SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સૂરપન્નત્તિ- ૧/૧/૯ આઠ પ્રાભૃત પ્રાભૃતો પહેલા પ્રાભૂતમાં અધિકાર સહિત થાય છે. [૧૦-૧૩] હવે પહેલા પ્રાભૂતમાં વહેંચેલા ચાર પ્રાભૃતપ્રાભૂતોમાં ક્રમાનુસાર આ પરમત રૂપ પ્રતિપત્તિયો છે, જેમ કે ચોથા પ્રાભૃતપ્રાભૃતમાં છ પ્રતિપત્તિયો છે. પાંચમામાં પાંચ, છટ્ટામાં છે, સાતમમાં આઠ, અને આઠમાંમાં ત્રણ પ્રતિપત્તીયો છે. આ રીતે પહેલા પ્રાભૃતપ્રાભૃતમાં બધી મળીને ઓગણત્રીસ પ્રતિપતીયો થાય છે. બીજા પ્રાભૂતના પહેલા પ્રાભૃત પ્રાભૃતમાં ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં કેટલી પ્રતિ પત્તિયો છે? ઘાતરૂપ થતું પરમત કથન રૂપ બે જ પ્રતિપત્તિયો થાય છે. પરંતુ ત્રીજા પ્રાકૃત પ્રાભૂતમાં મુહૂર્તગતિમાં ચાર પ્રતિપત્તિયો છે. સર્વાભ્યન્તર મંડળથી બહાર ગમન સૂર્ય યથોત્તર મંડળમાં સંક્રમણ કરતા સૂર્યની ગતિ શીધ્રતર હોય છે. અને સર્વ બાહ્ય મંડળમાંથી આવ્યંતર મંડળના ક્રમથી ગમન કરતો દરેક મંડળના ક્રમથી મંદગતિ વાળો હોય છે. સૂર્યના એકસો ચોર્યાશી મંડળો છે, એ મંડળોના સંબંધમાં પ્રતિમુહૂર્તમાં સૂર્યની ગતિના પરિમાણનો વિચારથી પુરૂષોની પ્રતિપત્તિયો અથતુ એકસોચોરાશી મતાન્તર રૂપભેદો છે. પહેલા પ્રાભૃત પ્રાભૃતમાં સૂર્યોદયના સમયે તીર્થકર અને ગણ ધરોએ આઠ પ્રતિપત્તીયો કહેલ છે. બીજા પ્રાભૃત પ્રાભૂતમાં ભેદઘાતના સંબંધમાં પરમતની વક્તવ્યતા રૂપ બે જ પ્રતિપત્તીયો થાય છે. તથા ત્રીજા પ્રાભૃત-પ્રાકૃતમાં મુહૂર્તગતિના સંબંધમાં ચાર પ્રતિપત્તીયો થાય છે. " [૧૪-૧૭ પહેલા પ્રાભૃત પ્રાભૂતમાં નક્ષત્રોની આવલિકા, બીજામાં મહૂતગ્રિ. ત્રીજામાં પૂર્વ અને પશ્ચિમાદિ વિભાગ, ચોથામાં યોગની, પાંચમામાં કુલ અને છઠ્ઠામાં પૂર્ણિમા, સાતમામાં “સનિપાત, આઠમામાં સંસ્થિતિ, નવમામાં તારાઓનું પરિમાણ, દસમામાં નેતાનું અગીયારમામાં ચંદ્રમાર્ગ, બારમા પ્રાભૂતમાં અધિપતિ દેવતાઓનું, તેરમામાં મુહૂર્તોનું, ચૌદમામાં દિવસ અને રાતનું, પંદરમામાં તિથિયોના નામો, સોળ મામાં નક્ષત્રોની ઉત્પત્તિ સ્થાનરૂપ ગોત્ર,સત્તરમામાં નક્ષત્રોનું ભોજન, અઢારમામાં સૂર્યની ચાર ગતિનું, ઓગણીસમામાં માસ, વીસમામાં સંવત્સર, એકવીસમામાં નક્ષત્રોના દ્વારોનું, બાવીસમામાં નક્ષત્રોનો વિચય- આ રીતે પ્રાભૃતપ્રાભૃતની સંખ્યા અને તેનો અધિકાર કહેવામાં આવેલ છે. [૧૮] આપના અભિપ્રાયથી મુહૂર્તની ક્ષય અને વૃદ્ધિ કેવી રીતે છે? તાવત્ આઠસો ઓગણીસ મુહુર્ત તથા એક મુહર્તનો ૨૭ ભાંગ્યા ૬૭ કહ્યા છે. [૧૯-૨૧) જે સમયમાં સૂર્ય સભ્યન્તર મુહૂર્તમાંથી નીકળીને પ્રતિદિન એક એક મંડલચારથી યાવતુ સર્વબાહ્ય મંડળમાં જઈને ગતિ કરે છે. તથા સર્વબાહ્ય મંડળથી અપસરણ કરીને યાવતુ સભ્યત્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. આ સમય કેટલા. રાતદિવસના પ્રમાણથી કહ્યા છે ? આ કાળ ત્રણસો છાસઠ રાતદિવસનો કહેલ છે. તાવત્ ત્રણસો છાસઠ દિવસરાતના પ્રમાણવાળા કાળપ્રમાણથી સૂર્ય કેટલા મંડળમાં ગતિ કરે છે? કેટલા મંડળમાં બે વાર ગમન કરે છે? સામાન્યપણાથી એકસો ચોર્યાસી મંડળમાં સૂર્ય ગતિ કરે છે. એકસોબારી મંડળમાં બે વાર ગતિ કરે છે. સવવ્યંતર મંડળથી બહાર નીકળતો અને સર્વબાહ્ય મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય સવભિંતર અને સર્વબાહ્ય એ બે મંડળમાં એક વાર ગમન કરે છે. એ આદિત્યના ત્રણસો છાસઠ રાત્રિ દિવસના પરિમાણવાળા કાળમાં એકસો વ્યાસી મંડળમાં બે વાર ગમન કરે છે અને બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy