SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧ ૨૮૫ તેવી પ્રકારના સ્થવિર સાધુની પાસે સામાયિક આદિ અગ્યાર અંગને ભણ્યા. ભણીને ધણા ઉપવાસ, છઠ્ઠ, અક્રમ વિગેરે તપ કરતા યાવતુ વિચરવા લાગ્યા. ત્યારપછી તે પદ્મ અનગાર તે ઉદાર તપવડે મેધકુમાર અનગારની જેમ શરીરે કૃશ થયા, તે જ પ્રમાણે ધર્મજાગરિકા કરતા તેને વિચાર થયો. તેથી મેધની જણ તે જ પ્રમાણે શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીનીરજા લઈને વિપુલાચલ પર્વત ઉપર યાવતુ પાદપોપગમન નામનું અનશન કર્યું. આ પદ્ધ અનગાર તેવા પ્રકારના સ્થવિર મુનિ ઓની પાસે સામાયિક આદિ અગ્યાર અંગ મળ્યા હતા. બરાબર પરિપૂર્ણ પાંચ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળ્યો હતો. એક માસની સંખનાવડે એટલે સાઠ ભક્તના ત્યાગ વડે અનુક્રમે તે કાલધર્મ પામ્યા.પછી સ્થવિરમુનિઓ પર્વતપરથી નીચે ઉતર્યા. ભગવાન ને ગૌતમસ્વામીએ પૂછ્યું. ત્યારે મહાવીરસ્વામીએ કહ્યું કે ચાવતું સાઠ ભક્તનો અન શનવડે છેદ કરી આલોચના પ્રતિક્રમણ કરી ઉપર ચંદ્ર સૂર્યના વિમાન ને ઓળંગી સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલોકમાં બે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો તે દેવપણે ઉત્પન્ન થયો છે. હે ભગવાન્ ! તે પદ્મ તે દેવલોકથી આયુષ્યનો ક્ષય થયે ક્યાં જશે? એમ પૂછ્યું. ત્યારે પ્રભુ ઉત્તર આપે છે કે- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દ્રઢપ્રતિ જ્ઞની જેમ સિદ્ધિપદને પામશે યાવતુ સર્વ દુઃખનો અંત કરશે. તે આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ કલ્પા વતંસિકાના પહેલા અધ્યયનનો આ પ્રમાણે અર્થ કહ્યો છે, એ મેં તમને કહ્યો. અધ્યયન-૧નીમુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનક૨મહાપા) [૨] હે ભગવાન! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ કલ્પાવતંસિકાના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન ! બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. કૂણિક નામે રાજા હતો. તેને પદ્માવતી નામની દેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાની ભાય કુણિકરાજાની લધુમાતા સુકાલી નામની દેવી હતી. તે સુકાલીનો પુત્ર સુકાલ નામનો કુમાર હતો. તે સુકાલ કુમારને મહાપદ્મા નામની દેવી હતી. તે અતિ કોમળ અંગવાળી હતી. ત્યારપછી તે મહા. પદ્મા દેવી એકદા કદાચિત્ તે તેવા પ્રકારના વાસગૃહમાં સુતી હતી વિગેરે એ જ પ્રમાણે સર્વ કહેવું યાવતું મહાપા નામના બાળકને જન્મ આપ્યો, યાવતુ તે સિદ્ધિપદને પામશે. વિશેષ એ કે ઈશાન કલ્પ નામના બીજા દેવલોકમાં તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ થયો છે. તે આ પ્રમાણે નિશે હે જંબૂ શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ કલ્પાવસંતિકાના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે મેં તમને કહ્યો. | અધ્યયન રમુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ૩થી૧૦) એ જ પ્રમાણે બાકીના પણ આઠ અધ્યયનો જાણવા. તેમની માતાઓ પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy