SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૭ - ૨૬૧ પદ પ્રમાણ પૌરૂષી હોય છે. ત્રણ નક્ષત્ર કાર્તિકમાસને સમાપ્ત કરે છે અશ્વિની, ભરણી અને કૃત્તિકા એમાં અશ્વિની નક્ષત્ર કાર્તિકમાસના ૧૪ દિવસ-રાત્રિને ભરણી નક્ષત્ર ૧૫ દિવસ-રાતોને જ્યારે કૃત્તિકા નક્ષત્ર માત્ર એક દિવસ-રાત્રિને સમાપ્ત કરે છે. તે કાર્તિકમાસમાં સોળ આંગળ અધિક પૌરૂષી રૂપ છાયાવાળો સૂર્ય પરિભ્રમણ કરે છે. કાર્તિકમાસના છેલ્લા. દિવસે ચાર આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હોય છે. કત્તિકા, રોહિણી અને મૃગશિરા એ ત્રણ નક્ષત્ર પોતાના અસ્તગમન દ્વારા માર્ગશીર્ષ માસને પરિસમાપ્ત કરે છેઆમાં કૃત્તિકા નક્ષત્ર માગશર માસના ૧૪ દિવસ-રાતને, રોહિણી ૧૫ દિવસ-રાતોને અને મૃગશિરા નક્ષત્ર ૧ દિવસ-રાતને પરિસમાપ્ત કરે છે. આ માગશર માસમાં ૨૦ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી વ્યાપ્ત સૂર્ય પરિભ્રમણ કરે છે. આ અગહનમાસ નો જે અંતિમ દિવસ હોય છે તે દિવસે આઠ આંગળ અધિક ત્રિપદા પૌરૂષિ હોય છે. પોષ માસને ચાર નક્ષત્ર સમાપ્ત કરે છે મૃગશિર આદ્ર, પુનર્વસુ અને પુષ્પ મૃગશિર નક્ષત્ર પોષ માસની ૧૪ અહોરાતોને, આદ્રા નક્ષત્ર પોષમાસના આઠ દિવસોને, પુનર્વસુ નક્ષત્ર પોષમાસના સાત દિવસ રાતોને સમાપ્ત કરે છે. આ પોષમાસના અત્તિમ દિવસે ચોવીસ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. અંતિમ દિવસે પરિપૂર્ણ ચાર પાદ પ્રમાણે પૌરૂષી હોય છે. ત્રણ નક્ષત્ર માહ માસના પરિસમાપક હોય છે આ ત્રણ નક્ષત્ર પુષ્પ, અશ્લેષા અને મઘા છે એમાં પુષ્ય નક્ષત્ર માહ માસના ૧૪ દિવસોને અશ્લેષા નક્ષત્ર મહામાસના ૧૫ દિવસોને મઘા નક્ષત્ર મહા માસના ૧ દિવસ-રાતને સમાપ્ત કરે છે. આ મહામાસના છેલ્લા દિવસે ૨૦ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. ત્રણ નક્ષત્ર ફાલૂનમાસને સમાપ્ત કરે છે. મઘાપૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની એમાં મઘા જે નક્ષત્ર છે તે ફગણમાસના ૧૪ દિવસ-રાતોને પૂવફાલ્ગની ૧૫ અહોરાતોને અને ઉત્તરાફાલ્ગની એક દિવસરાતને સમાપ્ત કરે છે ફાગણમાસના છેલ્લા દિવસે સોળ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. ચૈત્રમાસને ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. ઉત્તરાફાલ્ગની હસ્ત અને ચિત્રા એમાં ઉત્તરા ફાલ્વની નક્ષત્ર ગ્રીષ્મકાળના પ્રથમ માસ ચૈત્રમાસની ચૌદ અહોરાતોને હસ્ત નક્ષત્ર ચૈત્ર માસની ૧૫ અહોરાત્રિઓને અને ચિત્રા નક્ષત્ર ચૈત્રમાસના એક દિવસરાતને સમાપ્ત કરે છે. આ ચૈત્રમાસનો જે અંતિમ દિવસ હોય છે તે દિવસે ૧૨ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. વૈશાખમાસને ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. ચિત્રા સ્વાતિ અને વિશાખા, એમાં ચિત્રા નક્ષત્ર ગ્રીષ્મકાળના વૈશાખ માસના પ્રાથમિક ૧૪ રાતદિવસોને સ્વાતિ નક્ષત્ર વૈશાખના માધ્યમિક ૧૫ દિવસોને અને વિશાખા નક્ષત્ર અન્તના એક દિવસ રાતને સમાપ્ત કરે છે.વૈશાખમાસના અન્તિમ દિવસે આઠ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. ચાર નક્ષત્ર જેઠમાસને પરિસમાપ્ત કરે વિશાખા અનુરાધા જ્યેષ્ઠા અને મૂળ, વિશાખા જેઠમાસના પ્રાથમિક ૧૪ દિવસરાતોને અનુરાધા આઠ દિવસ રાતોને જ્યેષ્ઠા સાત દિવસ રાતોને મૂલ નક્ષત્ર જ્યેષ્ઠમાસના છેલ્લા એક દિવસ રાતને સમાપ્ત કરે છે. આ જેઠમાસ અન્તિમ દિવસે ચાર આંગળ અધિક પૌરૂષીથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy