SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૪ ૧૫ રૂપને જોવાના અનુરાગથી - મનોવિકારથી - આહાર પાણી વાપરવા રૂપ વર્તનથી જે આકુળવ્યાકુળતા થઈ હોય- એ રીતે દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તે મારું પાપ મિથ્યા થાઓ. [૧૮] હું પ્રતિક્રમણ કરું છું. (શેનું ?) ભિક્ષા માટે ગોચરી ફરવામાં, લાગેલા અતિચારોનું (કઈ રીતે ?) સાંકળ ચઢાવેલ કે સામાન્યથી બંધ કરેલ બારણા-જાળી વગેરે ઉઘાડવાથી કૂતરા-વાછરડાં કે નાના બાળકનો (તીર્યંચ માત્રનો) સંઘટ્ટો-સ્પર્શ કરવાથી, કોઈ વાસણ આદિમાં જુદો કાઢીને અપાયેલ આહાર લેવાથી, અન્ય ધર્મીઓ મૂળ ભાજનમાંથી ચારે દિશામાં જે બલી ફેંકે તેમ કરીને પછી આપવાથી, અન્ય ભિક્ષુ માટે સ્થાપના કરાયેલ આહારમાંથી આપતા, આધાકર્મ વગેરે દોષની શંકાવાળા આહારથી, શીઘ્રતાથી ગ્રહણ કરતા અકલ્પનીય વસ્તુ આવી જતા, યોગ્ય ગવેષણા નહીં કરવાથી, દોષનો સર્વથી વિચાર નહીં કરવાથી, જીવોવાળી વસ્તુનું ભોજન કરવાથી, ચિત્ત બીજ કે લીલોતરી વાળું ભોજન કરવાથી, ભિક્ષા લેતા પૂર્વે કે પછી ગૃહસ્થ હાથ-વાસણ આદિ ધોવે તે રીતે લેવાથી, ચિત્ત એવા પાણી કે રજના સ્પર્શવાળી વસ્તુ લેવાથી, જમીન ઉપર ઢોળતા ભિક્ષા આપે તે લેવાથી, વાસણમાંનું બીજું દ્રવ્ય ખાલી કરીને તેના વડે અપાતી ભિક્ષા લેવાથી, વિશિષ્ટ દ્રવ્યની માંગણી કરીને લેવાથી, જે “ઉદ્ગમ” - “ઉત્પાદન” - “એષણા” અપરિશુદ્ધ હોવા છતાં લે અને લઈને જે પરઠવે નહીં અર્થાત્ વાપરે એમ કરતા લાગેલ અતિચાર રૂપ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. [૧૯] હું પ્રતિક્રમણ કરું છું. (-પણ શેનું ?) દિવસ અને રાત્રિના પહેલાં અને છેલ્લા બે પ્રહર એમ ચાર કાળ સ્વાધ્યાય ન કરવા રૂપ અતિચારોનું, દિવસની પહેલી છેલ્લા પોરિસી રૂપ ઉભયકાલે પાત્ર - ઉપકરણ વગેરેની પ્રતિલેખના (વૃષ્ટિ વડે જોવું) ન કરી કે અવિધિથી કરી, સર્વથા પ્રમાર્જના ન કરી કે અવિધિએ પ્રમાર્જના કરી, તેમજ અતિક્રમ - વ્યતિક્રમ - અતિચાર - અનાચારનું સેવન કર્યુ એ રીતે મેં દિવસ સંબંધિ જે અતિચાર - દોષનું સેવન કર્યું હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. [૨૦-૨૧] હું પ્રતિક્રમણ કરું છું (પણ શેનું ? એક-બે-ત્રણ આદિ ભેદો વડે જણાવે છે.) (અહીં મિચ્છામિ દુક્કડમ્ ‘અર્થાત્ તે મારું પાપ મિથ્યા થાઓ' એ વાક્ય એકવિધ આદિ દરેક દોષ સાથે જોડવું) અવિરત રૂપ એક અસંયમથી (હવેના બધાં પદો અસંયમનો વિસ્તાર જાણવો) બે બંધનથી રાગ અને દ્વેષ રૂપ બંધનથી, મન-વચન-કાયા દંડ સેવનથી, મન-વચનકાયા ગુપ્તિનું પાલન નહીં કરવાથી, માયા-નિયાણ-મિથ્યાત્વ શલ્યના સેવનથી, ઋદ્ધિરસ-શાતાના અભિમાન અથવા લોભરૂપ અશુભ ભાવથી, જ્ઞાન-દર્શન-ચારિત્રની વિરાધના થકી, ક્રોધ-માન-માયા-લોભ-રૂપ ચાર કષાયના સેવનથી, આહા૨-ભયમૈથુન-પરીગ્રહની ઇચ્છાથી, સ્ત્રી-દેશ-ભોજન-રાજ સંબંધિ વિકથા કરવાથી, આર્ત્તરૌદ્ર ધ્યાન કરવાથી તથા ધર્મ-શુક્લ ધ્યાન ન કરવાથી [૨૨-૨૪]કાયિકી-આધિકરણિકી-પ્રાક્રેષિકી-પારિતાપનિકી-પ્રાણાતિપાતિકી એ પાંચમાંની કોઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાથી, શબ્દ-રૂપ-ગંધ-૨સ-સ્પર્શ એ પાંચ કામગુણોથી, પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહ એ પાંચના વિરમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy