞાતા અલોકના એકપણ આકાશ-પ્રદેશને વિશિષ્ટ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પર્યન્ત રહે છે. તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. [૭૭]તે અવધિજ્ઞાનને સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે. જેમકે- દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી. દ્રવ્યથી-અવધિજ્ઞાની જધન્ય, અનંત રૂપી દ્રવ્યોને જાણે-જુએ છે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્યોને જાણે અને જુએ. ક્ષેત્રથા-અવધિજ્ઞાની જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે અને જુએ, ઉત્કૃષ્ટ અલોકમાં લોકમેત અસંખ્યાત ખંડોને જાણે અને જુએ છે. કાળથી-અવધિજ્ઞાની જ ઘન્ય આવલિકાના અસંખ્યાતમાં ભાગમાત્ર કાળને જાણે અને જુએ, અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવિસર્પિણીઓ પરિમાણ કાળને જાણે અને જુએ . ભાવથી-અવધિજ્ઞાની જધન્ય અનંત ભાવોને જાણે અને જુવે છે, ઉત્કૃષ્ટ પણ અનંત ભાવોને જાણે અને જુએ. પરંતુ સર્વ પર્યાયોના અનન્તમાં ભાગમાત્રને જાણે અને દેખે છે. [૮] આ પૂર્વોક્ત અવધિજ્ઞાન-ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એ બે પ્રકારે છે, અને તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આધારે ઘણા વિકલ્પો-ભેદો છે. [૭૯-૮૦]ના૨કી, દેવ, અને તીર્થંકર અવધિજ્ઞાનથી અબાહ્ય અર્થાત્ યુક્ત જ હોય છે અને સર્વદશા-વિદિશાઓમાં જુએ છે મનુષ્ય અને તિર્યંચજ દેશથી (અને સર્વથી પણ) જુએછે. આ પ્રમાણે અવધિજ્ઞાનપ્રત્યક્ષનું વર્ણન સમાપ્ત. [૮૧] મનઃપર્યવ જ્ઞાન કેવા પ્રકારનું છે ? હે ભગવન્ ! તે મનઃપર્યવત જ્ઞાન શું મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મનુષ્યેતર (દેવ-નાકી અને તિર્યંચો) ને ? ગૌતમ ! તે મનપર્યવ જ્ઞાન મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. મનુષ્યેતર પ્રાણીઓને નહીં. જો મનુષ્યોને ઉત્પન્ન થાય છે તો શું સંમૂર્ણિમ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! સંમૂર્છિમ મનુષ્યોને નહિ. ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. જો ગર્ભજ મનુષ્યોને મનઃપર્યવ જ્ઞાન થાય છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને કે અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને મનઃપર્યવજ્ઞાન થાય છે, અકર્મભૂમિના અને અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને નથી હોતું. જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy