SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૫, ઉદ્દેસો-૧ ૧૫૫ અંધકાર વ્યાપ્ત હોય કે ઊંડું ભોયરૂં હોય તે સ્થાનમાં મુનિ ન જાય. ત્યાં અંધારૂ હોવાથી કંઇ આંખથી જોઇ શકાય નહીં અને તેથી હાલતા ચાલતા પ્રાણીઓ ન દેખાય. તેથી આવા સ્થાનોને છોડી દે. જ્યાં કોષ્ઠાગારમાં બીજ કે ફૂલ વેરાયા હોય અથવા જે સ્થાન, તાજુ લિંપણ થવાથી લીલું કે ભીનું હોય તો તેવું જાણીને ત્યાં મુનિ ન જાય. ગૃહસ્થના ઘરના દરવાજામાં બાળક, બકરો કે કૂતરો અથવા વછરડો હોય તો તેને ઓળંગીને કે તેને વેગળા કરીને સંયત-મુનિ પ્રવેશ ન કરે. [૯૮-૧૦૦] ગૃહસ્થને ઘે૨ ગયેલો સાધુ આસક્તિ પૂર્વક ન જુએ. આમ તેમ દૂર દૂર જોયા ન કરે. અને હર્ષિત દૃષ્ટિ પણ ન જુએ. કોઈ નિષેધ કરે ત્યારે પાછો ફરે. જે કુળનો જેવો આચાર હોય તે પ્રમાણે ત્યાં સુધીની પરિમિત ભૂમિમાંજ ગમન કરે. તે ગૃહસ્થની બાંધેલી મર્યાદાથી આગળ ગમન ન કરે. વિચક્ષણ સાધુ મર્યાદિત ભૂમિપર જઇને તે ભૂમિનું સારી રીતે પ્રતિલેખન કરે. તે સ્થાન ઊપર ઊભો રહીને ગૃહસ્થના સ્નાનગૃહને કે મલ વિસર્જન કરવાના સ્થાનનું કદાપિ અવલોકન કરે નહિ. [૧૦૧-૧૦૨] જે માર્ગેથી લોકો પાણી, માટી, બીજ તથા હરિતકાયને લાવતા હોય કે બીજાદિ વેરાયા હોય તે સ્થાનને છોડીને સર્વ ઇન્દ્રિયોથી સમાધિવંત થઈ મુનિ ઉભો રહે. સ્થાનમાં ઊભા રહેલા સાધુને આહાર પાણી, લાવીને વહેરાવે ત્યારે તે આહાર નિર્દોષ-કલ્પનીય હોય તો ગ્રહણ કરે. પરંતુ અકલ્પનીય ગ્રહણ ન કરે. [૧૦૩-૧૧૧] (સાધુ ગૃહસ્થને ઘર આહાર પાણી લેવા જાય ત્યારે) દાન માટે ગૃહસ્થ સ્ત્રી ત્યાં આગળ ભિક્ષા લાવતાં રસ્તામાં કદાચ અન્ન વેરતી વેરતી ચાલી આવે તો, તે ભિક્ષા આપનારને કહે કે આ પ્રમાણે લેવું મને કલ્પતું નથી. (અથવા ભિક્ષા આપનાર વ્યક્તિ) માર્ગમાં પડેલા નાના પ્રાણીઓ બીજો કે લીલોતરીને કચરતી કચરતી ભિક્ષા લાવે તો તે આપનારા અસંયમ કરે છે, એમ જાણી તે દાતા પાસેથી આહા૨ ગ્રહણ ન કરે. તે જ પ્રકારે સાધુને માટે સચિત્તમાં અચિત્ત વસ્તુ ભેળવીને કે સચિત્ત વસ્તુ રાખીને અથવા ચિત્ત વસ્તુથી સંઘટ્ટન કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમજ પાણી ભર્યું હોય તેમાં અવગાહન-પ્રવેશ કરીને કે તેને ચલિત કરીને જો આહાર પાણી શ્રમણ માટે લાવે તો તે દેનાર મુનિ કહે કે તેવું ભોજન-પાન મને કલ્પતું નથી. કોઇ પુરઃકર્મવાળા હાથ, કળછી કે વાસણથી આહાર પાણી આપે તો તે આપનારને કહે કે તે મને કલ્યે નહિ, આહાર પાણી વહોરાવતા પહેલાં જે દોષ થાય તે પુરા કર્મ કહેવાય, જો હાથ, વાસણ કે કડછી ભિંજાયા હોય અથવા ચિત્ત પાણીથી સ્નિગ્ધ થયાં (બહુભિંજાયા) હોય, સચિત્ત ૨૪, સચિત્ત માટી, કે ખારો તેમજ હરતાલ, હિંગુલક, મનઃશિલા, અંજન, મીઠું, ગેરૂં, પીળીમાટી, સફેદમાટી, ફટકડી, અનાજનો ભુસુ, તરતનો પીસેલો લોટ, ફળ ના ટુકડો કે તેવી ચિત્ત વનસ્પતિ ઈત્યાદિથી ખરડાયેલા હોય તો તે દ્વારા આપતાં આહાર પાણીને મુનિ ઇચ્છે નહિ, કારણ કે તેમ કરવાથી પશ્ચાત્કર્મનો દોષ લાગે. દાતાનાં હાથ અન્નાદિથી સંસૃષ્ટ [ખરડાયેલા હોય, તથા કડછી અથવા અન્ય કોઈ ભાજન કોઇ નિર્દોષ પદાર્થથી લિપ્ત હોય, ત્યારે સાધુ પશ્ચાત્કર્મ અથવા પૂર્વ કર્મના દોષની સંભાવના નથી, એમ જાણી નિર્દોષ આહાર પાણી ગ્રહણ કરે. [૧૧૨-૧૧૩] બે વ્યક્તિ સાથે ભોજન કરી રહ્યા છે. તેમાંથી એક વ્યક્તિ ભિક્ષા માટે નિમંત્રણ કરે તો તે આહાર-પાણીને ઇચ્છે પરંતુ બીજી વ્યક્તિના અભિપ્રાયની રાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy