SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૮ પાહુડ-૧૮ [૧૧૭-૧૨૮] હે ભગવન્ આપે ચંદ્રાદિની ભૂમિથી ઉપર કેટલી ઉંચાઈ કહેલ છે ? તે કહો ચંદ્રાદિ ભૂમીની ઉપર ઉંચાઈ સંબંધી વિચારણામાં આ પચીસ પ્રતિપત્તિયો છે. એ પરતીર્થિકોમાં પહેલો પરતીર્થિક આ પ્રમાણે કહે છે-ભૂમિની ઉ૫૨ એક હજાર યોજન સૂર્ય સ્થિત રહે છે. તથા દ્વયર્ધ અર્થાત્ બીજાનું અર્ધું એટલે કે દોઢ હજાર યોજન જમીનના ઉપર ચંદ્ર વ્યવસ્થિત રહે છે. બીજા કહે છે- જમીનની ઉપર બેહજાર યોજન સૂર્ય વ્યવ સ્થિત રહે છે. તથા અઢીહજાર યોજન જમીનની ઉપર ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત રહે છે. એજ પ્રમાણે બીજા મતવાદિયોના કથન પ્રકારના સૂત્રો ભાવિત કરી લેવા એક એક હજાર યોજનના વધારાથી સૂર્ય સંબંધી અને સૂર્યથી પાંચસો યોજન વધારે ઉપર ચંદ્ર હોય છે. તેમ સમજવું. પચીસમા મતાવલંબીના કહે છે. પચીસહજાર યોજનની ઉંચાઇએ સૂર્ય વ્યવસ્થિત રહે છે તેથી સાડીપચીસહજાર યોજનની ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત હોય છે. શ્રીભગવાન્ આ વિષયમાં કહે છે કે આ રત્નગપ્રભા પૃથ્વીના અધિક સમતલવાળા ભૂમિ ભાગથી શોભાયમાન જમીનની ઉપરમાં સાતસોનેવું યોજન જઈને ત્યાં નીચેના તારા વિમાનનું મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે.આઠસો યોજન ઉંચે જઇને સૂર્ય વિમાન ભ્રમણ કરે છે. આઠસોએંસી યોજન ઉપર જઇને ચંદ્ર વિમાન મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે. નવસો યોજનપુરા ઉપર જઈને સર્વોપરિતન તારા વિમાનનું મંડળગતિથી પરિ ભ્રમણ કરે છે. તારા વિમાનની નીચે કેવલ દસ યોજન ઉપર જઈને સૂર્ય વિમાન ભ્રમણ કરે છે. એ સધિસ્તન તારા વિમાનથી એકસોદસ યોજન ઉપર જઈને ત્યાં સર્વોપરિતન તારાવિ માન ભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી ૮૦ યોજન ઉપર જઈને ચંદ્રવિમાન ભ્રમણ કરે છે. એ સૂર્ય વિમાનની ઉપર સો યોજન ઉપર જઇને સર્વોપરિતન તારા રૂપવિમાન જ્યોતિક્રને આશ્રિત કરીને ગમન કરે છે. એ ચંદ્ર વિમાનની ઉ૫૨ વીસ યોજન જઈને સર્વોપરિતન તારારૂપ જ્યોતિ શ્ચક્ર ભ્રમણ કરે છે.- પૂર્વ પશ્ચિમમાં વ્યાસ વિસ્તાર એકસો દસ યોજન ભ્રમણ કરે છે. ૮૩ હે ભગવન્ ચંદ્ર સૂર્ય દેવના ક્ષેત્રની અપેક્ષાથી અધોભાગમાં રહેલ તારાવિમા નના દેવ દ્યુતિ, વિભવ લેશ્યાદિને લક્ષ્ય કરીને કોઈ અણુ હોય છે. એટલે કે કોઇ લઘુ હોય છે. તથા કોઈ તુલ્ય હોય છે, શ્રીભગવાન્ કહે છે.- જે જે પ્રકારે એ દેવોના તારારૂપ વિમાનધિષ્ઠાતા દેવવિશેષોના પૂર્વભવમાં તપ,નિયમ, અને બ્રહ્મચર્યાદિ અધિક પ્રમાણ માં હોય છે, તેમ તેમ એ વિમાનાધિષ્ઠાતા દેવોના એ તારા વિમાનના અધિષ્ઠાતા પણામાં આ પ્રમાણે થાય છે. જે પ્રમાણે કોઈ વસ્તુનું અણુપણુ હોય એજ પ્રમાણે કોઈનું તુલ્યપણું પણ હોય છે. ચંદ્ર સૂર્યના વિમાનાધિષ્ઠાતા દેવોની નીચે તારારૂપ વિમાન પોતપોતાના કરેલ કર્મથી લઘુ પણ હોય છે, તુલ્ય પણ હોય છે. એજ પ્રમાણે ઉપર પણ તારા વિમાનાધિષ્ઠાતા દેવ પણ અણુ પણ હોય છે. અને તુલ્ય પણ હોય છે. અનેક ચંદ્રોમાં દેખાતા એક એક દેવરૂપ ચંદ્રનો ગ્રહપરિવાર કેટલી સંખ્યાવાળો પ્રતિપાદિત કરેલ છે ? તથા એક ચંદ્રનો નક્ષત્ર પરિવાર કેટલો હોય છે ?- દરેક ચંદ્રદેવનો અઠ્યાસી ગ્રહોનો ગ્રહોપ ગ્રહરૂપ પરિવાર હોય છે. તથા ચંદ્રદેવનો અઠ્યાવીસ નક્ષત્ર પરિવા૨ સમંતતઃ વ્યાપ્ત થઇને પરિવારૂપે સ્થિત રહે છે. તથા ૬૬૯૦ પનક્ષત્ર પરિવા૨ તથા કોટી કોટી તારા ગણ સમંતતઃ વ્યાપ્ત થઈને રહે છે. મેરૂની ચારે બાજુ ૧૧૨૧ યોજનને છોડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy