SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જીતવાં એ જ દુષ્કર છે- એક પોતાને જીતી લીધા પછી બધાંને જીતી શકાય છે. [૨૬૫-૨૬૬] આવા અર્થની વાત સાંભળીને હેતુ તથા કારણને વશ થઈ ઇન્દ્રરાજાએ નમિરાજર્ષિને આમ કહ્યું- ક્ષત્રિય ! તમે મોટા યજ્ઞો કરો ! સાધુ-બ્રાહ્મણોને ભોજન કરાવો, દાન કરો, એનો ભોગવટો કરીને પછી સંયમ અંગીકાર કરો. ઉત્તરણ - ૯/૨૬૫ [૨૬૭-૨૬૮] એવી શીખામણ શ્રવણ કરીને હેતુ કારણ પ્રેરિત નમિરાજર્ષિએ દેવોના પણ ઇન્દ્રને આ પ્રમાણે કહ્યું. જે મનુષ્ય દર મહિને દસ લાખ ગાયોનું દાન કરે છેએને માટે પણ સંયમ શ્રેયસ્કર છે, કલ્યાણકા૨ક છે. પછી ભલેને કંઇ પણ દાન ન કરે. [૨૬૯-૨૭૦] એવો ઉપદેશ સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત ઇન્દ્ર રાજાએ નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું. હે ! તમે ઉત્તમ ગૃહસ્થાશ્રમને છોડીને બીજા સંન્યાસ આશ્રમને ધારણ કરવા ઇચ્છો છો તે બરાબર નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પૌષધ આદિ વ્રતો કરતા રહો ! [૨૭૧-૨૭૨] ઇન્દ્રરાજાનું કથન સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા મિર્ષિએ ઇન્દ્રદેવને આ પ્રમાણે કહ્યું. જે બાળ-સાધકો, ઉગ્ર તપસ્વીઓ માસ માસના ઉપવાસ કરે છે અને પારણે સોયની અણિ પર રહે એટલોજ ખોરાક લે છે તેઓ સંયમી પુરુષોના સોળમા ભાગનું ફળ પણ નથી પામી શકતા. [૨૭૩-૨૭૪] આવું દૃષ્ટાંત સાંભળી ને હેતુથી તથા કારણથી પ્રેરાયેલા એવા ઇન્દ્રદેવે મિરાજર્ષિને આમ કહ્યું- હે રાજેન્દ્ર ! સોના, ચાંદી, હીરા અને મોતીનો ભંડાર, વસ્ત્ર, વાહનો, કાંસાનાં પાત્રો તથા ખજાનાને તર કરીને પછી મુનિ બનો ! [૨૭૫-૨૭૭] એવી વાત સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ ઇન્દ્ર દેવને આમ કહ્યું- સોના અને ચાંદીના કૈલાસ જેવા અસંખ્ય પર્વતો હોય તો પણ લોભી મનુષ્યને તેથી તૃપ્તિ થતી નથી. કારણ કે ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. પૃથ્વી પરના તમામ પ્રદેશો, ચોખા, યવ, સોનું તથા પશુઓ પણ એક મનુષ્યની ઇચ્છા પૂર્તિ માટે પુરા નથી પડતા” એમ જાણી સાધક તપનું આચરણ કરે. [૨૭૮-૨૭૯] એમ સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત થયેલ એવા દેવેન્દ્ર મિરાજર્ષને આમ કહ્યું- હે પાર્થિવ ! તમે પ્રત્યક્ષ રહેલા ભોગોને ત્યાગવા તૈયાર થયા છો અને નથી મળ્યા એવા ભોગોની ઇચ્છા કરી રહ્યા છો માટે તમે તમારા સંકલ્પોથી છેતરાઇ રહ્યા છો. એટલે તમે વ્યર્થ તરંગોથી ઠગાઇ રહ્યા છે. [૨૮૦-૨૮૨] આ ઉપદેશ સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ ઇન્દ્ર દેવને આ પ્રમાણે કહ્યું. “સંસારના કામભોગ કાંટા રૂપ છે, ઝેર રૂપ છે, આસીવિષ સર્પ જેવા છે. એવા કામભોગોની ઇચ્છા રાખવા છતાં જે પરિસ્થિતિને આધિન તેનું સેવન નથી કરી શકતા તેઓ પણ દુર્ગતિને પામે છે. ક્રોધથી અધોગિત થાય છે, માનથી અધમગતિ થાય છે, માયા સદ્ગતિમાં બાધારૂપ બને છે અને લોભ વડે આ લોક અને પરલોક ભયરૂપ બને છે. [૨૮૩-૨૮૮] દેવેન્દ્ર આ લાંબા વાર્તાલાપ પછી બ્રાહ્મણ રૂપ છોડીને અસલ ઇન્દ્ર રૂપ ધારણ કરીને મધુ૨વાણીથી સ્તુતિ કરતા હાથ જોડીને (નિમરાજિષ) સમક્ષ ઊભા રહ્યા. “અહો આશ્ચર્ય છે ! આપે ક્રોધને જીત્યો, માનનો પરાજ્ય કર્યો, માયા રહિત થયા તથા લોભને વશ કર્યો !” “અહો ઉત્તમ છે તમારી સ૨ળતા, ઉત્તમ છે તમારી મૃદુતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy