SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૩૨ આદિથી વિવેકયોગ્ય-હિત એકાન્ત ઘરમાં નિવાસ કરે. [૧૨૫૧] જો પોતાથી વિશેષ ગુણવાળો અથવા સમાન ગુણવાળો નિપુણ સાથી ન મળે તો પાપોને છોડતો તથા કામભોગોમાં અનાસક્ત રહેતો એકલો જ વિચરે. [૧૨૫૨] જેમ ઈંડામાંથી બગલી પેદા થાય છે અને બગલીથી ઈંડું થાય છે, તેમજ મોહથી તૃષ્ણા અને તૃષ્ણાથી મોહ જન્મે છે. [૧૨૫૩] કર્મના બીજ રાગ-દ્વેષ છે. કર્મ મોહથી પેદા થાય છે. તે કર્મ, જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ-મરણ તેજ દુઃખ છે. [૧૨૫૪] જેને મોહ નથી તેણે દુઃખ દૂર કર્યું છે. જેને તૃષ્ણા નથી તેણે મોહ દૂર કર્યો છે. જેને લોભ નથી તેણે તૃષ્ણા દૂર કરી છે, જે અકિંચન છે, તેણે લોભ દૂર કર્યો છે. [૧૨૫૫] જે રાગ-દ્વેષ-મોહનો મૂળથી નાશ ઈચ્છે છે તેણે જે જે ઉપાયો ઉપયોગમાં લેવા જોઈએ તેને હું ક્રમશઃ કહીશ. [૧૨૫૬] ૨સોનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. રસ પ્રાયઃ ઉન્માદ વધરાનાર છે. વિષયાસક્ત માણસને કામ તેવી જ રીતે પીડે છે જેમ, સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી હેરાન કરે છે. ૨૫૩ [૧૨૫૭] અત્યન્ત પવન સાથે પ્રચુરઈધનવાળા વનમાં લાગેલો દાવાનળ શાન્ત થતો નથી તેવી જ રીતે પ્રકામ ભોજી-યથેચ્છ ભોજન ક૨ના૨ની ઇન્દ્રિયાગ્નિ (વાસના) શાન્ત નથી થતી. બ્રહ્મચારી માટે પ્રકામ ભોજન કદી હિતકર નથી. [૧૨૫૮] જે વિવિક્ત (સ્ત્રી આદિ રહિત) શય્યાસનથી (યુક્ત) છે, જે અલ્પભોજી છે, જે જીતેન્દ્રિય છે. તેમના ચિત્તને રાગદ્વેષ પરાજીત કરતા નથી. જેમ ઔષધિથી નાશ પામેલો રોગ ફરી શરીરને ઘેરતો નથી. [૧૨૫૯] જેમ બિલાડી પાસે ઉંદરનું રહેવું હિતકર નથી તેમ સ્ત્રીઓના નિવાસ પાસે બ્રહ્મચારીનું રહેવું પણ હિતકર નથી. [૧૨૬૦-૧૨૬૩] શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ-લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ઈંગિત (ચેષ્ટા) અને કટાક્ષને મનમાં રાખીને જોવાનો પ્રયત્ન ન કરે. જે હમેશાં બ્રહ્મચર્યમાં લીન છે, તેમણે સ્ત્રીઓને જોવી નહીં. તેમની ઇચ્છા ન કરવી. ચિન્તન ન કરવું, વર્ણન ન કરવું હિતકર છે તથા સમ્યક્ ધ્યાન સાધના માટે ઉપયુક્ત છે. જો કે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિને અપ્સરાઓ પણ વિચલિત કરી શકે નહીં, તો પણ એકાન્ત હિતની દૃષ્ટિએ મુનિનો વિવિક્ત વાસ-સ્ત્રીઓના સંપર્કથી રહિત એકાન્ત નિવાસ જ યોગ્ય છે. મોક્ષાભિકાંક્ષી, સંસારભીરુ અને ધર્મમાં સ્થિત માણસ માટે લોકમાં એવું કાંઈ દુસ્તર નથી જેવી અજ્ઞાનીઓનું મન હરનારી સ્ત્રીઓ દુસ્તર છે. [૧૨૬૪] સ્ત્રીવિષયક આ ઉપર કહેલા સંસર્ગોનું સમ્યક્ અતિક્રમણ કરવાથી શેષ સંબંધોનું અતિક્રમણ સહજ બની જાય છે. જેમ મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદી ત૨વાનું સહજ સરળ હોય છે. [૧૨૬૫-૧૨૬૬] સમસ્ત લોકના-દેવોના પણ શારીરિક, માનસિક દુઃખ કામાસક્તિથી પેદા થાય છે. વીતરાગ આત્મા જ તે દુઃખનો અન્ન લાવી શકે છે. જેમ કિંપાળ ફળ રસ અને રૂપ રંગમાં-ખાવા, જોવામાં સુન્દર-મધુર હોય છે પણ પરિણામે જીવનનો અંત કરે છે. તે દૃષ્ટાંતે કામ ગુણ પણ અન્તિમ પરિણામમાં એવો જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy