SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૦, પાહુડ-પાહુડ-૨૦ ૫૭ કહેવાય છે. ચાંદ્રસંવત્સ૨માં એક ચાંદ્રમસ અભિવર્ધિત હોય આવા, પ્રકારના લક્ષણ વાળું અને તેર માસના પ્રમાણવાળું સંવત્સર અભિવૃદ્ધિ નામનું સંવત્સર છે. હવે નિ શ્વર સંવત્સર વિષે કથન કરે છે- શનૈશ્વર સંવત્સર અઠ્યાવીસ પ્રકારનું પ્રતિપાદિત કરેલ છે, તે ભેદો આ પ્રમાણે છે અભિજીત્ શ્રવણ યાવત્ ઉત્તરાષાઢા પાહુડ-૧૦/૨૦ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પાહુડ પાહુડ - ૨૧ [૮૬] હે ભગવન્ ! કેવી રીતે નક્ષત્રચક્ર મંડળના દ્વારોનું આપે પ્રતિપાદન કર્યું છે ? તે આપ મને કહો. હે ગૌતમ ! નક્ષત્રોના દ્વાર વિષયક વિચારમાં આ પાંચ પ્રતિપત્તિયો કહેલ છે. પહેલો મતવાદી કહે છે-કે કૃત્તિકાદિ સાત નક્ષત્ર પૂર્વદ્વાર વાળા કહ્યા છે. કૃત્તિકા રોહિણી મૃગશિરા આર્ટ પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા કહ્યા છે મઘા પૂર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અનુરાધાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા ઉત્તરાષાઢા અભિજીત્ અને શ્રવણ, ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. ધનિષ્ઠા શતભિષા પૂર્વાપ્રોષ્ઠપદા ઉત્તરપ્રોષ્ઠ પદા રેવતી આશ્વિની અને ભરણી હવે બીજા મતવાળાનો મત કહે છે. મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વાર વાળા કહ્યા છે. મઘા પૂર્વા ફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અનુરાધા વિગેરે સાત નક્ષત્ર દક્ષિણ દ્વારવાળા કહ્યા છે ધનિષ્ઠાદિ સાત પશ્ચિમ દ્વારાવાળા કહ્યા છે. કૃત્તિકાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. હવે ત્રીજા મતાવલમ્બીનો અભિપ્રાય બતાવે છે ઃ ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂર્વ દ્વારવાળા કહ્યા છે. કૃત્તિકા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા કહ્યા છે. મઘાદિ સાત નક્ષત્રોને પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, અનુરાધા વિગેરે સાત નક્ષત્રો ઉત્તરદ્વાર વાળા કહ્યા છે, તેમાં જેઓ એમ કહે છે કે-અશ્વિની વિગેરે સાત નક્ષત્રો પૂર્વ દ્વારવાળા છે, તેમનું કહેવું એવું છે કે અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશિરા, આદ્ર અને પુનર્વસુ આ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા હોય છે, પુષ્ય વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા છે,-પુષ્ય, અશ્લેષા મઘા પૂર્વાફાલ્ગુની, હસ્ત અને ચિત્રા સ્વાતી વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, સ્વાતી વિશાખા, અનુ રાધા, જ્યેષ્ઠા, મૂલ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા.અભિજીત્ વિગેરે સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા પ્રતિપાદિત કરેલ છે,-અભિજીતુ શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી. તેઓમાં જેઓ એમ કહે છે કે ભરણી વિગેરે સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા કહ્યા છે. તેમનું કહેવું એવું છે કે-ભરણી કૃત્તિકા, રોહિણી, મૃગશિરા આદ્ર, પુનર્વસુ અને પુષ્ય, અશ્લેષા વિગેરે. સાત નક્ષત્રો દક્ષિણદ્વારાવાળા પ્રતિપાદિત કર્યા છે. અશ્લેષા, મઘા, પૂર્વાિલ્ગુની, હસ્ત, ચિત્રા અને સ્વાતી, વિશાખા વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમદ્વારવાળા કહ્યા છે. વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરા ષાઢા, અને અભિજીત્ શ્રવણ વિગેરે સાત નક્ષત્રો ઉત્તરદ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, શ્રવણ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વપ્રૌષ્ઠપદી, ઉત્તરાપ્રૌષ્ઠપદા, રેવતી અને અશ્વિની હવે ભગ વાન્ સ્વતમતનું કથન કરે છે. અભિજીત્ વિગેરે સાત નક્ષત્રો પૂર્વ દ્વારવાળા હોવાનું પ્રજ્ઞપ્ત કરેલ છે, અશ્વિની વિગેરે સાત નક્ષત્રો દક્ષિણદ્વારવાળા પ્રતિપાદિત કર્યા છે, પુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy