SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ઉત્તરાયણ- ૨૯/૧૧૪૧ (મન-વચન-કાયાની ક્રિયાની નિવૃત્તિ) મળે છે. અક્રિય થવાથી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિવણિ પામે છે. અને બધાં દુઃખોનો અન્ત કરે છે. [૧૧૪૨] ભત્તે ! સુખશાતાથી અર્થાત્ વૈષયિક સુખોની ઈચ્છાના નિવારણથી જીવને શું મળે છે ? સુખ-શાતાથી વિષયો તરફ અનાસક્તભાવ રહે છે. અનુસુકતાથી જીવ અનુકંપાવાળો, પ્રશાન્ત, શોકરહિત બનીને ચારિત્ર-મોહનીય કર્મનો ક્ષય કરે છે. [૧૧૪૩) ભન્ત ! અપ્રતિબદ્ધતાથી જીવને શું મળે છે ? અપ્રતિબદ્ધતાથી જીવ નિસંગ બને છે. નિસંગ થવાથી જીવ એકાકી-આત્મનિષ્ઠ બને છે, એકાગ્રચિત્ત હોય છે. દિવસ રાત, સદા સર્વત્ર વિરક્ત અને અપ્રતિદ્ધ થઈને વિચરે છે. વિ૧૪] હે ભગવાન! વિવિક્ત શયનાસનથી જીવને શું મળે છે? વિવિક્ત શયનાસનથી જીવ, ચારિત્રરક્ષા કરે ચારિત્ર-રક્ષાથી વિવિક્તહારી દ્રઢચારિત્રી, એકાન્તપ્રિય, મોક્ષ ભાવયુક્ત જીવ આઠ પ્રકારના કમની ગ્રન્થિનું નિર્જરણ-ક્ષય કરે છે. [૧૧૫] ભત્તે ! વિનિવર્ધનાથી જીવને શું મળે છે ? વિનિવર્ધનાથી-મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધનાથી જીવ પાપકર્મ ન કરવા તત્પર રહે છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાથી કર્મોને નિવૃત્ત કરે છે. ત્યાર પછી ચાર અંતવાળા સંસારઅટવીને જલ્દી જ પાર કરે છે. [૧૧૪૬ ભન્ત ! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે? સંભોગ (એકબીજા સાથે ભોજન વગેરેના સંપર્ક)ના પ્રત્યાખ્યાનથી પરાવલંબનથી નિરાલંબ થાય છે. નિરાલંબ થવાથી તેના બધા પ્રયત્નો આયતાર્થ (મોક્ષાથી બને છે. પોતે મેળવેલા લાભથી સંતુષ્ટ થાય છે. બીજાના લાભનો ઉપભોગ નથી કરતો. તેની કલ્પના નથી. અભિલાષા કરતો નથી. બીજાના લાભનું આસ્વાદન, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરનાર બીજા સુખશય્યાને પ્રાપ્ત કરીને વિહાર કરે છે. [૧૧૪૭] ભત્તે ! ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? ઉપધિના. પ્રત્યાખ્યાનથી જીવ નિર્વિઘ્ન સ્વાધ્યાય કરે છે. ઉપધિરહિત જીવ આકાંક્ષા મુક્ત થઈને ઉપધિના અભાવમાં કલેશ પામતો નથી. [૧૪૪૮] ભત્તે ! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? આહારના પ્રત્યાખ્યાનથી જીવ જીવનની આશંસા કામનાના પ્રયત્નને વિચ્છિન્ન કરે છે. જીવનની કામનાના પ્રયત્ન છોડીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી. [૧૪૪૯] ભત્તે ! કષાયના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? કષાયના પ્રત્યાખ્યાનથી વીતરાગભાવ થાય છે. વીતરાગભાવથી જીવ સુખ-દુઃખમાં સમાન બને છે. [૧૧૫૦] ભગવત્ત ! યોગના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? મન-વચનકાયવિષયક યોગ-વ્યાપારના પ્રત્યાખ્યાનથી અયોગત્વ પામે છે. અયોગી જીવ નવાં કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [૧૧૫૧] ભત્તે ! શરીરના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણ પ્રાપ્ત કરે છે. તે ગુણો યુક્ત જીવ લોકાઝમાં પહોંચીને પરમ સુખ પામે છે. [૧૧પ૨] ભન્ત ! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? સહાયતાના પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવ પામે છે. એકીભાવ પામેલ સાધક એકાગ્રતાની ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy