SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ગાથા -૫૯૯ ઉપર પૃથ્વીકાય આદિ સાત પ્રકારે નિક્ષિપ્ત હોય છે. વિધ્યાત, મુમ્મર, અંગાર, અપ્રાપ્ત, પ્રાપ્ત, સમજ્વાળા અને વ્યુત્ક્રાંત. વિધ્યાત સ્પષ્ટ રીતે પહેલા અગ્નિ દેખાય નહિ, પાછળથી ઈધણ નાખતા સળગતો દેખાય. મુર્ખર ફીક્કા પડી ગયેલા, અર્ધબુઝાયેલા અગ્નિના કણિયા. અંગાર-જ્વાળા વિનાના સળગતા કોલસા. અપ્રાપ્ત-ચૂલા ઉપર વાસણ મૂકેલું હોય તેને અગ્નિની જ્વાળા સ્પર્શ કરતી ન હોય. પ્રાપ્ત-અગ્નિનીવાળાઓ વાસણને સ્પર્શ કરતી હોય. સમજવાળા-જ્વાળાઓ વધીને વાસણના કાંઠા સુધી પહોંચેલી હોય. વ્યકાંત-જ્વાળાઓ એટલી વધેલી હોય કે વાસણની ઉપર જતી હોય. - આ સાતમાં અનંતર અને પરંપર એમ બન્ને રીતે હોય વિધ્યાતાદિ અગ્નિ ઉપર સીધા જ મંડકાદિ હોય તે અનંતર નિક્ષિપ્ત કલ્પે નહિ અને વાસણ વગેરેમાં હોય તે પરંપર અગ્નિકાય નિક્ષિપ્ત કહેવાય. તેમાં અગ્નિનો સ્પર્શ ન થતો હોય તો લેવું કલ્પે. પહેલા ચારમાં કહ્યું અને પ-૬-૭માં કહ્યું નહિ. કેટલીકવાર મોટા ભટ્ટા ઉપર વસ્તુ હોય તો તે ક્યારે કહ્યું તે બતાવે છે. ભટ્ટા ઉપર જે વાસણ મુકેલું હોય તેની ચારે બાજુ માટી લગાવેલી હોય, તે વિશાલ-મોટું હોય, તેમાં ઈક્ષરસ આદિ રહેલ હોય તે રસ આદિ ગૃહસ્થને આપવાની ઈચ્છા હોય તો જે તે રસ આદિ બહુ ગરમ ન હોય અને આપતાં. છાંટા પડે તો તે માટીના લેપમાં શોષાઈ જાય અથતુ ભટ્ટામાં બિંદુઓ પડે તેમ ન હોય, વળી અગ્નિની જ્વાળા વાસણને લાગતી ન હોય તો તે રસ આદિ લેવું કલો. તે સિવાય કલ્પ નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું. સચિત્ત વસ્તુનો સ્પર્શ હોય તો તે લેવું ન કલ્પે. વાસણ બધી બાજુ લીધેલું, રસ બહુ ગરમ નહી, આપતાં છાંટા પડે નહિ. છાંટા પડે તો લેપમાં સુકાઈ જાય. આ ચાર પદને આશ્રીને એક બીજા સાથે મૂકતા સોળ ભાંગા. થાય. આ સોળ ભાંગામાં પહેલા ભાંગાનું કલ્પ. બાકીના પંદર ભાંગાનું ન કહ્યું. બહુ ગરમ લેવામાં આત્મા વિરાધના અને પર વિરાધના થાય. અતિ ગરમ હોવાથી, સાધુ લેતાં દાઝે તેથી આત્મવિરાધના, ગૃહસ્થ દાઝે તો પર વિરાધના. મોટા વાસણ થી આપતાં આપનારને કષ્ટ પડે ને આપતાં ઢોળાય, અતિ ગરમ હોવાથી દઝાતાં વાસણ એકદમ નીચે મુકવા જતાં વાસણ તૂટી જાય તો છકાયની વિરાધના થાય. તેથી સંયમ વિરાધના લાગે. માટે સાધુએ આવા પ્રકારનું લેવું કહ્યું નહિ. પવને ઉપાડેલી ચોખાની પાપડી વગેરે અનંતર નિક્ષિપ્ત કહેવાય અને પવનથી ભરેલી બસ્તી. આદિ ઉપર રોટલા, રોટલી વગેરે રાખેલું હોય તે પરંપર વાયુકાય નિક્ષિપ્ત કહેવાય. લીલા ઘાસ વગેરે ઉપર રોટલા, રોટલી આદિ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને તેના ઉપર વાસણ આદિમાં રહેલી પરંપર વનસ્પતિકાય નિક્ષિપ્ત કહેવાય. ત્રસકાયમાં બળદ, ઘોડા આદિની પીઠ ઉપર સીધી જ વસ્તુ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને ગુણપાટ કે અન્ય વાસણ આદિમાં વસ્તુ રહેલી હોય તે પરંપર ત્રસકાય નિક્ષિપ્ત કહેવાય. આ બધામાં અનંતર નિક્ષિપ્ત કહ્યું નહિ, પરંપર નિક્ષિપ્તમાં સચિત્ત સંઘટ્ટનાદિ ન થાય તે રીતે યોગ્ય યતનાપૂર્વક લઈ શકાય. આ રીતે ૪૩ર ભેદો હોઈ શકે. [૬૦૦-૬૦૪] સાધુને આપવા માટેનું અશનાદિ સચિત્ત, મિશ્ર કે અચિત્ત હોય અને તે સચિત્ત, અચિત્ત કે મિશ્રથી ઢાંકેલું હોય એટલે આવા સચિત્ત, અચિત્ત અને મિશ્રથી ઢાંકેલાની ત્રણ ચતુર્ભાગી થાય છે. દરેકના પહેલા ત્રણ ભાગમાં લેવું કલ્યું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy