SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ઉત્તરાયણ- ૨૫/૧૦૧૪ ઉપસંપદા સમાચારી છે. આ રીતે દશાંગ સમાચારીનું વર્ણન છે. [૧૦૧૪-૧૦૧૬] સૂર્યોદય થતાં દિવસના પ્રથમ પહોરના પહેલા ચતુર્થ ભાગમાં ભાડુ-ઉપકરણોનું પ્રતિલેખન કરી ગુરુને વંદના કરીને હાથ જોડીને પૂછવું કે હવે મારે શું કરવું? હે પૂજ્ય ! હું ઇચ્છું છું કે આપ મને સ્વાધ્યાયની રજા આપો અથવા વૈયાવૃત્યસેવામાં નિયુક્ત કરો. વૈયાવૃત્યમાં નિયુક્ત કરે તો ગ્લાનિ વિના સેવા કરવી અથવા બધાં દુઃખોથી મુક્ત કરનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરે તો ગ્લાનિરહિત સ્વાધ્યાય કરે. [૧૦૧૭-૧૦૧૮] વિચક્ષણ ભિક્ષુએ દિવસના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં સ્વાધ્યાય વગેરે ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરવો, બીજામાં ધ્યાન કરવું, ત્રીજામાં ભિક્ષાચરી અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરવો. [૧૦૧૯-૧૦૨૨] આષાઢ મહિનામાં દ્વિપદા (બે પગની) પૌરૂષી હોય છે. પોષ મહિનામાં ચતુષ્પદા અને ચૈત્ર તેમજ આસો માસમાં ત્રિપદા પૌરષી હોય છે. સાત રાતમાં એક આંગળ, પક્ષમાં બે આંગળ અને એક મહિનામાં ચાર આંગળની વૃદ્ધિ અને હાનિ થાય છે. શ્રાવણથી પોષ સુધી વૃદ્ધિ થાય છે અને મહા થી આષાઢ સુધી હાનિ થાય છે. આષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ, ફાગણ અને વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક એક અહોરાત્રી તિથિ)નો ક્ષય થાય છે. જેઠ આષાઢ અને શ્રાવણ આ પહેલાં ત્રણમાં છ આંગળ, ભાદરવો, આસો અને કારતક આ ત્રણમાં આઠ આગળ, તેમજ માગસર, પોષ અને મહા આ ત્રણમાં દસ આગળ અને ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ચોથા ત્રિકમાં આઠ આંગળની વૃદ્ધિ કરવાથી પ્રતિલેખનનો પૌરૂષી સમય થાય છે. [૧૦૨૩-૧૦૨૪] વિદ્વાન ભિક્ષુએ રાત્રિના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ઊંઘ અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. [૧૦૨પ-૧૦૨૬] જે નક્ષત્ર જે રાતની પૂતિ કરતા હોય તે જ્યારે આકાશના પ્રથમ ચતુર્થ ભાગમાં આવે અથતું રાત્રિનો પ્રથમ પહોર પૂરો થાય ત્યારે તે પ્રદોષ કાળા કહેવાય છે. તે વખતે સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થવું જોઈએ. તે જ નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં આવે ત્યારે રાત્રિનો અંતિમ ચોથો પહોર હોય છે. તેને વૈરાત્રિક કાળ જાણીને મુનિએ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થવું. [૧૦૨૭-૧૦૨૮] દિવસના પહેલા પહોરમાં પહેલા ચોથા ભાગમાં પાત્રાદિ ઉપકરણોનું પ્રતિલેખન કરી ગુરુને વંદના કરી દુઃખમુક્ત કરનાર સ્વાધ્યાય કરવો. પૌરષીના ચતુર્થભાગમાં અર્થાતુ પોણી પૌરષી વીતી જાય ત્યારે ગુરુને વંદના કરીને કાળનું પ્રતિક્રમણ (કાયોત્સર્ગ) કર્યા વિના જ ભાજનનું પ્રતિલેખન કરે. [૧૦૨૯-૧૦૩૦] મુખવત્રિકાનું પ્રતિલેખન કરીને ગોચ્છગનું પ્રતિલેખન કરે. આંગળીઓ વડે ગોચ્છગને પકડીને વસ્ત્રનું પ્રતિલેખન કરે. સર્વ પ્રથમ ઊકડૂ આસને બેસે. પછી વસ્ત્ર ઊંચુ કરે, સ્થિર રાખે અને ઉતાવળ કર્યા વિના તેનું પ્રતિલેખન કરે. આંખથી જુએ, બીજે, વસ્ત્રને ધીરેથી ઝાટકે અને ત્રીજે, વસ્ત્રને પ્રમાર્જન કરે. [૧૦૩૧] પ્રતિલેખન કરતી વખતે શરીરને કે વસ્ત્રને નચાવે નહીં, વાળે નહીં, વસ્ત્રને નજરની બહાર ન જવા દે, વસ્ત્ર ભીંત વગેરેને સ્પર્શ ન થવા દે. વસ્ત્રના છ પૂર્વ અને નવ ખોટક કરે. જો કોઈ જીવ હોય તો તેને દૂર કરે-વિશોધન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy