SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પિંડનિજુત્તિ-(૦૨) લાગી હશે એટલે રૂદન કરે છે, માટે જલદી મને વહોરાવો, પછી બાળકને ધવરાવજો' અથવા એમ કહે કે પહેલા બાળકને સ્તનપાન કરાવો પછી મને વહોરાવો,” અથવા તો કહે કે “હમણાં બાળકને ધવરાવી લો પછી હું વહોરવા આવીશ.” “બાળકને સારી રીતે રાખવાથી, બુદ્ધિશાળી, નિરોગી અને દીર્ઘઆયુષ્યવાળો થાય છે, જ્યારે બાળકને સારી રીતે નહિ રાખવાથી મૂર્ણ રોગી અને અલ્પ આયુષ્યવાળો થાય. લોકમાં પણ કહેવત છે કે પુત્રની પ્રાપ્તિ થવી દુર્લભ છે માટે બીજા બધા કામ મૂકીને બાળકને સ્તનપાન કરાવો. જો તમે સ્તનપાન નહિ કરાવો તો હું બાળકને દૂધ પીવરાવું કે બીજા પાસે સ્તનપાન કરાવડાવું.” આ પ્રમાણે બોલીને ભિક્ષા લેવી તે ધાત્રીપિંડ. આ પ્રકારનાં વચનો સાંભળી, જો તે સ્ત્રી ધર્મિષ્ઠ હોય તો ખુશ થાય. અને સાધુને સારો સારો આહાર આપે, પ્રસન્ન થયેલી તે સ્ત્રી સાધુ માટે આધાકમદિ આહાર પણ બનાવે. તે સ્ત્રી ધર્મની ભાવનાવાળી ન હોય તો સાધુના આવા વચનો સાંભળી સાધુ પ્રત્યે ગુસ્સો કરે. કદાચ બાળક માંદો પડી જાય તો સાધુની નિંદા કરે, શાસનનો ઉડ્ડાહ કરે, લોકોને કહે કે “તે દિવસે સાધુએ બાળકને બોલાવ્યો હતો કે દૂધ પીવરાવ્યું હતું કે બીજે જઇને સ્તનપાન કરાવી આવ્યો હતો એટલે મારું બાળક બીમાર થઈ ગયું.” અથવા તો કહે કે “આ સાધુ બાઈઓ આગળ મીઠું મીઠું બોલે છે.” અથવા પોતાના પતિને કે બીજા લોકોને કહે કે “આ સાધુ ખરાબ આચરણવાળો છે, મૈથુનની અભિલાષા રાખે છે.” વગેરે વાતો કરીને શાસનની હીલના કરે ધાત્રીપિંડમાં આ દોષો આવે. ભિક્ષાએ ફરતાં કોઈ ઘરમાં સ્ત્રીને ચિંતાતુર જઈને પૂછે કે કેમ આજે ચિંતાતુર દેખાઓ છો? સ્ત્રી કહે કે “જે દુઃખમાં સહાયક થઈ શકે તેમ હોય તેમને દુઃખ કહ્યું હોય તો દુઃખ દૂર થાય. તમને કહેવાથી શું?’ સાધુ કહે કે હું તમારા દુઃખમાં સહાયક થઇશ, માટે તમારે દુઃખ હોય તે મને કહો.” સ્ત્રી કહે કે “મારે ઘેર ધાત્રી હતી તેને અમુક શેઠ પોતાના ઘેર લઈ ગયા છે. હવે બાળકને હું કેવી રીતે સાચવી શકીશ? તેની ચિંતા છે. આ પ્રમાણે સાંભળી સાધુ તેની આગળ પ્રતિજ્ઞા કરે કે તમે જરા પણ ચિંતા કરશો નહિ, હું એવું કરીશ કે તે ધાત્રીને શેઠ રજા આપી દેશે અને પાછી તમારી પાસે આવી જશે. હું થોડા સમયમાં જ તમને ધાત્રી પાછી લાવી આપીશ.” પછી સાધુ તે સ્ત્રી પાસેથી તે ધાત્રીની ઉંમર, શરીરનો બાંધો, સ્વભાવ, દેખાવ વગેરે જાણી લઇને, તે શેઠને ત્યાં જઈ શેઠની આગળ ધાત્રીના ગુણ-દોષો એવા પ્રકારે બોલે કે શેઠ પેલી ધાત્રીને છૂટી કરી દે. છૂટી થયેલી તે ધાત્રી સાધુ પ્રત્યે દ્વેષ કરે, ઉદ્દાહ કરે કે સાધુને મારી પણ નાખે વગેરે દોષો રહેલા હોવાથી સાધુએ ધાત્રીપણું કરવું ન જોઈએ. આ ક્ષીર ધાત્રીપણું કહ્યું. તે પ્રમાણે બાઝના ચાર ધાત્રીપણાં પણ સમજી લેવાં. બાળકને રમાડવા, ખેલાવવા વગેરે કરવાથી સાધુને ધાત્રીદોષ લાગે છે. શ્રી સંગમ નામના આચાર્ય હતા. વૃદ્ધાવસ્થા આવતાં તેઓનું જંઘાબળ ક્ષીણ થતાં અથતુ ચાલવાની શક્તિ નહિ રહેવાથી, કોલ્લેકિર નામના નગરમાં સ્થિરવાસ કર્યો હતો. એક વખત તે પ્રદેશમાં દુકાળ પડવાથી શ્રી સંગમસૂરિજીએ સિંહ નામના પોતાના શિષ્યને આચાર્ય પદવી આપી, ગચ્છ સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યો અને પોતે એકલા જ તે નગરમાં રોકાયા. આચાર્ય ભગવંતે નગરમાં નવ ભાગો કલ્પી, યતના પૂર્વક માસકલ્પ સાચવતા હતા. આ પ્રમાણે વિધિપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy