SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ દસનેયાલિયું – ૭/-/૩૩૮ [૩૩૮-૩૩૯] તમે આ માલ ખરીદ્યો તે ઠીક કર્યું, આ વસ્તુ વેચી તે બરાબર કર્યું, આ માલ ખરીદવા યોગ્ય છે અથવા ખરીદવા યોગ્ય નથી, આ વસ્તુમાં લાભ થશે અથવા નહિ થાય; ખરીદી લો, અથવા વેચી નાંખો એવાં એવાં વચનો વ્યાપારીને ન કહે અલ્પ મૂલ્યવાન અથવા બહુમૂલ્યવાન્ કરિયાણાં સંબંધમાં કોઈ પૂછે તો સંયમ ધર્મમાં હાનિ ન પહોંચે તેમ ભિક્ષુએ નિરવદ્ય વચનથી ઉત્તર આપવો. આ વ્યાપારથી સાધુઓ નિવૃત્ત થયેલ હોવાથી તે સંબંધમાં અમને બોલવાને અધિકાર નથી. ne [૩૪૦] ધીર અને બુદ્ધિમાન મુનિ ગૃહસ્થોને અહિંયા આવો, અહિંયા બેસો, ઉભા રહો,સૂવો, ત્યાં જાઓ ઇત્યાદિ શબ્દોનો વ્યવહાર કરે નહિ. [૩૪૧-૩૪૨] આ લોકમાં ઘણા અસાધુઓ પણ સાધુ કહેવાય છે. તેવા અસાધુઓને સાધુ ન કહે. પરંતુ સાધુતાના ધારકનેજ સાધુ કહે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનથી સંપન્ન તથા સંયમ અને તપમાં રક્ત આવા ગુણોની સૌરભથી સુરભિત- સંયમીનેજ સાધુ કહેવાય. [૩૪૩] દેવો, મનુષ્યો તિર્યંચોમાં પારસ્પરિક યુદ્ધ થતો હોય ત્યાં અમુક પક્ષનો જય થાઓ અથવા થવો જોઈએ તેમજ અમુક પક્ષનો જીત ન થાઓ અથવા હાર થવી જોઇએ એમ ન બોલે. [૩૪૪] વાયરો, વરસાદ, ઠંડી, તાપ, ક્ષેમ, (સારી રીતે રક્ષણ) સુકાલ, ઉપદ્રવરહિતપણું ઈત્યાદિ ક્યારે થશે ? અથવા વાયરા વિગેરે ન થાઓ. આવું ન બોલે. [૩૪૫-૩૪૬] વાદળ, આકાશ કે રાજા જેવા માનવને આ દેવ છે એવું કહે નહિ. પરંતુ આ મેઘ ચઢેલ છે. ઊંચે ઘેરાઈ રહ્યો છે અથવા જળ આપનાર છે અથવા વરસે છે. એમ કહે મુનિઓ પ્રયોજન હોય તો આકાશને અંતરિક્ષ અથવા દેવોથી સેવિત છે, તેમ કહે અને ઋદ્ધિશાળી મનુષ્યને જોઇને તે ઋદ્ધિશાળી છે તેમ કહે, [૩૪] તેમજ ક્રોધ, લોભ, ભય કે હાસ્યને વશ થઇને પણ પાપકારી, નિશ્ચયકારી, પરજીવો માટે પીડાકારી ભાષાને સાધુ હાંસી કે મજાકમાં પણ ન બોલે. [૩૪૮] આવી રીતે મુનિ વાક્યશુદ્ધિ, અને વાક્યની સુંદરતા સમજીને હંમેશાં દૂષિત વાણીથી દૂર રહે. જે સાધક વિવેકપૂર્વક ચિંતન કરીને પરિમિત અને અષિત ભાષા બોલે છે તેજ સત્પુરુષોમાં પ્રશંસા પામે છે. [૩૪૯] છ જીવનિકાયને વિષે સંયમવાન્ અને ચારિત્રમાં નિરંતર ઉઘમવાનુ સાધુ ભાષાના ગુણ અને દોષોને જાણી સદોષ ભાષાનો નિરંતર ત્યાગ કરે અને હિતકારી તથા મધુર ભાષા બોલે. [૩૫૦] પરીક્ષાપૂર્વક બોલનાર, વશેન્દ્રિય, ચારે કષાયો પર જીત મેળવનાર, એવા અપ્રતિબંધ વિચરનાર સાધુ પૂર્વોપાર્જિત કર્મમલને દૂર કરી, આ લોક અને પરલોકની આરાધના કરે છે. એ પ્રમાણે હું (તમને) કહું છું. અધ્યયનઃ ૭ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ અધ્યયન આઠમું - આચારપ્રણિધિ [૩૫૧] જે ભિક્ષુએ આચાર રૂપ નિધિને પ્રાપ્ત કરી લીધેલ છે, તેઓએ પોતાના ક્રિયાદિ કેવી રીતે વર્તવું જોઇએ, તે તમારી સમક્ષ હું ક્રમશઃ કહીશ. તે સાંભળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy