SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ઉત્તરઝયણ- ૨૨/૮૩૭ : [૮૩૭-૮૪૦] જો તું રૂપે વૈશ્રમણ જેવો હોય, લલિતકલાઓમાં નળકુબેર જેવો હોય, અને બીજું તો શું, તું સાક્ષાતું. ઈન્દ્ર પણ હોય તો પણ હું તને ચાહતી નથી. હે યશની એષણાવાળા ! ધિક્કાર છે તને કે જે ભોગી જીવન માટે ત્યક્ત ભોગોને ફરી ભોગવવાની ઇચ્છા કરે છે. આના કરતાં તો તારું મરી જવું શ્રેયસ્કર છે. હું ભોજરાજાની પૌત્રી છું અને તું અધકવૃષ્ણિનો પૌત્ર. આપણે કુલમાં ગન્ધન સર્પ જેવા ન બનીએ. તું સ્વસ્થ-સ્થિર-નિભૂત થઈને સંયમ પાળ. જો તું જે તે સ્ત્રીને જોઈને રાગ કરશે આસક્ત થશે તો તું વાયુકંપિત હડ (નામક વનસ્પતિ)ની જેમ અસ્થિતાત્મા બનશે. [૮૪૧-૮૪૨] જેમ ગોવાળ ને ભંડારી-ગાયો તેમજ ભંડારના માલિક નથી હોતા, તેમ તું શ્રામયનો સ્વામી નહીં બને. તું ક્રોધ, માન, માયા, લોભને પૂર્ણપણે નિગ્રહમાં લઈ ઈન્દ્રિયોને વશમાં રાખી, જાતને અનાચારથી દૂર રાખ. ઉપસંહાર કર. [૮૪૩-૮૪૪] અંકુશથી હાથી સંયત થાય તેમ રથનેમિ તે સંયતા રાજિમતીના સુભાષિત વચન સાંભળી ધર્મમાં સમ્યક પ્રકારે સ્થિર થયો. મન, વચન અને કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય અને વતી બન્યો. જીવન સુધી નિશ્ચલાવે શ્રમણ્ય પાળ્યું. [૮૪૫] ઉગ્ર તપનું આચરણ કરી બંને કેવલી બન્યાં. બધાં કર્મોનો ક્ષય કરીને તેમણે અનુત્તર સિદ્ધિ મેળવી. [૮૪૬] સંબુદ્ધ, પણ્ડિત અને પ્રવિચક્ષણ પુરુષ આમ જ કરે. પુરુષોત્તમ રથનેમિની જેમ તેઓ ભોગોથી નિવૃત્ત થાય છે. - એમ હું કહું છું. અધ્યયન-૨૨-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૩ કેશી-ગૌતમ) [૮૪૭-૮૫૪] પાર્શ્વ નામના જિન, અહંનું, લોકપૂજિત, સબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા. લોક-પ્રદીપ ભગવાન પાર્શ્વના, મહા યશસ્વી, વિદ્યા-ચારિત્રમાં પારંગત કેશી કુમાર-શ્રમણ શિષ્ય હતા. તેઓ અવધિ-જ્ઞાન અને શ્રતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેઓ પોતાના શિષ્યો સાથે ગામે ગામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. નગરની પાસે જ તિન્દુક નામના બાગમાં ઊતર્યા. જ્યાં જીવજંતુ રહિત નિર્દોષ રહેઠાણ અને પાથરવા પીઠ ફલક આસન વગેરે મળી રહે તેમ હતું. [૮૫૧-૮૫૪] તે દિવસોમાં જ ધર્મતીર્થપ્રવર્તક જિન ભગવાન વર્ધમાન હતા. જે સમગ્ર લોકમાં પ્રસિદ્ધ હતા. તે લોક પ્રદીપ ભગવાન વર્ધમાનના, વિદ્યા ચારિત્રમાં પારંગત મહા યશસ્વી શિષ્ય ભગવાન ગૌતમ હતા. બાર અંગોના જ્ઞાતા, પ્રબુદ્ધ ગૌતમ પણ શિષ્ય સંઘ સાથે ગામે ગામ વિહાર કરતા શ્રાવસ્તી પહોંચ્યા. જ્યાં પ્રાસુક શયા તેમજ સંસ્તારક સુલભ હતાં એવા કોષ્ઠ બાગમાં તેઓ ઊતર્યા. [૮૫૫-૮૫] શ્રમણ કુમાર કેશી અને મહા યશસ્વી ગૌતમ બંને ત્યાં હતા. બંને આત્મલીન અને સુસમાહિત હતા. સમાધિસ્થ હતા. સંયત, તપસ્વી, ગુણવાન અને ષકાયના સંરક્ષક બંને શિષ્ય-સંઘોમાં આ ચિન્તન ઊભું થયું. આ કેવો ધર્મ છે ? અને આ કેવો ધર્મ છે ? આચાર ધર્મની આ વ્યવસ્થા કેવી છે ? અને આ કેવી છે? આ ચતુર્યામ ધર્મ છે. આનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને આ પંચ શિક્ષાત્મક ધર્મ છે. આનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. આ અચેલક (અવસ્ત્ર) ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy