SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૨૮ ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. અધ્યયન-૨૮–ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૨૯-સમ્યક્ત્વપરાક્રમ [૧૧૧૨-૧૧૧૩] આયુષ્યમન્ ! ભગવાને જે કહ્યું તે મેં સાંભળ્યું છે. આ સમ્યકત્વ-પરાક્રમ અધ્યનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે જે પ્રતિપાદન કર્યું છે તેની સમ્યક્ શ્રદ્ધાથી, ઉંડાણથી જાણવાથી, કીર્તનથી, શુદ્ધ કરવાથી, આરાધના કરવાથી, આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણા જીવો સિદ્ધ થયા છે. બુદ્ધ થયા છે. મુક્ત થયા છે. પરિનિર્વાણ પામ્યા છે. બધાં દુઃખોનો અન્ન લાવ્યા છે. તેનો અર્થ આમ કહ્યો છે, જેમકે સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુ અને સાધર્મિકની શુશ્રુષા, આલોચના, નિન્દા, ગહણા, સામાયિક, ચતુર્વિદંતિ-સ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, સ્તવ-સ્તુતિ-મંગળ, કાળપ્રતિલેખના, પ્રાયશ્ચિત્ત, ક્ષમાપના, સ્વાધ્યાય, વારાના, પ્રતિપ્રચ્છના, પુનરાવૃત્તિ, અનુચિન્તન, ધર્મકથા, શ્રુતની આરાધના, મનની એકાગ્રતા, સંયમ, તપ, વ્યવદાન-વિશુદ્ધિ, સુખશાતા. અપ્રતિબદ્ધતા, વિવિક્ત શયનાસનસેવન, વિનિવર્તના, સંભોગપ્રત્યાખ્યાન, ઉપધિપ્રત્યાખ્યાન, આહારપ્રત્યાખ્યાન, કષાયપ્રત્યાખ્યાન, યોગપ્રત્યાખ્યાન, શરીપ્રત્યાખ્યાન, સહાયપ્રત્યાખ્યાન, ભક્તપ્રત્યાખ્યાન, સદ્ભાવપ્રત્યાખ્યાન, પ્રતિરૂપતા, વૈયાવૃત્ય, સર્વગુણસંપન્નતા, વીતરાગતા, ક્ષાન્તિ, નિર્લોભતા, આર્જવ- માર્દવ-ભાવ-સત્ય, કરણસત્ય, યોગસત્ય, મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, મનઃસમાધારણા, વાક્સમાધારણા, કાયસમાધારણા, જ્ઞાન સંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, શ્રોત્ર ઇન્દ્રિયનિગ્રહ, ચક્ષુ ઇન્દ્રિયનિગ્રહ, ધ્રાણઇન્દ્રિયનિગ્રહ, જિહ્વાઇન્દ્રિયનિગ્રહ, સ્પર્શઇન્દ્રિયનિગ્રહ, ક્રોધવિજય, માનવિજય, માયાવિજય, લોભવિજય, પ્રેમ-દ્વેષ-મિથ્યાદર્શનવિજય, શૈલેશી અને અકર્મતા ૨૪૩ - એમ હું કહું છું. [૧૧૧૪] ભત્તે ! સંવેગથી જીવને શું મળે છે ? સંવેગથી જીવ અનુત્તર-પરમ ધર્મશ્રદ્ધા પામે છે. પરમ શ્રદ્ધાથી શીઘ્ર-જલધી સંવેગ આવે છે. અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય થાય છે. નવા કર્મોનો બંધ થતો નથી. અનાનુંબંધીરૂપ તીવ્ર કષાય ક્ષીણ થવાથી મિથ્યાત્વવિશુદ્ધિ કરીને દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિ દ્વારા વિશુદ્ધ થઇને કેટલાય જીવ તેજ જન્મમાં સિદ્ધ બને છે. અને કેટલાક દર્શનનિવેશ`ધિથી વિશુદ્ધ થઈ ત્રીજા ભવનું અતિક્રમણ નથી કરતા. [૧૧૧૫] ભન્તે નિર્વેદ (વિષયવિરક્તિ)થી જીવને શું મળે ? નિર્વેદથી જીવ, દેવ, મનુષ્ય અને તિર્યંચ વિષયક કામભોગમાંથી જલદી નિર્વેદ પામે છે. બધા વિષયોમાં વિરક્ત બને છે. બધા વિષયોમાં વિરક્ત થઈને આરંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરીને સંસારમાર્ગનો વિચ્છેદ કરે છે તથા સિદ્ધિમાર્ગ પામે છે. [૧૧૧૬] ભન્તે ! ધર્મશ્રદ્ધાથી જીવને શું મળે છે ? ધર્મશ્રદ્ધાથી જીવ સાત-સુખ અર્થાત્ સાતવેદનીય કર્મજન્ય વૈષયિક સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. આગારધર્મ છોડીને તે અનગાર બની છેદન, ભેદન આદિ શારીરિક તેમજ સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. [૧૧૧૭] ભત્તે ! ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષાથી જીવને શું મળે છે ? ગુરુ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy