SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરપન્નતિ-૧/૩/૪ પ્રતિચરણ કરે છે. એ જ પ્રમાણે દક્ષિણપૂર્વ દિશાની મધ્યમાં મંડળના ચતું થશમાં જે એકાણુ સૂર્યના ભ્રમણ મંડળો છે. એ મંડળોને ફરીથી પ્રતિચરિત કરે છે, ત્યાં પણ ઉત્તર દક્ષિણ ગોળાર્ધના ક્રમથી બે છ માસ થાય છે. તેમાં પહેલાના છ માસમાં ઉત્તર દક્ષિણા ધના મધ્યના મંડળને બે વાર ભોગવે છે અને બીજા છ માસમાં બધી દિશાઓમાં દરેક મંડળોનું એક સૂર્ય પરિભ્રમણ કરે છે. બીજા મંડળનું બીને સૂર્ય પરિભ્રમણ કરે છે. આ રીતે યાવતુ સવન્તિમ મંડળ પરિપૂર્ણ થાય છે. એ જંબૂદ્વીપમાં નિશ્ચય રૂપથી આ પ્રકાર ના ક્રમથી ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરવાવાળો સૂર્ય ભરતક્ષેત્રને પ્રકાશિત કરવાવાળા સૂર્યના મંડળને જંબૂદ્વીપમાં લાંબી અને ઉત્તરદક્ષિણ તરફ વિસ્તારવાળી જીવીકા નામ દોરીથી એકસોચોવીસ ભાગ કરીને દક્ષિણ પશ્ચિમ મધ્યમાં ચતુર્થભાગમાં જે ૯૨ સૂર્ય મંડળો છે. એ મંડળોને ઐરાવત સૂર્ય ભોગવેલ મંડળોને પ્રતિચરિત કરે છે. ઉત્તરપૂર્વ દિશાની મધ્યમાં મંડળના ચતુથશમાં એકાણુ જે સૂર્યમંડળો છે, એ મંડળોને ભારતનો સૂર્ય ઐરાવત ક્ષેત્રના સૂર્યે ચીર્ણ કરેલ ને ફરીથી પ્રતિચરિત કરે છે. એ ભારતનો સૂર્ય અને એરવત ક્ષેત્રનો સૂર્ય એમ બેઉ સૂર્યો સવભ્યિન્તર મંડળથી બહાર નીકળતાં પરસ્પર ચીણ ક્ષેત્રનું પ્રતિચરણ કરતા નથી. પરંતુ સર્વબાહ્યમંડળથી અનન્તરાભિમુખ એ બેઉ સૂર્ય પરસ્પરના ચીર્ણક્ષેત્રને પ્રતિચરિત કરે છે. પાહુડ૧/૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડઃ૪) [૨૫] આ ભરતક્ષેત્રનો અને ઐરવત ક્ષેત્રનો એમ આ બે સૂર્ય જ્યારે જંબૂદ્વીપમાં જાય છે. ત્યારે એક બીજા કેટલા પ્રમાણનું અંતર કરીને ગતિ કરે છે ? બને સુર્યોના એક બીજાના અંતર સંબંધી વિચારણામાં વક્ષ્યમાણ આ છ પ્રતિપત્તીયો પોતપોતાની રૂચી અનુસાર વસ્તુતત્વને નિર્ણય કરવાવાળી અને તીર્થકરો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલ છે. એ છ અન્ય તર્થિકોમાં કોઈ એક આ પ્રમાણેનું કથન કરે છે. એ બને સૂર્યો જ્યારે જંબૂદ્વીપમાં જાય છે. ત્યારે બેઉ સૂર્યનું એક હજાર યોજનાનું અંતર કહેલ છે. તથા બીજું એકસો તેત્રીસ યોજનાનું અંતર કરીને ગતિ કરે છે. બીજા પ્રકારના અન્યતીર્થિક કહે છે, ભરતક્ષેત્રનો અને ઐરાવત ક્ષેત્રનો એમ એ બેઉ સૂર્યો જ્યારે જંબૂદ્વીપમાં ગમન કરે છે, ત્યારે દિવસ અને રાત્રિના ફેરફારથી બે પ્રકારનું તેમનું અંતર થાય છે, તે પૈકી એક અંતર એક હજાર યોજનાનું છે અને બીજું અંતર ૧૩૪ યોજન માત્રનું કહેલ છે. કોઈ ત્રીજા પ્રકારના અન્ય તીર્થિકો એવું કહે છે. દિવસ રાતની વ્યવસ્થાથી પોતપોતાના માર્ગમાં સંચરણ કરતા બે સૂર્યોનું બે પ્રકારનું પરસ્પરનું અંતર કહ્યું છે. તેમાં અંતર એક હજાર યોજનનું અને બીજું અંતર ૧૩પ યોજનાનું છે, કોઈ ચોથા મતાવલમ્બી આ પ્રમાણે કહે છે. બે અંતર પૈકી એક બીજા એક સમુદ્રનું જ અંતર કરીને ગતિ કરે છે. કોઈ પાંચમો મતવાદી આ રીતે કહે છે- બે દ્વીપો અને બે સમુદ્રોનું પરસ્પરનું અંતર કરીને પોતાનું ભ્રમણ કરે છે. છઠ્ઠો મતવાદી કહે છે કે, બે અંતરોમાં એક અંતરમાં ત્રણ દ્વીપો અને બીજા અંતરમાં ત્રણ સમુદ્રોનું પરસ્પરમાં અંતર કરીને બેઉ સૂય ગતિ કરે છે. ભગવાન કહે છેહું કહું છું કે, સૂર્યની ગતિ એક પ્રકારની હોતી નથી. તેમજ તેમના મંડળ એક પ્રકારના હોતા નથી જ્યારે બન્ને સૂર્યો સવભ્યિન્તર મંડળમાંથી બહાર નીકળે છે ત્યારે દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy