SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩૦ ૨૫૧ ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખેડ, કબડ, દ્રોણમુખ, પતન, મડંબ, સંબોધ- આશ્રમ-પદ, વિહાર સંનિવેશ, સમાજ, ઘોષ, સ્થલી, સેનાનું શિબિર, સાથે સંવત, કોટ-વાટ, પાડા, રચ્યા-ગલી અને ઘર, આ ક્ષેત્રોમાં તેમ જ આવાં જ બીજાં સ્થળોમાં નિર્ધારિત ક્ષેત્ર-પ્રમાણ પ્રમાણે ભિક્ષા માટે જવું ક્ષેત્રથી ઉણોદરી તપ છે. અથવા પેટા, અધપટા, ગોમૂત્રિકા, પતંગ-વીથિકા, શબૂકવતાં અને આયત-ગવા પ્રત્યાગતા, આ છ પ્રકારથી ક્ષેત્ર ઉણોદરી તપ છે. દિવસના ચાર પહોર હોય છે. તે ચાર પહોરમાં ભિક્ષાના નિયત સમયે ભિક્ષા માટે જવું એ કાળથી ઉણોદરી તપ છે. અથવા કાંઈક ઓછો ભાગ-ન્યૂન તૃતીય પહોરમાં ભિક્ષાની ઈચ્છા કરવી તે કાળથી ઉણોદરી તપ છે. સ્ત્રી અથવા પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આયુ અને અમુક રંગના વસ્ત્ર- અથવા અમુક વિશિષ્ટ રંગ તેમજ ભાવયુક્ત દાતા પાસે જ ભિક્ષા લેવી, બીજી રીતે નહીં આ પ્રકારની ચયવાળા મુનિને ભાવઊણોદરી તપ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પયય કહ્યા છે તે બધાથી ઉણોદરી તપ કરનાર “પર્યવચરક' હોય છે. [૧૨૧૩] આઠ પ્રકારના ગોચરાગ્ર, સપ્તવિધ એષણાઓ અને બીજા અનેક પ્રકારના અભિગ્રહભિક્ષાચર્યા તપ છે. [૧૨૧૪] દૂધ, દહીં, ઘી, વગેરે પ્રણીત પાન, ભોજન તથા રસનો ત્યાગ ‘રસપરિત્યાગ’ તપ છે, [૧૨૧૫] આત્માને સુખાવહ વીરાસનાદિ ઉગ્રઆસનોનો અભ્યાસ, કાયકલેશ તપ છે. [૧૨૧] એકાન્ત, અનાપાત (જ્યાં કોઈની અવરજવર ન હોય) સ્ત્રી પશુ રહિત, શયન આસન ગ્રહણ કરવું વિવિક્ત શયનાસન તપ છે. [૧૨૧૭-૧૨૧૮] સંક્ષેપમાં બાહ્ય તપની વ્યાખ્યા થઈ. હવે ક્રમશઃ આભ્યન્તર તપનું નિરૂપણ કરીશ. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ આ આભ્યન્તર તપ છે. [૧૨૧૯-૧૨૨૪] આલોચનાઈ આદિ દસ પ્રકારના પ્રાયશ્ચિત, ભિક્ષુ જેનું સમ્યક્ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે. ઊભા થવું, હાથ જોડવા, આસન આપવું, ગુરુજનોની ભક્તિ તથા ભાવપૂર્વક શુશ્રુષા કરવી તે વિનય’ તપ છે. આચાર્ય આદિને લગતાં દસ પ્રકારના વૈયાવૃત્યસેવાનું યથાશક્તિ સેવન કરવું તે વૈયાવૃત્ય તપ છે. વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનું “સ્વાધ્યાય' તપ છે. આત્ત અને રૌદ્ર ધ્યાન સિવાય સુસમાહિત મુનિ જે ધર્મ અને શુક્લ ધ્યાન ધ્યાય છે જ્ઞાનીજન તેને ધ્યાન તપ કહે છે. સૂવા, બેસવા તેજ ઊભા રહેવામાં જે ભિક્ષુ શરીરની વ્યર્થ ચેષ્ટા નથી કરતો, આ શરીરનો વ્યુત્સર્ગ-'વ્યુત્સર્ગ' નામનું છઠું તપ છે. [૧૨૨૫] જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યફ આચરણ કરે છે તે જલદી જ સર્વ સંસારથી વિમુક્ત બને છે. - એમ હું કહું છું. અધ્યનન-૩૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy