SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૬૮૭ ૧૪૧ છે. અનંતકાળ સુધી વેદના યોગ્ય અશુભ કર્મ બંધાય છે. આથી સાધુએ બાહ્ય કે અત્યંતર સંયોજના કરવી નહિ. અપવાદ-દરેક સંઘાટ્ટકને ગોચરી વધારે આવી ગઈ હોય, વાપરવા છતાં આહાર વધ્યો હોય તો, તે પરઠવવો ન પડે તે માટે બે દ્રવ્યો ભેગા કરીને વાપરે તો દોષ નથી. ગ્લાનને માટે દ્રવ્ય સંયોજના કરી શકાય. રાજપુત્રાદિ હોય અને એકલો આહાર ગળે ઉતરતો ન હોય તો સંયોજના કરે. નવદીક્ષિત હોય પરિણત ન થયો હોય તો સંયોજના કરે. અથવા રોગાદિ કારણે સંયોજન કરવામાં દોષ નથી. [૬૮૪-૬૯૬] પ્રમાણ દોષ જે આહાર કરવાથી જ્ઞાનાભ્યાસ, વૈયાવચ્ચ આદિ કરવામાં અને સંયમના વ્યાપારોમાં તે દિવસે અને બીજા દિવસે આહાર વાપરવાનો સમય ન થાય ત્યાં સુધી શારીરિક બળમાં હાનિ ન પહોંચે તેટલો આહાર પ્રમાણસર કહેવાય. પ્રમાણ કરતાં વધારે આહાર વાપરવાથી પ્રમાણાતિરિક્ત દોષ થાય અને તેથી સંયમ અને શરીરને નુકશાન થાય. સામાન્ય રીતે પુરુષ ને માટે બત્રીસ કોળીઆ આહાર અને સ્ત્રી માટે અઠ્ઠાવીસ કોળીઆ આહાર પ્રમાણસર કહેવાય. - કુકુટ-3556 કુકકુટી-કુકડીના ઈંડા જેટલા પ્રમાણનો એક કોળીઓ ગણાય. કક્કટી-બે પ્રકારની ૧ દ્રવ્ય કુકુટી અને ૨ ભાવકુકુટી. દ્રવ્ય કુકુટી-બે પ્રકારે ૧ ઉદરકુફ્ફટી, ૨ ગલકુકુટી. ઉદરકુફ્ફટી-જેટલો આહાર વાપરવાથી પેટ ભરાય તેટલો આહાર, ગલકુળુટી-પેટ પૂરતા આહારનો બત્રીસમો ભાગ અથવા જેટલો કોળીઓ મુખમાં મૂકતાં મોં વિકૃત ન થાય, તે પ્રમાણનો કોળીઓ અથવા સહેલાઇથી મુખમાં મૂકી શકાય તેટલા આહારનો કોળીઓ. ભાવકુકુટી- જેટલો આહાર વાપરવાથી (ઓછો નહિ તેમ વધારે નહિ) શરીરમાં સ્ફર્તિ. રહે, જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણનો આહાર, તેનો બત્રીસમો ભાગ એક કોળીઓ કહેવાય. બત્રીસ કોળીઆમાં એક, બે, ત્રણ કોળીઆ ઓછાં કરતાં યાવતુ સોળ કોળીઆ પ્રમાણ આહાર કરે યાવતુ તેમાંથી પણ ઓછા કરતાં આઠ કોળીઆ પ્રમાણ આહાર કરે તે યાત્રામાત્ર (નિવહ પૂરતો) આહાર કહેવાય. સાધુઓએ કેવો આહાર વાપરવો જોઇએ ? જેઓ હિતકારી દ્રવ્યથી અવિરૂદ્ધ, પ્રકૃતિને માફક અને એષણીય-દોષ વગરનો આહાર કરનારા, મિતાહારી પ્રમાણસર બત્રીસ કોળીઆ પ્રમાણ આહાર કરનારા, અલ્પાહારી-ભૂખ કરતાં ઓછો આહાર કિરનારા હોય છે, તેમની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. અથતુ તેવાઓને રોગ થતાં નથી. હિતકારી અને અહિતકારી આહારનું સ્વરૂપ-દહીંની સાથે તેલ ને, દુધની સાથે દહીં કે કાંજી એ અહિતકારી છે, અર્થાત્ શરીરને નુકશાન કરે છે. અહિતકારી આહાર વાપરવાથી સઘળા રોગ ઉત્પન્ન થાય છે. દૂધ અને તેલ કે દહીં અને તેલ સાથે વાપરવાથી કોઢ રોગ થાય છે, સરખા ભાગે વાપરવાથી ઝેરરૂપ બને છે. માટે અહિતકારી આહારનો ત્યાગ કરવો અને હિતકારી આહાર વાપરવો જોઇએ. મિતઆહારનું સ્વરૂપ-પોતાના ઉદરમાં છ ભાગની કલ્પના કરવી. તેમાં શિયાળો, ઉનાળો અને સાધારણ કાલની અપેક્ષાએ આહાર વાપરવો, તેની સમજ આપવા અહીં કોઠો બનાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy