SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ~~ ઉદ્દેસો-૩ ઃ = દસનેયાલિયં – ૯/૩૪૫૬ [૪૫] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિની સારી રીતે શુશ્રુષા પૂર્વક ઉપાસના કરવામાં સાવધાન રહે છે તે પ્રમાણે શિષ્યો પોતાના ગુરુની સેવામાં સાવધ રહેવું જોઈએ. આચાર્યની દૃષ્ટિ અને ઇશારા ઊપરથી જ જે સાધક તેમની ઇચ્છાઓને સમજી જાય છે અને પૂર્ણ કરે છે તેજ પૂજનીય બને છે. [૪૫૭] જે શિષ્ય આચારને માટે ગુરુનો વિનય કરે, તેમના વચન શ્રવણની ઇચ્છા રાખે તદનુસાર કાર્ય કરે અને અવજ્ઞા ન કરે તેજ સાધક પૂજનીય થાય છે. [૪૫૮] જે પોતાથી જ્ઞાનમાં કે સંયમમાં જ્યેષ્ઠ હોય અને વયમાં નાના હોય છતાં પણ તેનો વિનય કરનાર હોય, પુનઃ ગુણી જન પાસે નમ્રભાવે વર્તે તથા જે સત્યવાદી વિનયી અને ગુરુજનોની આજ્ઞાનુસાર વર્તનાર હોય તે સાધક પૂજનીય થાય છે. [૪૫૯] જે સંયમી સંયમ યાત્રાના નિર્વાહ માટે હંમેશાં સામુદાયિક, વિશુદ્ધ અને અજ્ઞાત ઘરોમાં ગોચરી કરે, પરંતુ ત્યાં આહાર ન મળે તો ખેદ ન કરે તેમ મળે તો સ્તુતિ ન કરે તે પૂજ્ય બને છે. [૪૬૦] સંથારો, શય્યા-સ્થાન, આસન, ભાત, પાણી વગેરેનો અતિ લાભ થતો હોય તો પણ તેમાં અલ્પ ઇચ્છા રાખી જરૂરિયાત પ્રમાણે ગ્રહણ કરી જે પોતાના આત્માને સંતુષ્ટ રાખે છે. આવો સંયમી પુરુષ વસ્તુની અપ્રાપ્તિપર પણ સંતોષને મુખ્ય ગુણ માની તેમાં જ રમે છે તેજ સાધક પૂજ્ય થાય છે. [૪૬૧-૪૬૩] મનુષ્ય ધન કે તેવી કોઇ પણ સાંસારિક વસ્તુઓની આશાથી લોખંડના કાંટાઓ ઉપર ચાલે કે શયન કરે છે પણ કર્ણમાં બાણની માફક ખૂંચે તેવા કઠોર વાણીરૂપ કંટકોને જરામાત્ર સ્વાર્થ વિના સહન કરી લેવા તે અતિ અશક્ય છે. છતાં પણ તેને ફૂલ જેવા માની સહન કરે છે તે ખરેખર પૂજનીય છે. લોખંડના કાંટાઓ તો મુહૂર્ત માત્ર દુઃખ આપે છે. અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનના પ્રહારો હ્દયમાં એવા તો આરપાર પેસી જાય છે કે તેને કાઢવા સહેલા નથી; તેના સંબંધે તો એવા ગાઢા વૈરીની પરંપરા વધારનાર અને મહા ભયાનક હોય છે. કઠોર વચનના પ્રહારો કાને સાંભળવામાં આવતાંજ ચિત્તમાં વૈમનસ્ય ઉત્પન્ન કરી દે છે. પરંતુ તેવા કઠોર વચનોને પણ જે મોક્ષમાર્ગનો શૂરવીર અને જીતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પોતાન ધર્મમાની સમભાવપૂર્વક સહન કરે છે તેજ ખરેખર પૂજ્ય છે. [૪૪] જે સાધુ કોઈપણ મનુષ્યની પાછળ તેના કદી અવર્ણવાદ ન બોલે, પ્રત્યક્ષમાં વૈર વિરોધ થાય તેવી ભાષા કદિ ન બોલે તથા નિશ્ચયાત્મક અને કોઇને અપ્રિયકરનારી ભાષા પણ ન બોલે, તેજ ખરેખર પૂજ્ય છે. [૪૫] જે અલોલુપી, અકૌતુકી, મંત્રજંત્રાદિ ઇંદ્રજાળ નહિ કરનાર, અમાયી અને પિશુનતારહિત, અદ્યનવૃત્તિવાન અને સ્વયં પોતાની પ્રશંસા ગાતો નથી તેમ અન્યની પાસે પ્રશંસા કરાવવાની ઈચ્છા પણ ધરાવતો નથી તેજ ખરેખર પૂજ્ય છે. [૪૬૬] સદ્ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે. માટે તું સાધુગુણોને ગ્રહણ કર, અને અવગુણોને ત્યાગી દે, આવી રીતે પોતાના જ આત્માથી પોતાના આત્માને સમજાવે. આ રીતે સાધના કરતો સાધક રાગ દ્વેષના નિમિત્તોમાં સમભાવ જાળવી શકે છે ત્યારેજ તે પૂજનીય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy