SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૫ ૮૧ મંડળના સડસઠિયા સાડી છેતાલીસ ભાગોને યાવતુ નક્ષત્ર પૂરિત કરે છે. પૂર્વકથિત લક્ષણવાળા ચંદ્રમાસમાં ચંદ્ર કેટલા મંડળોને પૂરિત કરે છે ? સવાચૌદમંડળ એટલે કે એકસોચોવીસ ભાગ સંબંધી એકત્રીસ ભાગ પ્રમાણ એકસોચોવીસનો ચોથો ભાગ પંદરમા મંડળના એકસોચોવીસિયા બત્રીસ ભાગમાં સંચરણ કરે છે. આટલા પ્રમાણ વાળા પ્રદેશને પૂરે છે. એક ચાંદ્રમાસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે. ચતુભ ગજૂન પંદર મંડળમાં ગમન કરે છે. તથા મંડળના એકસોચોવીસ ભાગોમાં પણ સંચ રણ કરે છે. એક ચાંદ્રમાસમાં નક્ષત્ર ચતુભગિન્યૂન પંદરમંડળ તથા એકસોચોવી સિયા છઠ્ઠાભાગ મંડળમાં ગમન કરે છે. એક ઋતુમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં ભ્રમણ કરે છે? ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના એકસપિયા ત્રીસ ભાગ ચંદ્ર ભ્રમણ કરે છે. એક ઋતુમાસમસૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે? પંદર મંડળોમાં ગમન કરે છે. હે ભગવનું ઋતુમાસ નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? એક કર્મમાસમાં નક્ષત્ર પંદર મંડલ પુરા તથા સોળમા મંડળના એકસોબાનીસિયા પાંચ ભાગ ગમન કરે છે. સૌરમાસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે? એક સૌરમાસમાં ચંદ્ર ચૌદ, મંડળ પુરા તથા પંદરમા મંડળના પંદર ભાગાત્મક અગ્યારમાં ભાગ ને પૂરિત કરે છે. સૌર માસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે? પંદર મંડળ પુરા તથા સોળમાં મંડળના ચોથો ભાગ સૂર્ય ગમન કરે છે. એક આદિત્ય માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે? પુરેપુરા પંદર મંડળ અને સોળમાં મંડળના એકસોવીસ ભાગવાળા પાંત્રીસભાગ યાવતુ ગમન કરે છે. એક અભિવર્ધિત માસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? અભિવર્ધિતમાસ માં ચંદ્ર પંદર મંડળ પુરા તથા સોળમા મંડળના એકસોક્યાસીવાળા વ્યાશી ભાગમાં ગમન કરે છે. એક અભિવર્ધિતમાસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે ? ત્રણ ભાગ ન્યૂન સોળ મંડળમાં સૂર્યગમન કરે છે. મંડળને બસો અડતાલીસથી છેદીને આટલા પ્રમાણ ભાગમાં ગમન કરે છે. એક અભિવર્ધિત માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? ચૌદસોએક્યાસીથી મંડળને છેદીને સોળ મંડળ અને સુડતાલીસ ભાગમાં નક્ષત્ર ગમન કરે છે. હેભગવનું એક એક અહોરાત્રમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? એક અહોરાત્રમાં ચંદ્ર નવસો પંદરથી અર્ધમંડળને વિભક્ત કરીને એકત્રીસ ભાગ ન્યૂન એક અધમંડળમાં ગમન કરે છે. એક એક મંડળમાં ચંદ્ર કેટલા અહોરાત્રમાં ગમન કરે છે ? ચારસો બેંતાલીસ અહોરાત્રને વિભક્ત કરીને બે અહોરાત્ર તથા એક અહોરાત્રના એકત્રીસ ભાગથી ચંદ્ર એક મંડળમાં ગમન કરે છે. સૂર્ય એક એક મંડળમાં કેટલા અહોરાત્રીમાં ગમન કરે છે ? બે અહોરાત્રથી એક મંડળમાં ગમન કરે છે. એક એક મંડળમાં નક્ષત્ર કેટલા અહોરાત્રમાં ગમન કરે છે? બે ભાગ ન્યૂન બે અહોરાત્રમાં નક્ષત્ર એક મંડળમાં ગમન કરે છે. તાવતું એક યુગમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? યુગમાં ચંદ્ર આઠસોચોરાશી મંડળોમાં ગમન કરે છે તે ભગવનું એક યુગમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? નવસોપંદર મંડળ ગમન કરે છે. એક યુગમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે ? અઢારસોપાત્રીસ અધમંડળમાં ભ્રમણ કરે છે. આ પંદરમાં પ્રાભૃતમાં આ પૂર્વકથિત પ્રકારથી પૂર્વકથિત મુહૂર્ત ગતિ દરેક મુહૂર્તમાં પરિમાણ તથા નાક્ષત્રમાસ, ચાંદ્રમાસ અને અભિવધિત માસોનું અહોરાત્ર પ્રમાણ તથા યુગને અધિકૃત કરીને મંડળના વિભાગ તથા શીઘ્રગતિરૂપ ગમન પ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy