SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૩૦૧ ગુણ દ્રવ્ય વિના રહી શકતા નથી. માટે તારા કહેવા મુજબ તો પણ સૂક્ષ્મપૂતિ થશે નહિ. મતલબ કે આથી સૂક્ષ્મપૂતિ સમજવારૂપ છે પણ એનો ત્યાગ અશક્ય છે. વ્યવહારમાં પણ દૂરથી અશુચીની ગંધ આવતી હોય તો લોકો તેનો બાધ ગણતા નથી, તેમ વસ્તુનો. પરિહાર કરતા નથી. જો અશુચી પદાર્થ કોઈ વસ્તુને લાગી જાય તો તે વસ્તુનો ઉપયોગ કરતા નથી, પણ ગંધ માત્રથી તેનો ત્યાગ કરાતો નથી. ઝેરની ગંધ દૂરથી આવે તેથી માણસ મરી જતો નથી. તેમ ગંધ, ધૂમાડા વગેરેથી સૂક્ષ્મપૂતિ બનેલ આહાર સંયમી આત્માને ત્યાગ કરવા યોગ્ય થતો નથી, કેમકે તે નુકશાન કરતો નથી. બાદરપૂતિની શુદ્ધિ ક્યારે થાય?- ધન, ધૂમાડો, વરાળ, ગંધ તે સિવાય સમજો કે એકમાં આધાક રાંધ્યું, પછી એમાંથી તે આધાકર્મી કાઢી નાખ્યું, તેને ધોયું નથી, એટલે તે આધાકર્મીથી ખરડાએલું છે, એમાં બીજી વખત શુદ્ધ આહાર રાંધ્યો હોય કે શુદ્ધ શાક વગેરે મૂક્યાં હોય, બાદ તે વાસણમાંથી તે આધાકર્મી આહાર આદિ દૂર કર્યા પછી ધોયા વિના ત્રીજી વખત પણ એવું કર્યું તો આ ત્રણ વખત રાંધેલ પૂતિકર્મ થયું. પછી તે કાઢી નાખીને એ જ વાસણમાં ચોથીવાર રાંધવામાં આવે તો તે આહારપૂતિ થતો નથી, માટે કલ્પી શકે છે. હવે જે ગૃહસ્થી પોતાના ઉદ્દેશથી એ વાસણને જો. નિરવયવ કરવા માટે ત્રણ વખત બરાબર ધોઈને પછી તેમાં રાંધે તો તે સુતરાં કલ્પી શકે, એમાં શંકા જ શું? જે ઘેર આધાકર્મી આહાર રંધાયો હોય તે દિવસે તે ઘરનો આહાર આધાકમાં ગણાય છે. ત્યાર પછીના ત્રણ દિવસ સુધી રંધાયેલો આહાર પૂતિ દોષવાળો ગણાય છે, તેથી ચાર દિવસ સુધી તે ઘરનો આહાર આદિ કલ્પ નહિ, પણ પાંચમા દિવસથી તે ઘરનો શુદ્ધ આહાર કહ્યું. પછી તેમાં પૂતિની પરંપરા ચાલતી નથી, પણ જો પૂતિ દોષવાળું ભાજન તે દિવસે કે બીજે દિવસે ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે ત્રણવાર ધોયા પછી તેમાં શુદ્ધ આહાર રાંધ્યો હોય તો તે તુરત કલ્પી શકે. - સાધુના પાત્રમાં શુદ્ધ આહાર ભેગો આધાકર્મી આહાર આવી ગયો હોય તો તે આહાર કાઢી નાખી, ત્રણવાર પાણીથી ધોયા બાદ બીજે આહાર લેવો કલ્પી શકે. ગોચરી ગયેલા સાધુને ઘરમાં જમણ વગેરે થયાની નિશાની દેખાય ત્યાં મનમાં પૂતિકર્મની શંકા પડે, હોંશીયારી પૂર્વક ગૃહસ્થને અથવા તેની સ્ત્રી આદિને પૂછવું કે જમણ થયે-સાધુ માટે આહાર આદિ કર્યાને કેટલા દિવસ થયા ?” અથવા તો તેઓની વાત ઉપરથી જાણી લેવું. ત્રણ દિવસથી વધારે દિવસ થયા હોય તો પૂતિ થતી નથી. આ રીતે જાણીને પૂતિદોષનો પરિહાર કરી શુદ્ધ આહારની ગવેષણા કરવી. [૨૯૫-૩૦૧] મિશ્રદોષ ત્રણ પ્રકારે ૧. કોઈપણ ભિક્ષાચર માટે, ૨. પાખંડી માટે અને ૩. સાધુ માટે. પોતાના માટે અને યાવતું સાધુ વગેરે માટે પહેલેથી ભેગું રાંધ્યું હોય તો તે મિશ્રદોષ કહેવાય છે. મિશ્રદોષવાળો આહાર એક હજાર ઘરે ફરતો ફરતો જાય તો પણ તે શુદ્ધ થતો નથી. મિશ્રદોષવાળો આહાર પાત્રમાં આવી ગયો હોય તો તે આહાર અંગુલી કે રાખ વડે દૂર કર્યા પછી તે પાત્ર ત્રણવાર ધોયા પછી તડકે સુકવ્યા બાદ તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું. કોઈપણ એટલે તમામ ભિક્ષુકો માટે કરેલું જાણવાનો ઉપાય- “કોઈ સ્ત્રી કોઈ સાધુને ભિક્ષા આપવા જાય ત્યાં ઘરનો માલિક કે બીજા કોઈ તેને નિષેધ કરે કે આમાંથી આપશો નહિ. કેમકે આ રસોઈ બધા માટે કરી નથી, માટે આ બીજી રસોઈ જે બધાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy