SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ર પિંડનિત્તિ – (૪૩૦) દોષવાળા આહારનો ત્યાગ કરવો. [૪૩૦-૪૩૨] અશુદ્ધ આહાર ત્યાગ કરવામાં નીચે મુજબ ચતુર્ભગી થાય. શુષ્ક અને આર્દ્ર સરખે સરખી વસ્તુમાં પડેલું અને જુદી વસ્તુમાં પડેલું તેમાં ચાર પ્રકાર પડે, ૧ શુષ્કમાં શુષ્ક, ૨ શુષ્કમાં આર્દ્ર, ૩ આર્દ્રમાં શુષ્ક, ૪ આર્દ્રમાં આર્દ્ર. શુષ્કમાં શુષ્ક- શુષ્ક વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે વાલા, ચણા વગેરે સુકા કહેવાય. વાલમાં ચણા પડ્યાં હોય તો કે ચણામાં વાલ પડ્યાં હોય તો તે સુખપૂર્વક જુદા કાઢી શકાય છે. ચણામાં ચણા કે વાલમાં વાલ પડ્યાં હોય તો જે જેટલા દોષવાળા હોય તેટલા પ્રમાણમાં ખ્યાલ હોય તેટલા) કપટ વિના જુદા કાઢી નાખવા, બાકીના કલ્પી શકે. શુષ્યમાં આર્દ્ર- શુષ્ક વસ્તુમાં આર્દ્ર વસ્તુ પડી હોય. એટલે વાલ, ચણા આદિ ભેગું ઓસામણ, દાળ આદિ પડ્યું હોય તો, પાત્રમાં પાણી નાખીને પાત્રુ નમાવીને બધું પ્રવાહી કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે. આર્દ્રમાં શુષ્ક - આર્દ્ર વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે ઓસામણ, દુધ, ખીર આદિમાં ચણા વાલ વગેરે પડ્યું હોય તો પાત્રમાં હાથ નાખીને ચણા વગેરે કઢાય તેટલા કાઢી નાખવા, બાકીનું કલ્પી શકે. આર્ટમાં - આર્દ્ર આર્દ્ર વસ્તુમાં આર્દ્ર વસ્તુ પડી હોય. એટલે ઓસામણ આદિમાં ઓસામણ આદિ પડ્યું હોય તો, જો તે દ્રવ્ય દુર્લભ હોય અર્થાત્ બીજું મળી શકે તેમ ન હોય અને તે વસ્તુની જરૂર હોય તો જેટલા પ્રમાણનું દોષવાળું હોય તેટલું કાઢી નાખવું, બાકીનું કલ્પે. [૪૩૩] નિર્વાહ થઇ શકે એમ ન હોય તો આ ચાર ભાંગાનો ઉપયોગ કરી શકાય. જો નિર્વાહ થઇ શકે એમ હોય કે બીજો શુદ્ધ આહાર મળી શકે એમ હોય તો પાત્રમાં આવેલું બધું પરઠવી દેવું જોઇએ. નિર્વાહ થાય એમ હોય તો પાત્રમાં વિશોધિકોટિથી સ્પર્શ થયેલા બધા આહારનો ત્યાગ કરવો, નિર્વાહ ન થાય તેમ હોય તો ચા૨ ભાંગામાં બતાવ્યા પ્રમાણે ત્યાગ કરવો. કપટ રહિત જે ત્યાગ કરે તે સાધુ શુદ્ધ રહે છે અર્થાત્ તેને અશુભકર્મનો બંધ થતો નથી, પરંતુ માયા પૂર્વક ત્યાગ કર્યો હોય તો તે સાધુ કર્મબંધથી બંધાય છે, જે ક્રિયામાં માયાવી બંધાય છે તેમાં માયા રહિત શુદ્ધ રહે છે. [૪૩૪-૪૩૫] હવે બીજી રીતે વિશોધિકોટિ અવિશોધિકોટિ સમજાવે છે. કોટિકરણ બે પ્રકારે. ઉદ્ગમકોટિ અને વિશોધિકોટિ. ઉદ્ગમકોટિ છ પ્રકારે, આગળ કહ્યા પ્રમાણે. વિશોધિકોટિ અનેક પ્રકારે ૯-૧૮-૨૭-૫૪-૯૦ અને ૨૭૦ ભેદો થાય છે. ૯ પ્રકાર - હણવું, હણાવવું અને અનુમોદવું. રાધવું, રંધાવવું અને અનુમોદવું. વેચાતું લેવું, લેવરાવવું અને અનુમોદવું. પહેલા છ ભાંગા અવિશોધિકોટિના અને છેલ્લા ત્રણ વિશોધિકોટિના જાણવા. ૧૮ પ્રકાર-નવકોટિને કોઈ રાગથી કે કોઈ દ્વેષથી. સેવે. ૯×૨=૧૮. ૨૭ પ્રકાર- (નવ કોટિને) સેવનાર કોઇ મિથ્યાવૃષ્ટિ નિઃશંકપણે સેવે, કોઇ સમ્યગ્દષ્ટિ વિરતિવાળો આત્મા અનાભોગથી સેવે, કોઇ સમ્યગ્દષ્ટિ અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતો સેવે. મિથ્યાત્ત્વ, અજ્ઞાન અને અવિરતિરૂપથી સેવતા ૯૪૩=૨૭ પ્રકાર થાય. ૫૪ પ્રકાર-૨૭ પ્રકા૨ને કોઈ રાગથી સેવે, કોઇ દ્વેષથી સેવે ૨૭×૨-૫૪ પ્રકાર થાય. ૯૦ પ્રકાર- નવ કોટિને કોઇ પુષ્ટ આલંબનથી દુકાળ, અરણ્ય આદિ વિકટ દેશ કાળમાં ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવા માટે સેવે. ૯×૧૦=૯૦ પ્રકાર થાય. ૨૭૦ પ્રકાર-આમાં કોઇ વિશિષ્ટ ચારિત્ર નિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં વિશિષ્ટ જ્ઞાન નિમિત્તે સેવે, કોઇ ચારિત્રમાં ખાસ દર્શનની સ્થિરતા નિમિત્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy