SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આવસ્સયં – ૧/૨ - સર્વ પ્રાણીના હિતને માટે પ્રવર્તે તે મંગલ. એવા દ્રવ્ય અને ભાવ, લૌકિક અને લોકોત્તર આદિ સર્વ પ્રકારના મંગલોને વિશે સર્વોત્તમ કે ઉત્કૃષ્ટ મંગલ છે. [૨] હે ભગવંત ! (હે પૂજ્ય !) હું (આપની સાક્ષીએ) સામાયિકનો સ્વીકાર કરું છું અર્થાિત્ સમભાવની સાધના કરું છું. જીવું ત્યાં સુધી સર્વ સાવદ્ય (-પાપ) યોગોનું પ્રત્યાખ્યાન કરું છું. અર્થાત્ મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ ન કરવાનો નિયમ કરું છું. (જાવજજીવને માટે) મનથી, વચનથી, કાયાથી (એ રીતે ત્રણે યોગથી તે પાપ વ્યાપાર) હું પોતે કરું નહીં, બીજા પાસે કરાવું નહીં કોઈ કરે તેની અનુમોદના ન કરું. હે ભગવંત (પૂજ્ય) હું તે પાપનું (મેં સેવેલ અશુભ પ્રવૃત્તિનું) પ્રતિક્રમણ કરું છું (અર્થાત્ તેનાથી નિવૃત્ત થાઉં છું.) મારા આત્માની સાક્ષીએ નિંદા કરું છું. (અર્થાત્ તે અશુભ પ્રવૃત્તિ ને હું ખોટી ગણું છું) અને આપની સમક્ષ ‘એ પાપ છે.’ એ વાતનો એકરાર કરું છું.. ગીં કરું છું. (વળી તે પાપ-અશુભ પ્રવૃત્તિ કરનારા મારા ભૂતકાલિન પર્યાય રૂપ) આત્માને વોસિરાવું છું. સર્વથા ત્યાગ કરું છું. (અહીં ‘પડિક્કમામિ’ આદિ શબ્દોથી ભૂતકાળના, ‘કરેમિ’ શબ્દથી વર્તમાનકાળના અને પચ્ચક્ખામિ' શબ્દથી ભવિષ્યકાળના એમ ત્રણે કાળના પાપ વ્યાપારનો ત્યાગ થાય છે.) ૧૨ પહેલા અધ્યયનની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૨ - ચતુર્વિશતિસ્તવ) [૩] લોકમાં ઉદ્યોત કરનારા (- ચૌદ રાજલોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગદેશને જીતનારા, કેવલી, ચોવીસે તીર્થંકરોનો અને અન્ય તીર્થંકરોનું હું કીર્તન કરીશ. [૪] ૠષભ અને અજીતને, સંભવ અભિનંદન અને સુમિતને, પદ્મપ્રભૂ સુપાર્શ્વ (તથા) ચંદ્રપ્રભુ એ સર્વે જિનને હું વંદન કરું છું. [પ] સુવિધિ અથવા પુષ્પદંતને, શીતલ શ્રેયાંસ અને વાસુપૂજ્યને, વિમલ અને અનંત (તથા) ધર્મ અને શાંતિ જિનને હું વંદન કરું છું. [૬] કુંથુ - અર અને મલ્લિ, મુનિસુવ્રત અને નમિને, અરિષ્ટનેમિ પાર્શ્વ તથા વર્ધમાન (એ સર્વે) જિનને હું વંદન કરું છું. (આ રીતે ૪-૫-૬ ત્રણ ગાથા થકી ઋષભ આદિ ચોવીસે જિનની વંદના કરાઈ છે.) [9] એવી રીતે મારા વડે સ્તવાયેલા કર્મરૂપી કચરાથી મુક્ત અને વિશેષ રીતે જેના જન્મ મરણ નાશ પામ્યા છે અર્થાત્ ફરી અવતાર નહીં લેનારા ચોવીસ તથા અન્ય જિનવર-તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. [૮] જે (તીર્થંકરો) લોકો વડે સ્તવના કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાયેલા છે. લોકોમાં ઉત્તમસિદ્ધ છે. તેઓ મને આરોગ્ય (રોગ ન હોય તેવી સ્થિતિ), બોધિ (જ્ઞાનદર્શન અને ચારિત્રનું બોધ) સર્વોત્કૃષ્ટ સમાધિ આપો. [૯] ચંદ્ર કરતા વધુ નિર્મળ, સૂર્ય કરતા વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતા વધારે ગંભીર એવા સિદ્ધો (ભગવંતો) મને સિદ્ધિ (મોક્ષ) આપો. બીજા અધ્યયનની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy