SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૦, પાહુડપાહુડ-૩ અધિકૃત કરીને જ રહે તે પૂર્વ ભાગવાળા નક્ષત્રો કહેવાય છે. તથા સમક્ષેત્ર એટલે પૂર્ણ અહોરાત્ર પ્રમિત ક્ષેત્રને ચંદ્ર યોગને અધિકૃત કરીને રહે તે સમક્ષેત્ર નક્ષત્ર કહેવાય છે. એટલે કે ત્રીસ મુહૂર્ત તુલ્ય અર્થાત્ સંપૂર્ણ અહોરાત્ર રૂપ કહેલા છે. આ નક્ષત્રો પશ્ચાતુ ભાગવત હોય છે, તથા સમક્ષેત્ર એટલે કે ત્રીસ મુહૂર્ત કહેલ છે તથા એવા પણ નક્ષત્રો હોય છે કે જે નક્ષત્ર નíભાગ અર્થાતું રાત્રિગત એટલા માટે અર્ધમાત્ર ક્ષેત્રવાળા અપાઈ ક્ષેત્ર એટલે કે પંદર મુહૂર્ત ચંદ્રયોગને અધિકૃત કરીને પ્રતિપાદિત કરેલ છે. તથા એવા પણ નક્ષત્રો છે. કે જે નક્ષત્ર ઉભય ભાગ અથતુ દોઢ ક્ષેત્ર વ્યાપ્ત એટલે કે પિસ્તાલીસ મુહૂર્ત પ્રજ્ઞપ્ત કરેલ છે. અઠ્યાવીસ નક્ષત્રોમાં રહેલા એવા કેટલા નક્ષત્રો હોય છે કે જે નક્ષત્રો દિવસના પૂર્વ ભાગમાં વ્યાપ્ત રહે છે. સંપૂર્ણ અહોરાત્ર વ્યાપ્ત તેવા છ નક્ષત્રો કહ્યા છે. પૂવપરીષ્ઠપદા, પૂર્વભાદ્રપદા, પૂર્વાફાલ્ગની અને પૂર્વાષાઢા એટલે કે ત્રણ પૂવ કૃત્તિકા મઘા અને મૂળ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્ર દિવસના પાછળના ભાગમાં રહેલ હોય તથા ત્રીસ મુહુર્ત વ્યાપ્ત હોય છે તેવા દસ નક્ષત્રો છે. છે-અભિજીતુ શ્રવણ ધનિષ્ઠા રેવતી અશ્વિની મૃગશિરા પુષ્ય હસ્ત ચિત્રો અને અનુરાધા જે નક્ષત્ર નkભાગ પંદર મુહૂર્ત વ્યાપ્ત કાળ ગત અપાધક્ષેત્રમાં વ્યાપ્ત જે નક્ષત્ર પ્રતિપાદિત કરેલ છે. તેવા નક્ષત્રો હોય છે. શતભિષા ભરણી, અશ્લેષા, સ્વાતી તથા જયોષ્ઠા અઠ્યાવીસ નક્ષત્રોમાં આ રીતે જે નક્ષત્રો પ્રતિપાદિત કરેલ છે, કે જે ઉભયભાગ એટલે કે- પિસ્તાલીસ મુહૂર્ત તુલ્યકાળ વ્યાપ્ત જે નક્ષત્ર કરેલ છે. એવા છ નક્ષત્રો હોય છે, ઉત્તરપ્રૌષ્ઠપદા, ઉત્તરાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગની ઉત્તરાષાઢા આ રીતે પૂવ તથા રોહિણી, પુનર્વસુ અને વિશાખા | પાહુડ-૧૦૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહડપાહુડ-૪) [૪૬] કેવી રીતે નક્ષત્રોનો ચંદ્રની સાથેના યોગનું આદિ પ્રતિપાદિત કરેલ છે? ભગવાનું કહે છે કે હે ગૌતમ ! અભિજીતુ અને શ્રવણ એ બે નક્ષત્ર એવા છે કે જે નક્ષત્રો દિવસનો પાછળના અધ ભાગ ગયા પછી ચંદ્ર યોગના આદિને અધિકૃત કરીને કંઈક વધારે ઓગણચાલીસ મુહુર્ત કાળમાં વ્યાપ્ત થઈને રહે છે. આટલો કાળ અથતુિ દોઢ દિવસ પ્રમાણ સમયે ચંદ્રની સાથે યોગ કરીને તે પછી અનુપરિવર્તન કરે છે. સૂર્યાસ્તની નજીકના ત્રણ ઘડિ યુક્ત કાળમાં ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં સાંજના સમયે ચંદ્રની સાથે પ્રથમ યોગ કરે છે. તે પછી આત્મસમર્પણ કર્યા પછી ધનિષ્ઠાનક્ષત્ર પશ્ચાતું ભાગ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. ચંદ્રની સાથે યોગ કરીને તે પછી એકરાત અને એક દિવસ યાવતું ચંદ્રની સાથે યોગ કરે છે. આ પૂર્વોક્ત પ્રકારથી ધનિષ્ઠા નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી તથા સાંજના સમયથી પ્રવૃત્ત થતું હોવાથી એક અહોરાત ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. અને યોગનું અનુપરિવર્તન કરીને સાંજના સમયે દિવસના કેટલાક પાછ ળના ભાગમાં ચંદ્ર શતભિષક નક્ષત્રને પ્રાપ્ત કરે છે. ચંદ્રનો યોગ પ્રાપ્ત થવાથી શત ભિષક નક્ષત્ર કેવળ રાતના ભાગવતિ અહોરાત્રનો કેવળ અધભાગ ક્ષેત્રને પંદર મુહૂર્ત પરિમિત સમય પ્રથમતઃ કરીને ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. શતભિષક નક્ષત્રને ચન્દ્રને સમર્પિત કર્યા પછી પૂર્વભાદ્રપદા નક્ષત્ર પોતાના પ્રવૃત્ત સમયથી આરંભીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy