SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સૂરપન્નત્તિ - ૧/૮/૩૦ મંડળમાં વિખુંભની વૃદ્ધિ કરતો કરતો તથા પરિધિના પ્રમાણમાં અઢાર અઢાર યોજન પરિયને વધારતો વધારતો સર્વત્યંતર મંડળમાં જઇને ગતિ કરે છે જ્યારે સૂર્ય સભ્યિન્તરમંડળમાં જઇને ગતિ કરે છે ત્યારે એ મંડળસ્થાન એક યોજનના અડતાલીસ બાસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા ૯૯૬૪૦૦ યોજન આયમવિખંભથી ૩૧ ૫૦૭યોજનથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપ્રાપ્ત ઉત્ક ર્ષક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ બીજા છ માસનો પર્યવસાનકાળ છે. આજ આદિત્યસંવત્સર છે. અને આજ આદિત્ય સંવત્સરનો પર્યવસાનકાળ છે. એ બધા મંડળપદો એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. બધા જ મંડળના અંતરો બે યોજનના વિષ્મભવાળા કહેલા છે. આ માર્ગ એકસો ત્ર્યાશીથી ગુણવાથી પાંચસો દસ યોજન થાય છે. આ પ્રમાણે ઉપદેશ કરવો આવ્યંતર મંડળથી બાહ્યમંડળપદ અને બાહ્યમંડળપદથી આપ્યંતરતરમંડળપદ આ પ્રમાણેનો આ માર્ગ કેટલો કહેલ છે ? તે મને કહો એકસો પંદર યોજન તથા એક યોજનના એકસ ઠિયા અડતાલીસ ભાગ કહેલ છે. તેમ કહેવું. સત્યંતરમંડલપદથી સર્વબાહ્ય મંડળ પદ તથા સર્વબાહ્યમંડળપદથી સર્વાશ્ચંતરમંડળપદ રૂપ માર્ગકેટલા પ્રમાણનોકહેલછે ? સર્વાભ્યન્તરમંડળસ્થાનથી સર્વબાહ્યમંડળ સ્થાન અને સર્વબાહ્યમંડળપદથી સર્વભ્ય તરમંડળસ્થાનરૂપ માર્ગ એકસો પંદર યોજન અને એક યોજનના એકઠિયા તેર ભાગ પ્રમાણનો કહેલ છે. તેમ સમજાવવું. પાહુડ - ૧/૮ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ પાહુડ-૧ –ગુર્જરછાયાપૂર્ણ પાહુડ-૨ -:પાહુડપાહુડ-૧: [૩૧] હે ભગવન્ સૂર્યનું તિર્યક્ ગમન કઈ રીતે થાય છે ? આ વિષયના સંબંધમાં આઠ પ્રતિપત્તીયો છે. કોઈ એક પરતીર્થિક કહે છે, પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાત કાલનો સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, તે આદિત્ય આ સમગ્ર જગતને તિર્યક્ કરે છે અને તિર્યક્ કરીને પશ્ચિમલોકાન્તમાં સાયંકાળના સમયે રાત્રી થતાં આકાશમાં અસ્ત થાય છે. બીજો અન્યમતવાદી કહેવા લાગ્યો પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાતઃકાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, એ સૂર્ય આ તિર્યક્લોકને તિર્યક્ કરે છે. એટલે કે પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને પશ્ચિમલોકાન્તમાં આકાશમાં અદૃશ્ય થઇ જાય છે. ત્રીજો મતવાદી પોતાનું મંતવ્ય દર્શાવે છે. આ સૂર્ય પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાત સમયમાં આકાશમાં ઉપરની તરફ જઈને તે આ તિર્યક્લોકને તિર્યક્ કરે છે, અને તિર્યક્ કરીને પશ્ચિમ લોકાન્તમાં સાંજના સમયે નીચે પરાવર્તિત થાય છે, અને નીચેની તરફ આવીને પાછા પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાતઃકાળ થતાં આકાશમાં ઉદય પામે છે. ચોથો કોઇ એક તીર્થાન્તરીય કહેવા લાગ્યો પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાતઃકાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદય પામે છે, તે આ તિર્યક્લોકને તિર્યક્ કરે છે. અને તિર્યક્ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy